Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી,પ્રદીપ ગુરુજીની ધરપકડ:આયુષ મંત્રાલયના બોર્ડવાળી ફોર્ચ્યુનરમાં હેરાફેરી કરતા, સુરતમાં 2 કરોડની કરન્સી છાપી, પહેલી ડીલમાં અમદાવાદ આવ્યા ને ઝડપાયા

    19 hours ago

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે. ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી’ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરાયા છે. અમરાઇવાડીમાંથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા છ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે જે અમદાવાદમાં બનાવટી ચલણી નોટનો જથ્થો આપવા માટે આવ્યા હતા. નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાળપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. સુરતમાં રેડ કરી પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરી પોલીસે આરોપીઓની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે આ ચલણી નોટ સુરતના વરાછા ખાતે છાપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની એક ટીમ વરાછા પહોચી ગઈ છે અને સ્થાનિક પોલીસની મદદ લઈને જ્યા નોટ છાપી રહ્યા હતા ત્યારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ચલણી નોટ પ્રિન્ટ કરવાનું મશીન સહિતની સામગ્રીઓ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યુ છે. અસલી 500 આપો અને નકલી 1500 લઈ જાવ ઝડપાયેલા આરોપીઓએ ચલણી નોટને બજારમાં ફરતી કરવા માટે એક સ્કીમ રાખી હતી કે ઓરીજનલ ચલણી નોટ આપો અને ડુપ્લીકેટ લઈ જાઓ. ઝડપાયેલા તત્વોએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે 500 રૂપિયા ઓરીજનલ આપો અને 1500 રૂપિયા ડુપ્લીકેટ લઈ જાઓની સ્કીમ ચાલુ કરી હતી. બે કરોડ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટની સામે 66 લાખની અસલ ચલણી નોટ આપવાની હતી. દેશભરમાં ફેક કરન્સી પહોંચાડવા એજન્ટોની ફૌજ બનાવવાની તૈયારી આરોપીઓએ નકલી નોટ છાપવાની હજુ શરૂઆત જ કરી હતી અને તેવામાં તે સંકજામાં આવી ગયા છે. પહેલી વખત ડીલ કરવા માટે આરોપીઓ નીકળ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ છે. સુરતથી આખુ નકલી નોટ બનાવવું રેકેટ ચાલી રહ્યુ હતું જેમાં એજન્ટો બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. દેશના ખુણેખુણે આરોપીઓએ બનાવેલી ચલણી નોટ પહોચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરુ કર્યુ હતું. સારુ કમીશન આપવાની લાલચ આપીને એજન્ટોની ફૌજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પંચનામુ કરવામાં પરસેવો છૂટ્યો ક્રાઇમ બ્રાંચે 500ના દરની 40 હજારથી વધુ નોટ કબજે કરી લીધી છે જેનુ પંચનામું મોડી રાતથી ચાલુ છે. 40 હજાર નોટના સીરીયલ નંબર લખવામાં અને ત્યારબાદ તેનુ પંચનામુ કરવામાં ક્રાઈમ બ્રાંચનો પરસેવો છૂટી ગયો છે. ક્રાઇમ બ્રાંચની મોટાભાગની ટીમો હાલ આ કામગીરી કરવા માટે લાગી ગઈ છે. વિવાદિત યોગ ગુરુ યોગગુરુ પ્રદીપ વર્ષ 2018માં ચર્ચામાં આવ્યો હતો. શહેરમાં આવેલા કામરેજ ધોરણ પારડી સ્થિત 'સત્યમ ફાઉન્ડેશન' આશ્રમમાં યોગ શીખવતા યોગગુરુ પ્રદીપએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 1 ડિસેમ્બર 2018ના રોજ બની હતી. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા યોગગુરુએ સાત પાનાની લાંબી સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે આશ્રમના જ 10 સાધકો પર ગંભીર આરોપો લગાવ્યા હતો. કપાસમાં છાંટવાની દવા પીને આપઘાતનો પ્રયાસ માહિતી મુજબ, યોગગુરુ પ્રદીપ સત્યમ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા આશ્રમમાં કાર્યરત હતો. તેણે કોઈ અગમ્ય કારણોસર કપાસના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સ્યુસાઇડ નોટમાં 10 સાધકોના નામનો ઉલ્લેખ યોગગુરુએ લખેલી 7 પાનાની સ્યુસાઇડ નોટમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પઠાણી ઉઘરાણી: યોગગુરુએ આક્ષેપ કર્યો હતો કે, જે સાધકોએ આશ્રમમાં દાન આપ્યું હતું, તેઓ હવે તે પૈસા પરત મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. જીવનું જોખમ: નોટમાં જણાવ્યા મુજબ, દસ જેટલા સાધકો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા હતા. ચારિત્ર્ય હનન: પ્રદીપએ ગંભીરતાપૂર્વક લખ્યું હતું કે, કેટલાક 'વિઘ્નસંતોષી' સાધકો તેને અને તેના ધર્મપત્ની કૃષ્ણાજીને બદનામ કરવા માટે તેના ચારિત્ર્ય વિશે અભદ્ર વાતો ફેલાવી રહ્યા હતા. આ પણ વાંચો: 100, 200, 500… માગો એટલી નકલી નોટ
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા:તમિલનાડુથી લાવવામાં આવેલા શ્રી રામ યંત્રની પૂજા કરી, મંદિર પરિસરમાં ફર્યા
    Next Article
    સૌરાષ્ટ્ર-કચ્છમાં 52000 વીજ કનેક્શન કટ:PGVCLની બિલ ન ભરનારા સામે કાર્યવાહી; રૂ.101 કરોડની આવક, હજૂ રૂ.98 કરોડની વસૂલાત બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment