Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં':ઉચરપી ગામે મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર, વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના સ્થાનિકોના આક્ષેપ

    9 hours ago

    મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ઉચરપી ગામના ગ્રામજનોએ ટીપી સ્કીમ અને રસ્તાઓના આયોજનમાં મોટાપાયે થતી જમીન કપાતના વિરોધમાં આગામી મનપા સહિતની તમામ ચૂંટણીઓના બહિષ્કારનું એલાન કર્યું છે. વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગામમાં 'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં' તેવા બેનરો લગાવતા ચકચાર મચી છે. ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમ સ્થાનિક આગેવાન બાબુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, ઉચરપી ગામની ભૌગોલિક સ્થિતિ પહેલેથી જ મર્યાદિત જમીન ધરાવતી છે. ગામની આસપાસથી રાધનપુર-શામળાજી-ઈડર એમ બે હાઈવે પસાર થવાના છે, જેની વચ્ચે માંડ એક કિલોમીટરનું અંતર છે. આ મર્યાદિત વિસ્તારમાં ફરી 80 મીટરનો વિશાળ રિંગ રોડ અને 24 મીટરના ટીપી રોડ મંજૂર કરવામાં આવતા ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. વધુમાં, જમીનોને ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં સમાવી લેવા સામે પણ વિરોધ ઉઠ્યો છે. દૂધનો વ્યવસાય અને આજીવિકા ગુમાવવા જેવી સ્થિતિ ગામના યુવક ચિરાગ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર એવા ઉચરપી ગામની 50% થી વધુ જમીન રસ્તાઓ અને ટીપી-ડીપી સ્કીમોમાં કપાતમાં જઈ રહી છે. વર્ષ 2047ના ભાવિ આયોજનના નામે ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં અત્યારથી જ આકરા અમલીકરણને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કમોસમી વરસાદના લીધે ખેતીમાં પહેલેથી જ નુકસાન વેઠી રહેલા પરિવારો માટે હવે જમીન ગુમાવવી એટલે દૂધનો વ્યવસાય અને આજીવિકા કાયમ માટે ગુમાવવા જેવી સ્થિતિ છે. ગ્રામજનોની કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચરપીના ગ્રામજનોએ એકસૂરે માંગણીઓ કરી છે કે, નવા સૂચિત રસ્તાઓ અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન તાત્કાલિક રદ કરવામાં આવે. ગામને ફરીથી એગ્રીકલ્ચર (ખેતીલાયક) ઝોનમાં સમાવવામાં આવે અને બિનજરૂરી રિંગ રોડને બદલે જ્યાં ખરેખર જરૂર છે તેવા નેળિયામાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી મનપા જ નહીં પણ વિધાનસભા જેવી કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના વરિષ્ઠ નેતા 50 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા:સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષપલટો, ભાજપમાં ગાબડું
    Next Article
    ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક મેસેજ મામલે યુવતીની ફરિયાદ:યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment