Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 'નલ સે જલ' યોજનામાં પાંચ વર્ષે પણ પાણી નહીં:ધારાસભ્યની ખાતરી, 3-4% કામ બાકી; ટૂંક સમયમાં મળશે પાણી

    2 days ago

    ભરૂચ તાલુકાના નંદેલાવ, રાહડપોર, ચાવજ અને ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારોમાં ગુજરાત સરકારની મહત્ત્વાકાંક્ષી 'નલ સે જલ' યોજના હેઠળ ઘરે ઘરે મીઠું પાણી પહોંચાડવાની કામગીરી વર્ષો પહેલા શરૂ થઈ હતી. પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાની જવાબદારી વાસ્મો એજન્સીને સોંપવામાં આવી હતી. જોકે, યોજના શરૂ થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં, આજે પણ અનેક વિસ્તારોમાં લોકોને ઘરે ઘરે મીઠું પાણી મળી રહ્યું નથી. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ યોજના સંપૂર્ણપણે કાર્યરત ન થતાં સ્થાનિકોમાં વ્યાપક રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ વિધાનસભાના નવ ગામોને પીવાનું મીઠું પાણી પૂરું પાડવા માટે ચાવજ ખાતે સંપ અને પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. ચાવજથી વિવિધ ગામોમાં પાણી પહોંચાડવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. ધારાસભ્યના મતે, માત્ર ત્રણથી ચાર ટકા કામગીરી બાકી રહી છે. ભરૂચ અને અમલેશ્વર વચ્ચે નર્મદા યોજના બ્રાન્ચ કેનાલ ક્રોસ કરીને પાઇપલાઇન જોડાણ કરવાની કામગીરી બાકી છે. એસ.એન.એલ.ની પરવાનગી ન મળવાના કારણે આ કામગીરીમાં વિલંબ થયો હતો. ધારાસભ્યએ ખાતરી આપી હતી કે નજીકના ભવિષ્યમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરીને લોકોને ઘરે ઘરે મીઠું પાણી પહોંચાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં લગ્ન પ્રસંગ બન્યો લોહિયાળ:જમવામાં પુલાવ હોવાનું કહેતા વર અને કન્યા પક્ષ વચ્ચે મારામારી, રસોડાના સાધનો અને તીક્ષ્ણ હથિયારોથી એકબીજા પર તૂટી પડ્યા
    Next Article
    અમદાવાદથી ધોલેરા 30 મિનિટમાં પહોંચાશે:ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે; 20,665 કરોડના સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment