Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો:તંત્ર સતર્ક, અફવાઓથી દૂર રહેવા અપીલ; કાળા બજાર સામે કાર્યવાહી

    17 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા તંત્રએ આ અંગે સ્પષ્ટતા કરી છે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરએ જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન મજબૂત બનાવવા સૂચના આપી હતી. તેમણે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર પહોંચે તે માટે તંત્રને વધુ સક્રિય બનવા જણાવ્યું હતું. ગેસ પુરવઠાની સમીક્ષા કરતાં કલેક્ટરએ પાઈપ નેચરલ ગેસ (PNG)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, મધ્યાહન ભોજન કેન્દ્રો અને સામાજિક સંસ્થાઓમાં PNG કનેક્શનને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ હતી. ડબલ કનેક્શન ધરાવતા નાગરિકોને વધારાના LPG સિલિન્ડર સરેન્ડર કરવા પણ અપીલ કરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ 21 ગેસ એજન્સીઓ કાર્યરત છે, જ્યાં 6209 સિલિન્ડર ઉપલબ્ધ છે અને 2912 સિલિન્ડરનો સ્ટોક માર્ગમાં છે. આ ઉપરાંત, 125થી વધુ પેટ્રોલપંપ અને 10થી વધુ CNG પંપ દ્વારા ઇંધણનો પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. તંત્ર દ્વારા રોજિંદા ધોરણે સ્ટોકનું મોનીટરીંગ કરવામાં આવે છે. કલેક્ટરએ નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં ગભરાટ સર્જવાને બદલે તંત્ર પર વિશ્વાસ રાખવો જરૂરી છે. સંગ્રહખોરી અને કાળા બજાર સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. 16 માર્ચથી 26 માર્ચ દરમિયાન દસ દિવસમાં કુલ 71 તપાસણીઓ હાથ ધરાઈ હતી, જેમાં રૂ. 6.14 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગેરરીતિ રોકવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત ઓઈલ કંપનીઓ, ગેસ એજન્સીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. તંત્રની સજાગ કામગીરીને કારણે હાલ જિલ્લામાં પુરવઠાની સ્થિતિ સ્થિર છે અને નાગરિકોને ગભરાવાની કોઈ જરૂર નથી.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઇન 9 વર્ષ પછી ફરી શરૂ થશે:PM મોદી આવતીકાલે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપશે, આજે ટ્રાયલ રન
    Next Article
    દાહોદમાં ઈંધણ-ગેસના પુરવઠા અંગે કલેક્ટરની બેઠક:તમામ પેટ્રોલ પંપોએ દૈનિક રિપોર્ટ સોંપવો પડશે, ગેસ એજન્સીઓને ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપી બનાવવા અને નવા કનેક્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવા કલેક્ટરનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment