Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવેન્દ્ર ફડણવીસને તપાસ માટે પત્ર:અજિત પવાર વિમાન દુર્ઘટના સાથે બાબાનું કનેકશન

    6 days ago

    સેલિબ્રિટીઓ અને રાજકીય નેતાઓના વિશ્વાસુ બની બેઠેલા અને મહિલાઓ સાથે જાતીય અત્યાચારના કેસમાં સપડાયેલા અશોક ખરાત ઉર્ફે ઠગબાબાનું કનેકશન હવે અજિત પવાર વિમાન દુર્ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે. શરદ પવાર જૂથના વિધાનસભ્ય અમોલ મિટકરીએ આ અંગે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને તપાસ માટે પત્ર લખ્યો છે. મિટકરીએ અનુસાર ૧૮/૧૯/૨૦ નવેમ્બર, ૨૦૨૫! આ દિવસો અનુક્રમે શિવરાત્રિ અને અમાવસ્યા હતી. આ સમયગાળા દરમિયાન, અજિતદાદાના નિવાસસ્થાન સહયોગ સોસાયટી વિસ્તારમાં ભીગવાન રોડ પર અઘોરી પૂજા કરવામાં આવી હતી. શિવલિકા આશ્રમ ભગવાન શિવની પૂજા માટે છે, પરંતુ આ આશ્રમમાં ખાત અઘોરી પૂજા કરતો હતો. આટલા વર્ષો સુધી અજિત દાદા સાથેના મારા સંબંધમાં મેં એક વાતનો અનુભવ કર્યો હતો, દાદા ધાર્મિક વિધિઓમાં બિલકુલ માનતા નહોતા. તેઓ આવી બકવાસ સહન કરતા નહોતા. જોકે, આ કિસ્સામાં, અશોક ખરાતનું VSR (દુર્ઘટનાગ્રસ્ત વિમાનની કંપની) કનેક્શન બહાર આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે, ૨૭ જાન્યુઆરીએ કાર દ્વારા પુણે જઈ રહેલા દાદા ૨૮મી તારીખે સવારે VSR ગયા હતા, તે કોની સલાહ પર હતું? આ ઢોંગી બાબાના ભક્ત કોણ હતા? જો ૧૬ નવેમ્બરથી ૩૧ જાન્યુઆરી વચ્ચે આ બાબા અને આશ્રમના પૂજારીઓનો સીડીઆર કાઢવામાં આવે તો દાદાનું મૃત્યુ કેવી રીતે થયું તે આખી વાત સાફ થઈ જશે. તેમણે મુખ્ય મંત્રીને પણ પત્ર લખીને આ અંગે ઊંડાણથી તપાસ કરવા માગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકની ખાતરી:વૈશ્વિક તણાવથી ST સેવામાં અવરોધ પેદા નહીં થાય
    Next Article
    બાબા અશોક ખરાત કેસ:અશોક ખરાત સાથે સંબંધ બાદ વિવાદ ઉગ્ર બનતાં ચાકણકરને હટાવી દેવાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment