Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ એન્ડ માઇન્ડ:સતત અવેલેબલ રહેવાનો થાક

    1 day ago

    ડો. સ્પંદન ઠાકર સવારના છ વાગ્યે આંખ ખૂલતાં પહેલાં જ ઈશાનો મોબાઇલ વાઇબ્રેટ થયો. ઓફિસનો મેસેજ, સ્કૂલનું ગ્રુપ, ફ્રેન્ડ્સનો વીડિયો કોલ. ઊઠે એ પહેલાથી જ દુનિયા તેની હાજરી માગી રહી હતી. દિવસ દરમિયાન કામ પૂરું થતું ગયું, પણ જવાબો પૂરાં થતા નહોતા. ‘હમણાં જોઈ લઈશ’, ‘થઈ જશે’, ‘ઓકે’ આ શબ્દો તેના દિવસના સૌથી વધુ વપરાતા વાક્યો બની ગયા. સાંજે ઘરે આવીને પણ મોબાઇલ હાથમાંથી મૂકાતો નહોતો, કારણ કે ‘કોઈને ખરાબ ન લાગે’ એ તેની સૌથી મોટી ચિંતા હતી. શરીર પથારીમાં પડ્યું હતું, પણ મન હજી પણ ઓનલાઇન હતું. આ થાક કામનો નહોતો. આ હતો હંમેશા મેન્ટલી અવેલેબલ રહેવાનો થાક, જેને મનોવિજ્ઞાનમાં ‘ડિજિટલ એક્ઝોશન’ કહેવાય છે. સતત નોટિફિકેશન મગજ માટે એક એલાર્મ બની જાય છે. મગજ તેને ખતરા તરીકે સમજે છે અને શરીરમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન છોડે છે. ટૂંકા ગાળે કોર્ટિસોલ આપણને એલર્ટ રાખે છે, પણ જ્યારે તે સતત ઊંચું રહે, ત્યારે શરીર અને મન બંને થાકવા લાગે છે. ઊંઘ અનિયમિત થઈ જાય છે, હૃદય જોરથી ધબકતું રહે છે, માથું ભારે લાગે છે, ચીડિયાપણું વધે છે અને અંદરથી અજાણી બેચેની રહે છે. એક દિવસ ઓફિસમાં નાની વાત પર તે અચાનક ચીડાઈ ગઈ. પછી બાથરૂમમાં જઈને આંખોમાં આંસુ આવી ગયા. એ રડી રહી હતી, પણ શા માટે એ સમજાતું નહોતું. તે દુઃખી નહોતી, પણ શાંત પણ નહોતી. તેને પહેલી વાર લાગ્યું કે સમસ્યા લોકોની એક્સપેક્ટેશનમાં નથી, સમસ્યા તેની નર્વસ સિસ્ટમને ક્યારેય આરામ ન મળવામાં છે. તે દરેકને સમય આપતી હતી, પરંતુ પોતાને નહીં. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે ‘હું ક્યાં ‘ઓફ’ થવા માગું છું અને બીજાની જરૂરિયાતો જ્યાં સતત ‘ઓન’ રાખે છે’ એ સમજ ભૂંસાઈ જાય, ત્યારે બાઉન્ડરી ઇશ્યૂઝ ઊભા થાય છે અને મન સતત એલર્ટ મોડમાં રહે છે. એ રાત્રે તેણે નાનું પગલું લીધું, મોબાઇલ સાયલન્ટ કરવાનું નક્કી કર્યું. કોઈ મેસેજનો જવાબ સવાર સુધી નહીં આપવાનો. દુનિયા તૂટી પડી નહીં, કોઈ સંબંધ તૂટ્યો નહીં. પરંતુ તેના મનમાં એક અજાણી શાંતિ ઉતરી આવી. કોર્ટિસોલ ધીમે ધીમે ઘટ્યું અને શરીરને આરામનો સંકેત મળ્યો. ધીમે ધીમે તેણે શીખવાનું શરૂ કર્યું. ‘હમણાં નહીં’ કહેવું પણ સંબંધ તોડતું નથી. મનોવિજ્ઞાનમાં આ પ્રક્રિયા કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, બાઉન્ડરી અવેરનેસ અને એસર્ટીવનેસ ટ્રેનિંગ દ્વારા શીખવાય છે. આ થેરપી વ્યક્તિને ગીલ્ટ વગર ‘ના’ કહેવાની હિંમત આપે છે અને સતત એલર્ટ રહેવાની આદત તોડે છે. સાથે સાથે માઇન્ડફુલનેસ અને શ્વાસ પર ધ્યાન આપવાની ટેક્નિક્સ નર્વસ સિસ્ટમને શાંત કરે છે. આ બદલાવ એક દિવસમાં નથી થતો, પણ એક નિર્ણયથી શરૂ થાય છે, પોતાને છેલ્લી પ્રાયોરિટીમાંથી બહાર લાવવાનો. મૂડ મંત્ર: દરેક મેસેજનો જવાબ નથી જરૂરી, પણ મનને જવાબ આપવો જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:સાસરિયાએ લવ-મેરેજનો સ્વીકાર કરી લીધો છે પણ...
    Next Article
    રસથાળ:ઉત્તરાયણને ખાસ બનાવતા પારંપરિક વ્યંજનો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment