Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના ખાંભલીયાના કૂવામાં ખાબકેલી સિંહણનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન:શિકારને દબોચવા પાછળ પડેલી સિંહણ 50 ફૂટ ઊંડા કૂવામાં ફસાઈ, કૂતરું નજીક છતાં હુમલો ન કર્યો

    6 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક એક સિંહણ શ્વાનનો શિકાર કરવા જતાં 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી. શ્વાન પણ કૂવામાં ખાબક્યો હતો. શિકારનો પીછો કરી રહી હતી, ત્યારે શ્વાન 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો અને તેની પાછળ સિંહણ પણ કૂવામાં પડી હતી. લગભગ પાંચ કલાકથી વધુ સમય સુધી સિંહણ અને શ્વાન કૂવામાં ફસાયેલા રહ્યા હતા. શિકાર અને શિકારી કૂવામાં હતા છતાં શિકાર કર્યો ન હતો. ત્યારબાદ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરીને બંનેને વારાફરતી બહાર કાઢ્યા હતા. સમગ્ર બનાવ શું છે? ખાંભલીયા ગામ નજીક વન્યજીવ અને શ્વાન વચ્ચેના રોમાંચક પીછો કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ સરપંચ આતા વાઘની વાડીમાં એક સિંહણ શ્વાનનો શિકાર કરવા પાછળ દોડી હતી. આ દિલધડક ઘટનામાં જીવ બચાવવા ભાગતું શ્વાન અચાનક 50 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. તીવ્ર ઝડપે દોડતી સિંહણ પણ ગતિ પર કાબૂ ન રાખી શકતા કૂવામાં ખાબકી હતી. સિંહણ કૂવામાં ગભરાઈ ને શાંત થઈ સામાન્ય રીતે હિંસક ગણાતી સિંહણ કૂવામાં ખાબક્યા બાદ ભારે ગભરાઈ ગઈ હોવાથી એકદમ શાંત થઈ ગઈ હતી. બીજી તરફ, શ્વાન પણ પોતાનો જીવ બચાવવા કૂવામાંથી બહાર નીકળવા સતત મથામણ કરી રહ્યું હતું. આ અકસ્માત અંગે વાડી માલિક આતાભાઈ વાઘને જાણ થતાં જ તેમણે તાત્કાલિક રાજુલા વન વિભાગને ઘટનાની માહિતી આપી હતી. વન વિભાગનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજુલા રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગે સૌપ્રથમ આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. જેથી રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ભારે જહેમત અને સાવચેતીપૂર્વક આયોજન કરીને વન વિભાગે સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણને એનિમલ કેર સેન્ટર ખસેડાઈ ટીમે કૂવામાંથી સિંહણને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ, કૂવામાં ફસાયેલા શ્વાનને પણ સહીસલામત બહાર કાઢ્યું હતું. રેસ્ક્યૂ કરાયેલી સિંહણને પ્રાથમિક સારવાર અને નિરીક્ષણ માટે તાત્કાલિક એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન વન કર્મચારીઓની સતર્કતાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વન વિભાગને જાણ કરાઈ વાડી માલિક આતાભાઈ વાઘે જણાવ્યું હતું કે, વાડીમાં કામ કરતા માણસોએ કૂવામાં સિંહણ અને શ્વાન પડ્યા હોવાની માહિતી આપી હતી. સિંહણનો જીવ બચી શકે તે માટે મેં તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેમણે આવીને બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા છે. સિંહો આપણા વિસ્તારનું ગૌરવ છે અને તેમના માટે અમે વાડી વિસ્તારમાં પાણીની કુંડીઓ પણ બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI લૂંટ કેસમાં માસ્ટરમાઇન્ડ એલેક્સનો સાગરીત બિહારથી ઝડપાયો:લૂંટના પૈસા લઈને રોહિત હરિદ્વાર-ઋષિકેશ અને કેદારનાથ ફર્યો, હજીરાથી ત્રણ દિવસ બેંકની રેકી કરી હતી
    Next Article
    સુરેન્દ્રનગર RTO એ 9 સ્કૂલ વાહનોને દંડ કર્યો:વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સઘન ચેકિંગ અભિયાન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment