Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબા અશોક ખરાત કેસ:અશોક ખરાત સાથે સંબંધ બાદ વિવાદ ઉગ્ર બનતાં ચાકણકરને હટાવી દેવાયાં

    6 days ago

    નાશિકના અત્યાચારી બાબા અશોક ખરાત કેસમાં હવે એક મોટી માહિતી સામે આવી છે. વિવાદ વકરતાં રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકર મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના વર્ષા નિવાસસ્થાને મળ્યાં હતાં. આ બેઠક દરમિયાન વિગતવાર ચર્ચા કર્યા પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય મંત્રીએ ચાકણકરને તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ ચાકણકરે શુક્રવારે મોડી સાંજે ઉપ મુખ્ય મંત્રી સુનેત્રા પવારને મળીને રાજીનામું સુપરત કર્યું. તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી રહ્યાં છે. સેંકડો મહિલાઓના જાતીય શોષણના આરોપી અશોક ખરાત સાથે રૂપાલી ચાકણકરના કેટલાક ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયા હતા. ખાસ કરીને ચાકણકર અત્યંત મહત્ત્વપૂર્ણ હોદ્દા પર હોવાથી ખરાતના ગંભીર પ્રકરણને લઈ રાજ્યભરમાં તેમની ટીકા થઈ રહી હતી અને વિવિધ રાજકીય સ્તરોમાંથી તેમના રાજીનામાની જોરદાર માગણીઓ થઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓના અધિકારોનું રક્ષણ કરતા પંચનાં અધ્યકક્ષા હોવા છતાં આવી વિવાદાસ્પદ વ્યક્તિ સાથેના તેમના સંબંધોને કારણે સર્જાયેલા વિવાદને કારણે સરકારે આખરે આ કડક નિર્ણય લીધો. રોહિત પવારે ટ્વીટ કર્યું કે મુખ્ય મંત્રીએ મહિલા પંચનાં અધ્યક્ષાને રાજીનામું આપવાનો આદેશ આપ્યો છે તે સમજી શકાય છે. આ માટે મુખ્ય મંત્રીનો આભાર, પરંતુ ફક્ત રાજીનામું આપવાનું પૂરતું નથી, પરંતુ આ મામલાના તળિયે જવા માટે પારદર્શક તપાસ થવી જોઈએ અને જેમ અમોલ મિટકરી કહી રહ્યા છે, શું આ ઢોંગી બાબા અને અજિત પવારના વિમાન દુર્ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તેની ઊંડાણથી તપાસ થવી જોઈએ. શિવસેના ઠાકરે જૂથના નેતા સુષ્મા અંધારેએ કહ્યું કે, જો ગૃહમંત્રીએ રાજીનામું આપવાનો આદેશ આપ્યો હોય તો તે આવકાર્ય છે. પરંતુ દુઃખની વાત છે કે રાજ્યના વાસ્તવિક નેતૃત્વ તરીકે રાજ્યના પ્રથમ મહિલા ઉપ મુખ્ય મંત્રી અને આ રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં પ્રમુખ સુનેત્રા પાસેથી આ ભૂમિકા વધુ અપેક્ષા રાખવામાં આવતી હતી. દુર્ભાગ્યવશ, તેમણે આ તક ગુમાવી દીધી. ગમે તે હોય, અમારી લડાઈ ચાલુ રહેશે. ચાકણરને સહ-આરોપી તરીકે ધરપકડ કરો એવી અમારી માગણી છે. દરમિયાન, રૂપાલી ચાકણકરે એક ટ્વીટમાં માહિતી આપી છે કે તેઓ આજે મુંબઈમાં પોલીસ મહાનિર્દેશક સદાનંદ દાતેને મળ્યાં હતાં અને રાજ્ય મહિલા પંચ વતી તેમને એક પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં, એવી માહિતી આપવામાં આવી છે કે અશોક ખરાત મહિલા અત્યાચાર કેસમાં ઊંડાણથી તપાસ થવી જોઈએ અને ઉચ્ચ સ્તરીય તપાસ દ્વારા આ મામલાનું સત્ય બહાર આવે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે તેમના સ્તરેથી સૂચનાઓ આપવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    દેવેન્દ્ર ફડણવીસને તપાસ માટે પત્ર:અજિત પવાર વિમાન દુર્ઘટના સાથે બાબાનું કનેકશન
    Next Article
    મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો:ઠગબાબા સાથે ચાકણકરના સંબંધને લઈને થયેલા વિવાદમાં રાષ્ટ્રવાદીએ પણ ઝંપલાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment