Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નપત્રિકા વાઈરલ:ખરાતની પુત્રીના લગ્નમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી

    13 hours ago

    અનેક મહિલાઓનું જાતીય શોષણ કરનારા અને છેતરપિંડી કરનારા ઢોંગી બાબા અશોક ખરાત વિશે રોજ વિસ્ફોટ માહિતી સામે આવી રહી છે. હવે ખરાતની પુત્રીની લગ્નપત્રિકા વાઈરલ થઈ છે, જેમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી, જે દર્શાવે છે કે ખરાતને મોટા રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા.ખરાતની પુત્રી તૃપ્તબાલાની લગ્નપત્રિકાનો ફોટો સામે આવ્યો છે. તે કાર્ડ પર રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે, મંત્રી ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, રૂપાલી ચાકણર, મિલિંદ નાર્વેકર અને દીપક કેસરકરનાં નામ મુખ્ય મહેમાનો તરીકે લખાયેલાં છે. ખરાતની પુત્રીના લગ્નમાં મહારાષ્ટ્રના ઘણા રાજકારણીઓ હાજર રહ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ખરાત રાજકારણીઓ સાથે કેટલો નિકટ હતો.આ રાજકીય નેતાઓ ખરાતના નિયમિત સંપર્કમાં હતા. ખરાત વગર તેઓ એક પત્તું પણ ખસેડતા નહોતા. ખરાત આ નેતાઓને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની ચોક્કસ તારીખ અને સમય પણ આપતો હતો. નવી માહિતી સામે આવી છે કે સંપર્કમાં રહેલા નેતાઓ ખરાતની સલાહ વિના કોઈ રાજકીય નિર્ણય લેતા નહોતા. રાષ્ટ્રવાદી શરદચંદ્ર પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે પોલીસ કસ્ટડીમાં ઢોંગી ખરાતને આત્મહત્યા બતાવીને કે બીજું કંઈક કરીને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ઘણા લોકો વિશે ઘણું બધું જાણતા ઢોંગી ખરાતની માહિતી મોટા નેતાઓ સુધી પહોંચી ગઈ છે. તેથી, આત્મહત્યા કે બીજું કંઈક કરીને તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દાવાને કારણે, ઢોંગી ખરાતની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખરાત પર ઘણી મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. તેની સામે નાશિક પોલીસમાં 10 જેટલા કેસ નોંધાયેલા છે. આમાંથી 8 કેસ જાતીય શોષણના છે, જ્યારે બાકીના 2 કેસ નાણાકીય છેતરપિંડીના છે. ખરાત સાથેના તેમના જોડાણને કારણે, શાસક રાષ્ટ્રવાદીનાં નેતા રૂપાલી ચાકણકરને રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષ અને પછી રાષ્ટ્રવાદી મહિલા પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપવું પડ્યું છે. હવે તેમની પણ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે. ઉપરાંત, રાષ્ટ્રવાદીના સુનીલ તટકરે અને શિંદે જૂથના દીપક કેસરકર સહિત ઘણા નેતાઓનાં નામ આ કેસમાં સામે આવ્યાં હોવાથી, તેમની પણ તપાસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જોતાં રોહિત પવારે ઉપરોક્ત આરોપ લગાવ્યો છે.રોહિતે જણાવ્યું કે દોષિતોને સજા થવી જ જોઈએ, પરંતુ જો સત્યને દબાવવા માટે કોઈનો જીવ લેવામાં આવી રહ્યો હોય અથવા સત્યને દબાવવા માટે કોઈને અપરાધભાવથી બચાવવામાં આવી રહ્યો હોય, તો આ બંને બાબતો યોગ્ય નથી.
    Click here to Read More
    Previous Article
    તપાસ:ઢોંગી બાબા ખરાત ચાર અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો
    Next Article
    દુર્ઘટના:વિરારના કચ્છી વાગડ સમાજના યુવાનનું વડોદરા નજીક ટ્રેન અકસ્માતમાં મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment