Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા:તમિલનાડુથી લાવવામાં આવેલા શ્રી રામ યંત્રની પૂજા કરી, મંદિર પરિસરમાં ફર્યા

    19 hours ago

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવરાત્રીના પહેલા દિવસે અયોધ્યાના રામ મંદિર પહોંચ્યા હતા. તેમણે રામલલ્લાના દર્શન કર્યા હતા અને પછી બીજા માળે રામ દરબારમાં શ્રી રામ યંત્ર સ્થાપિત કર્યું હતું. તે પહેલાં, તેમણે રામ મંદિર સંકુલની મુલાકાત લીધી હતી. અયોધ્યામાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ નું સ્વાગત કર્યું. બંને નાયબ મુખ્યમંત્રીઓ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ હાજર હતા. ત્યાંથી, રાષ્ટ્રપતિ સીધા રામ મંદિર ગયા અને ભગવાન રામના દર્શન કર્યા. રાષ્ટ્રપતિ શ્રીરામ યંત્રની સ્થાપનાના પૂજન કાર્યક્રમમાં પણ ભાગ લીધો. અયોધ્યામાં લગભગ 5 કલાક રોકાયા બાદ તેઓ બપોરે 3 વાગ્યે મથુરા જવા માટે રવાના થશે. મથુરામાં રાષ્ટ્રપતિ ઇસ્કોન અને પ્રેમ મંદિરમાં દર્શન કરશે. શુક્રવારે એટલે કે 20 માર્ચે તેઓ પ્રેમાનંદ મહારાજને મળશે. રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા પછી રાષ્ટ્રપતિનો આ બીજો અયોધ્યા પ્રવાસ છે. આ પહેલા તેઓ 1 મે 2024 ના રોજ અયોધ્યા આવ્યા હતા, ત્યારે તેમણે હનુમાનગઢી અને રામ મંદિરમાં દર્શન-પૂજન કર્યું હતું. રામ યંત્ર વિશે જાણો રામ યંત્રને કાંચીપુરમ (તમિલનાડુ) સ્થિત મઠમાં તૈયાર કરવામાં આવ્યું. ત્યારબાદ તેને કાંચીપુરમથી તિરુપતિ (આંધ્ર પ્રદેશ) લાવવામાં આવ્યું. પછી રથયાત્રા દ્વારા 10 દિવસ પહેલા તેને અયોધ્યા પહોંચાડવામાં આવ્યું. રામ યંત્રનું વજન 150 કિલો છે. તેના પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. અયોધ્યાના જ્યોતિષાચાર્ય રઘુનાથ દાસ શાસ્ત્રીએ જણાવ્યું- રામ યંત્ર એક વિશેષ વૈદિક ભૌમિતિક સંરચના છે. તેમાં ભગવાન શ્રીરામ અને અન્ય દેવી-દેવતાઓની દિવ્ય ઊર્જાને મંત્રો અને આકૃતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. તેને અત્યંત શુભ અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. રાષ્ટ્રપતિના અયોધ્યા પ્રવાસ સંબંધિત અપડેટ્સ જાણવા માટે લાઇવ બ્લોગ જુઓ-
    Click here to Read More
    Previous Article
    કતારનો ઈરાની અધિકારીઓને 24 કલાકમાં દેશ છોડવા આદેશ:ગેસ પ્લાન્ટ પર હુમલા બાદ કાર્યવાહી, ઈરાનમાં પોલીસકર્મીઓની હત્યાના 3 આરોપીઓને ફાંસી
    Next Article
    સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી,પ્રદીપ ગુરુજીની ધરપકડ:આયુષ મંત્રાલયના બોર્ડવાળી ફોર્ચ્યુનરમાં હેરાફેરી કરતા, સુરતમાં 2 કરોડની કરન્સી છાપી, પહેલી ડીલમાં અમદાવાદ આવ્યા ને ઝડપાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment