Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલ પાસે છકડો પલટ્યો, 5 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત:પાવાગઢથી પરત ફરતા બોડીદ્રા ગામના શ્રદ્ધાળુઓને ઈજા

    1 day ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામ નજીક એક છકડો રિક્ષા પલટી જતાં પાંચ મુસાફરોને ઈજા પહોંચી હતી. આ મુસાફરો પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કરીને તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. મધવાસ નજીક પહોંચતા છકડા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે છકડો રસ્તાની બાજુમાં પલટી ગયો હતો. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જે બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય નિમિષાબેન સુથારે આંબલીયાત-જોટગીયા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું:ગ્રામીણ કનેક્ટિવિટીને મળશે નવો વેગ
    Next Article
    માધવપુરમાં હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાયો:LCBએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment