Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘PM ગુજરાતમાં છે તે જાહેરાત કરે કે મંજૂરી નહિ અપાઈ’:પોરબંદરમાં લિકર શોપની તૈયારી, કોંગ્રેસે કહ્યું- આ ગોડસેના વિચારધારા વાળાનું કામ

    2 days ago

    ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ગાંધીજીની જન્મભૂમિ પર લિકર શોપની મંજૂરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ ગાંધીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવામાં ન આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. આ સાથે જ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ પરથી છે તો જાહેરાત કરે કે લિકર શોપને મંજૂરી નહીં અપાઈ. ‘ગાંધીની વિચારધારાને નુકસાન પહોંચાડવાનો ભાજપનો પ્રયાસ’ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લિકર શોપની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે, જે આપણા સૌ માટે ચોંકાવનારા છે. એક તરફ ગાંધીની વિચારધારાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે. ગાંધીજીને સંસ્થાને તોડી નાખો અને આધુનિકરણ કરવાના બહાને બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. ત્યારે બીજી તરફ ગાંધી ગાંધી વિચારની સંસ્થાઓને કઈ રીતે ખતમ કરી શકાય તેવી સતત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગાંધીજીની જન્મભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર એવા છે કે, જેમણે નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે જ વિચારધારાના લોકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘વિદેશમાં પ્રધાનમંત્રી પોતે ગાંધીજી સિવાય બીજી વાત કરતા નથી’ વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ લોકોને વિનંતી કરવા માગું છું કે પક્ષા-પક્ષીથી ઉપર રહીને કામ કરવાની જરૂર છે. વિશ્વમાં દેશ ગાંધીની વિચારધારા તરીકે ઓળખાય છે. ભારત દેશ પણ ગાંધી તરીકે ઓળખાય છે. વિદેશમાં જાય ત્યારે પ્રધાનમંત્રી પોતે પણ ગાંધીજી સિવાય બીજી કોઈ વાત કરતા નથી. વિશ્વ આખું ગાંધી વિચારધારા પર આગળ વધતું હોય ત્યારે ગુજરાતની શાસકો જે રીતે પગલા ભરી રહ્યા છે તે જરાય પણ વ્યાજબી નથી. પ્રધાનમંત્રી ગુજરાતમાં આવ્યા છે તો તેમને જાહેરાત કરવી જોઈએ કે, ગાંધીની ભૂમિ પર પણ સમગ્ર ગુજરાતની જેમ સખત કાયદાની અમલવારી થશે તો જ સાચા અર્થમાં ગાંધી વિચારધારાને આગળ વધારી શકીશું અને નવ યુવાનો જે ગુજરાતનું ભવિષ્ય છે તેને નશાની આડમાંથી બચાવી શકીશું. પોરબંદરમાં 1500 લોકો પાસે દારૂનો પરવાનો છે પોરબંદર જિલ્લામાં 1500 લોકો આરોગ્યના કારણો આપી દારૂ પીવાની પરમીટ ધરાવે છે. આવા લોકોને દારૂના યુનિટ પ્રાપ્ત કરવા માટે હવે જામનગર અને જૂનાગઢના ધક્કા ખાવા પડશે નહીં. આ વાઇન શોપમાં એન.આર.આઇ. પ્રવાસીઓ તેમજ અન્ય રાજ્યના પ્રવાસીઓ માટે પણ સ્થળ પર પરમિટની સુવિધા ઉપલબ્ધ થશે. પોરબંદરમાં વર્ષોથી વાઇન શોપ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. હજુ સુધી આ અંગે જિલ્લાના નશાબંધી વિભાગને જાણ કરવામાં આવી નથી, પરંતુ નિયામક કક્ષાએ પ્રક્રિયા ચાલું છે. જે પૂર્ણ થયે વિભાગ સબ ઇસ્પેક્ટરની નિમણૂક કરી અને ઓનલાઈન આઈ.એસ.એમ.એસ.રોસ્ટર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વાઇન શોપમાં સ્થળ પર પ્રવાસીઓને પરમીટ મળશે તજજ્ઞોના જણાવ્યા અનુસાર વાઇન શોપ શરૂ થયા બાદ સ્થળ પર જ એન.આર.આઇ. પ્રવાસીઓને 1 માસની તેમજ અન્ય રાજ્યના પ્રવાસીઓને એક અઠવાડિયાની લિકર મેળવવાની પરમિશન આપવામાં આવે છે. વાઇન શોપ માટે મુખ્ય નિયમો વાઇન શોપ માટે શું શું કાર્યવાહી? વાઇન શોપ માટે નશાબંધી વિભાગમાં અરજી કરવાની હોય છે. જે બાદ જિલ્લા ઇસ્પેક્ટર દ્વારા સ્થળ પર વેરિફિકેશન કરવામાં આવે છે. આ પછી સલાહકાર સમિતિમાં અરજીની ચકાસણી થાય છે. સમિતિ અને નશાબંધી નિયામક આ અરજી પોતાની ભલામણ સાથે સરકારને મોકલી આપે છે.
    Click here to Read More
    Previous Article
    મિડલ ઈસ્ટ યુદ્ધને ગેસ સપ્લાયના કારણે સુરતના હોસ્પિટાલિટી સેક્ટરમાં મંદી:કોર્પોરેટ ટ્રાવેલિંગમાં કાપ, રૂમ બિઝનેસમાં 50% તો રેસ્ટોરન્ટ બિઝનેસમાં 35%નો ઘટાડો
    Next Article
    રાજકોટના શહેરીજનો માટે મહત્વના સમાચાર:આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે, કાલથી જ ડિજિટલ જનગણના-2027ની કામગીરી, 4700નો સ્ટાફ ઘરે-ઘરે જઈ વિગતો મેળવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment