Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવના વેપારીને ધમકાવનાર વિરુદ્ધ એટ્રોસિટી‎:ભાજપનો પ્રમુખ છું, ફરિયાદ પાછી ખેંચી લેજે નહીંતર પત્તો નહીં લાગે

    1 week ago

    સતલાસણા તાલુકાના વાવ ખાતે વેપારીને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોતે ભાજપનો પ્રમુખ હોવાનો દાવો કરી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. આ મામલે સતલાસણા પોલીસે સરતનપુર (ગઢ) ગામના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સતલાસણાની વાવ ચોકડી પર જય અંબે શક્તિ પાર્લર ચલાવતા કાનજીભાઈ રણછોડભાઇ સેનમાના ભાણા કિરણકુમારના ગત 7 ફેબ્રુઆરીએ કેશરપુરામાં લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં ગામના નરેશજી દશરથજી ઠાકોરે વીડિયો ઉતાર્યો હતો. બાદમાં 8 ફેબ્રુઆરીએ કેશરપુરા ગામ નામના સોશિયલ ગ્રુપમાં મેસેજ કરાયો. જેમાં વેપારીના સમાજના લોકોને સામાજિક બહિષ્કાર કરવાની વાત લખાઈ હતી. આ મેસેજ અને બાદમાં થયેલા ફોનથી વ્યથિત થઈ કાનજીભાઈએ સતલાસણા પોલીસ સ્ટેશનમાં નરેશજી ઠાકોર વિરુદ્ધ અરજી આ પી હતી. આ વાતની અદાવત રાખી ગત 11 માર્ચે તેઓ દુકાને હાજર હતા, ત્યારે સરતનપુર (ગઢ) ગામના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ ત્યાં ગયા હતા. તેમણે અરજી પાછી ખેંચવા દબાણ કર્યું હતું. ના પાડતાં ઉશ્કેરાઈ અપશબ્દો બોલી હું ભાજપનો પ્રમુખ‎છું, તારો ધંધો બગાડી નાખીશ અને‎ખોટા કેસમાં ફસાવી દઈશ, પત્તો નહીં‎લાગે કહી જાનથી મારી નાખવાની‎ધમકી આપી હતી. જે મામલે‎વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.‎
    Click here to Read More
    Previous Article
    ફૂડવિભાગની કાર્યવાહી:ડીસા GIDCમાં 6.14 લાખનું 929 લિટર શંકાસ્પદ ઘી જપ્ત
    Next Article
    25થી વધુ સ્થળે કોમ્પલેક્ષોના સાઇડ બેનરોને નુકસાન:તોફાની પવનથી મહેસાણામાં હોર્ડિંગ્સ ફાટ્યા,બે પોલ પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment