Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં યલો એલર્ટ, તોફાની પવન સાથે વરસાદની આગાહી:આજે ઉ. ગુજરાત-સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં માવઠાની સંભાવના; 7 દિવસ ખેડૂતો માટે ભારે

    10 hours ago

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 5 મેના અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહિસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદો ખાબક્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યાં હતાં. આજે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. સાથે જ પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે. જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચ્યો હતો, તે પ્રમાણે હવે રાજ્યના લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાક (DAY-1) માટે આગાહી આજે રાતથી આવતીકાલ સવાર (6 મે, 08:30 કલાક) સુધી રાજ્યના નીચે મુજબના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં તો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે વીજળી પડવાની અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 6 મેથી 12 મે સુધીનું હવામાન પ્રથમ દિવસની આગાહી બાદ, 6 મે સવારથી 12 મે સવાર સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સુકું (Dry Weather) રહેવાની શક્યતા છે. ગરમી અને ભેજનું જોર વધશે વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40°Cને વટાવી શકે છે. આગામી 9 મેથી 11 મે (DAY-5થી DAY-7) દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ કે બફારો અનુભવાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન હજી યથાવત્ કાશ્મીર અને આસપાસના વિસ્તારમાં આશરે 3.1 કિમી ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે સાયક્લોનિક સર્ક્યુલેશન હજી યથાવત્ છે. સાથે જ મધ્ય અને ઉપરના ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનમાં આશરે 5.8 કિમી ઊંચાઈએ એક ટ્રફ પણ સક્રિય છે, જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં 1.5 કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત્ છે. આ દરમિયાન, સમગ્ર વિસ્તારમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. કચ્છના અનેક ગામડાઓમાં વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે સાંજના ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મોડસર, મોખાણામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જ્યારે અંજાર તાલુકાના હીરાપર સહિત આજુબાજુના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી વહી નીકળ્યા હતા. કમોસમી વરસાદને કારણે તલ, જુવાર, ઇસબગુલ, એરંડા, મગ, બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છના ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ, ચોબારી સહિતના ગામોમાં સોમવારે સાંજના અરસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં વાતાવરણ પલટાયુ ગતરોજ ખાંભા ગીરના ખડાધાર, પીપળવા સહિતના ગામડાઓમાં ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલી જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગીર જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને પગલે કેરીમાં નુકસાન થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ-ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ ગેરકાયદે દર્દીઓના ઓપરેશન કરતો, ગુનો નોંધાયો
    Next Article
    ભરૂચ જિલ્લાનું ધોરણ 10નું 84.15% પરિણામ:નાહીયેર કેન્દ્ર 97.88 ટકા સાથે મોખરે, 65 શાળાઓ 100%; 18,928 વિદ્યાર્થીઓમાંથી 525ને A1 ગ્રેડ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment