Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેના નિવેદનથી ગુજરાતમાં રોષ:વલસાડમાં ભાજપના મૌન ધરણાં, માફીની માંગ

    2 days ago

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. ખડગેએ ગુજરાતની જનતાને 'અભણ અને મૂર્ખ' ગણાવતા ભાજપ આક્રમક બન્યું છે. આ નિવેદનના વિરોધમાં વલસાડના આઝાદ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વલસાડ ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આઝાદ ચોક ખાતે એકઠા થયા હતા. તેમણે હાથમાં 'અમે ગુજરાતીઓ અભણ નથી', 'ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે' અને 'ખડગે માફી માંગે' જેવા લખાણવાળા પ્લેકાર્ડ્સ અને બેનરો પ્રદર્શિત કર્યા હતા. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની આ માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે અને રાજ્યની જનતા આ અપમાન ક્યારેય સહન નહીં કરે. તેમણે કોંગ્રેસ પાસે બિનશરતી માફીની માંગ કરી હતી. આ પ્રસંગે ભાજપ અગ્રણી રાજા ભાનુશાલીએ જણાવ્યું હતું કે, "ખડગેજીએ ગુજરાતીઓને અભણ કહીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આ એ જ ગુજરાત છે જેણે અદાણી અને ટાટા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ દેશને આપ્યા છે. ગુજરાતીઓ હંમેશા હોશિયાર રહ્યા છે." તેમણે ચેતવણી આપી હતી કે જો માફી નહીં મંગાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:મંત્રી કૌશિક વેકરીયાની પ્રેરણાથી 'સફળતાનું સમીકરણ' કાર્યક્રમ સંપન્ન
    Next Article
    અજય દુધાણી ગેંગ સામે ગુજસીટોકનો કેસ:ફરાર આરોપી જશપાલસિંહના 9 દિવસના રિમાન્ડ મંજૂર, અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment