Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '16 દિવસ...ઉપર આભ, નીચે ધરતી સિવાય વિકલ્પ નહીં':'સ્વૈચ્છિક ડિમોલિશન' સાબિત કરવા પીડિતો પર દબાણનો કોંગ્રેસનો આક્ષેપ, સુરતમાં સાયકલવાળાએ કહ્યું આર્થિક પ્રલોભનો અપાય છે

    1 week ago

    સુરતના નાસિરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનને આજે 16 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ અસરગ્રસ્તોનો આક્રોશ અને ન્યાય મેળવવાની લડત વધુ ઉગ્ર બની રહી છે. આ ગંભીર મુદ્દે હવે સુરતનું રાજકીય તાપમાન પણ ચરમસીમાએ પહોંચ્યું છે. કોંગ્રેસે આ મામલે મેદાનમાં આવીને બિલ્ડરો, વચેટિયાઓ અને વહીવટી તંત્રની મિલીભગત સામે ગંભીર આક્ષેપોની ઝડી વર્ષાવી દીધી છે. કોંગ્રેસનો આરોપ છે કે પીડિતોનો અવાજ દબાવી દેવા માટે પડદા પાછળ સામ-દામ-દંડ-ભેદની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. ''સ્વૈચ્છિક ડિમોલિશન' સાબિત કરવા પીડિતો દબાણ' કોંગ્રેસના સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર, ડિમોલિશનનો વિવાદ કાયદાકીય ગૂંચમાં ન ફસાય તે માટે બિલ્ડર લોબી અને સંબંધિત તત્વો દ્વારા અસરગ્રસ્ત પરિવારો પર માનસિક દબાણ લાવવામાં આવી રહ્યું છે. પીડિત પરિવારોને એકઠા કરીને તેમની પાસે એવું નિવેદન આપવા માટે સમજાવટ અને ધાક-ધમકીનો સહારો લેવાઈ રહ્યો છે કે, આ મકાનો વહીવટી તંત્ર દ્વારા નહીં, પરંતુ તેઓએ પોતે જ સ્વૈચ્છિક રીતે તોડી પાડ્યા છે. આ સમગ્ર ખેલ વિવાદ પર ઠંડું પાણી રેડવા માટે અને કાયદાની નજરમાંથી બચવા માટે ખેલાઈ રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ પણ વાંચો...‘રાજદીપસિંહ નકુમે સોપારી લીધી હતી?’, સાયકલવાલાએ કહ્યું- જનરલ ડાયરની ભૂમિકા ભજવી વચેટિયાઓ સક્રિય, વૈકલ્પિક રહેઠાણ-આર્થિક સહાયની લાલચ સૂત્રો અને કોંગ્રેસના દાવા મુજબ, આ વિવાદ વધુ લાંબો ન ખેંચાય અને કોર્ટ સુધી મામલો ન પહોંચે તે માટે પડદા પાછળ એક મોટું સંપર્ક અભિયાન તેજ કરી દેવાયું છે. મનપા, પોલીસ તંત્ર અથવા બિલ્ડરોના વચેટિયા દલાલો અને સગા-સંબંધીઓ મારફતે પીડિતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રહેઠાણ, આર્થિક વળતર અને અન્ય સરકારી સુવિધાઓની ખાતરી આપીને મામલો થાળે પાડવા માટે પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, જેથી કરીને તંત્ર સામેનો વિરોધ નબળો પાડી શકાય. ભાસ્કર ઈન્વેસ્ટિગેશનઃ ઉપરથી સૂચના આવી ને મનપાના કર્મચારીએ જ ટોરેન્ટને નાસીરનગરમાં પાવર કટ કરવા ફોન કર્યો કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાનો પ્રહાર આ સમગ્ર વિવાદ અંગે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે, આજે નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારોને ખુલ્લા આકાશ નીચે જીવતા 16 દિવસ થઈ ગયા છે. તેમની પાસે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ સ્થિતિમાં તેમને એન-કેન પ્રકારે નમાવવા અને સ્વેચ્છિક ડિમોલિશન સ્વીકારવા માટે સામ, દામ, દંડની નીતિ અપનાવાઈ રહી છે. 70 ટકા પરિવારો અન્યાય સામે અડીખમ યોદ્ધાની જેમ લડશે તેમણે વધુમાં ઉમેર્યું કે, અહીં 84 એવા પરિવારો છે, જેમના આશિયાના બિલકુલ નસ્ત-નાબૂદ કરી દેવાયા છે. આ લોકો સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર SOG પોલીસના અત્યાચાર અને અન્યાયનો ભોગ બન્યા છે. વચેટિયાઓ ગમે તેટલા આર્થિક પ્રલોભનો આપે, પણ અમને પૂરો વિશ્વાસ છે કે 70 ટકાથી વધુ પરિવારો ન્યાય મેળવવા અને અત્યાચાર કરનારાઓને સજા અપાવવા માટે અડીખમ યોદ્ધાની જેમ ઊભા રહેશે. તેઓ કોઈ લાલચમાં આવવાના નથી. ડિમોલિશન કોણે અને કયા કાયદા હેઠળ કર્યું? નાસીરનગર ડિમોલિશન કાંડમાં પ્રથમ દિવસથી જ એક મોટો સવાલ વણઉકલ્યો રહ્યો છે જે આજે 16મા દિવસે પણ યથાવત્ છે. આટલા મોટાપાયે થયેલી તોડફોડની કાર્યવાહી આખરે કોના આદેશથી કરવામાં આવી? સુરત મહાનગરપાલિકા પાસે આનો કોઈ લેખિત ઓર્ડર હતો કે કેમ? અને કયા કાનૂની આધારે ગરીબોના ઘર તોડી પડાડવામાં આવ્યા? આ તમામ બાબતો પર હજુ સુધી મનપા કે પોલીસ તંત્ર દ્વારા કોઈ સત્તાવાર અને સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નથી, જેને કારણે તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. આ પણ વાંચો: DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા 16 જૂન સુધીમાં ચીફ આશિષ નાયક પાસે રિપોર્ટ મંગાયો નાસિરનગર ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં મનપાના કર્મચારીઓની સંડોવણી બહાર આવતા જ મનપા કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે 6 સભ્યોની હાઈ-લેવલ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ હાલ યુદ્ધના ધોરણે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. તપાસ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ ત્યારે જ કમિટીએ આક્રમક વલણ અપનાવતા સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકને એક કડક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં આદેશ કરાયો છે કે નાસીરનગરમાં જે ડિમોલિશન થયું તે દરમિયાન કઈ કઈ કામગીરી કરવામાં આવી, કોના આદેશથી સ્ટાફ મોકલાયો અને કયા નિયમો હેઠળ આ કાર્યવાહી થઈ, તેનો સંપૂર્ણ વિગતવાર રિપોર્ટ આગામી 16મી જૂન સુધીમાં સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસમાં કયા મોટા માથાના નામ સત્તાવાર રીતે બહાર આવે છે.
    Click here to Read More
    Previous Article
    કિશોરીને હેરાન કરવા બદલ યુવકની હત્યા:પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી; એક જ સમાજ અને ગામના હોવાથી 2 મહિના પહેલાં ઘરમેળે સમાધાન કર્યું હતું
    Next Article
    હિંમતનગરમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી:રેડક્રોસ ખાતે રક્તદાતાઓ અને પાલિકા સદસ્યોનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment