Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેના નિવેદન સામે જામનગરમાં ભાજપના મૌન ધરણા:ગુજરાતીઓ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો લાલ બંગલા ખાતે વિરોધ

    2 days ago

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. શહેરના લાલ બંગલા સર્કલ પાસે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. આ ધરણા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીના નેતૃત્વ હેઠળ યોજાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતીઓના કથિત અપમાન સામે મૌન વિરોધ નોંધાવવાનો હતો. ભાજપે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ગુજરાતીઓની અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને નિશાન બનાવે છે, જે સ્વીકાર્ય નથી. આ મૌન ધરણા કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપના વિવિધ મોરચાના આગેવાનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાજપે આ ધરણા દ્વારા કોંગ્રેસ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ગુજરાતીઓના અપમાનનો જવાબ આપવાની નેમ દર્શાવી હતી.
    Click here to Read More
    Previous Article
    અજય દુધાણી ગેંગ સામે ગુજસીટોકનો કેસ:ફરાર આરોપી જશપાલસિંહના 9 દિવસના રિમાન્ડ મંજૂર, અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ હતી
    Next Article
    સસ્પેન્ડેડ નાયબ મામલતદારની 1.22 કરોડની આવક કરતા વધુ સંપતિ:ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગરના NA કૌભાંડનો આરોપી, સગા-સંબંધીના નામે મિલકતો વસાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment