Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ઈસનપુરનો ફરાર આરોપી ખંભાતથી ઝડપાયો:જામીન પર છૂટ્યા બાદ પોલીસને હાથતાળી આપી હતી

    14 hours ago

    અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં 2021માં નોંધાયેલા ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલા આરોપી જમશેદખાન જોરાવરખાન પઠાણને ખંભાત શહેર પોલીસે તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો છે. જમશેદખાન પઠાણ, જે સાલવા રસુલબાદ સોસાયટી, કદમે રસુલ પાસે, ખંભાતનો રહેવાસી છે, તે ઈસનપુર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નંબર-3976/2021 મુજબના ગુનામાં આરોપી હતો. જામીન પર મુક્ત થયા બાદ તે પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો, જેના કારણે તેને 'ફરાર' જાહેર કરવામાં આવ્યો હતો. ખંભાત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.બી. કુંપાવતના માર્ગદર્શન હેઠળ, ખંભાત સિટી પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણે અલગ-અલગ ટીમો બનાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન ખંભાત સિટી પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહને બાતમી મળી હતી કે ફરાર આરોપી જમશેદખાન તેના ખંભાત સ્થિત નિવાસસ્થાને છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રયાસ મામલે લોકભારતી સ્કૂલના ટ્રસ્ટી મેદાને:કહ્યું- સ્ટાફની ભૂલ જણાશે તો કડક પગલાં લેવાશે, સુસાઈડ નોટ અને નોટબુકના અક્ષરોમાં મોટો તફાવત
    Next Article
    વાળુકડના રવિ રબારી મર્ડર પ્રકરણે 3 શખસોની ધરપકડ:યુવકે દીકરી સાથે કરેલા પ્રેમલગ્ન મંજુર ન પિતાએ હત્યાનો ઘડયો હતો પ્લાન, આરોપીઓ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment