Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાગવત બોલ્યા- યુદ્ધ વર્ચસ્વની લડાઈનું પરિણામ:દુનિયાના ઘણા દેશો માને છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ભારત જ રોકાવી શકે; નાગપુરમાં સંબોધન

    6 days ago

    RSS પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે કહ્યું કે દુનિયામાં સંઘર્ષોનું સાચું કારણ સ્વાર્થી હિત અને વર્ચસ્વની ચાહત છે. સ્થાયી શાંતિ ફક્ત એકતા, અનુશાસન અને ધર્મને માનવાથી જ મેળવી શકાય છે. ભાગવત નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયનો શિલાન્યાસ કર્યા બાદ એક સભાને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું- છેલ્લા 2,000 વર્ષોથી દુનિયાએ સંઘર્ષોને ઉકેલવા માટે ઘણા વિચારો પર પ્રયોગ કર્યા છે, પરંતુ તેમને બહુ ઓછી સફળતા મળી છે. RSS ચીફે એમ પણ કહ્યું કે ભારત માનવતાના નિયમનું પાલન કરે છે, જ્યારે દુનિયાના બીજા દેશો 'યોગ્યતમની ઉત્તરજીવિતા' (સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ) માં વિશ્વાસ રાખે છે. ભાગવતના નિવેદનની મુખ્ય વાતો… RSSને 86 વિભાગોમાં વહેંચવાની વાત કરી, પરંતુ રીત બદલાશે નહીં નાગપુરમાં એક મરાઠી અખબારના 100 વર્ષ પૂરા થવા પર ગુરુવારે ભાગવતે જણાવ્યું કે સ્વયંસેવકોને મજબૂત બનાવવા અને કામ વધુ સારું કરવા માટે સંગઠનમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ભાગવતે કહ્યું કે RSSનું કામ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે, તેથી હવે કામને અલગ-અલગ ભાગોમાં વહેંચીને વિકેન્દ્રીકરણની શરૂઆત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પહેલા RSSમાં 46 પ્રાંત હતા, હવે તેમને વધારીને નાના-નાના એકમો એટલે કે 86 વિભાગોમાં વહેંચવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે કામ સરળતાથી અને સારી રીતે થઈ શકે. ભાગવતે કહ્યું કે સંઘની કામ કરવાની રીત બદલાશે નહીં. મિત્રતા કરીને અને સારા ઉદાહરણો આપીને સમાજમાં પરિવર્તન લાવવું એ જ સંઘની મુખ્ય રીત છે, અને તે આગળ પણ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026:સોશિયલ મીડિયાનું 'સ્ક્રોલિંગ' Gen Z માટે ઝેર સમાન, છુપી રીતે ખુશીઓને ખત્મ કરતું શસ્ત્ર
    Next Article
    માવઠાએ આજે ગીરનો વારો લીધો, કેસર કેરી પર મોટો ખતરો:ઉના-ગીર ગઢડા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ; રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment