Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં નિવૃત્ત PIએ બોલેરોમાં બેસી ઝેર પીધું:પત્ની જમવાનું ના આપે ને દીકરો મારઝૂડ કરતો, પેન્શન આપવા દબાણ કરતા; પત્ની, દીકરા ને સાળી વિરુદ્ધ ફરિયાદ

    3 days ago

    SRPમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરને નિવૃત્તિ બાદ પત્ની, દીકરા અને સાળીએ ત્રાસ આપતા આપઘાત કર્યો છે. નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટરે બોલેરો પીકઅપ ડાલામાં ઝેર પીને આપધાત કરી લીધો છે. નિવૃત્તિ બાદ પોલીસ ઈન્સ્પેક્ટરને પત્ની જમવાનું આપતી નહોતી અને દીકરો માર મારતો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિવૃત્ત PIના ભાઈએ ભાભી-દીકરા અને સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા રામબાગ આવાસ યોજનાના મકાનમાં રહેતા નરેશ પરમારે સોલા પોલીસ સ્ટેશનમાં કૈલાસ પરમાર, મનોજ પરમાર ( રહે, સહજાનંદ સ્પર્શ, ગામ પેથાપુર, જીલ્લો ગાંધીનગર), ઉષા પરમાર વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. નરેશ પરમાર સંયુક્ત પરિવારમાં રહે છે અને સિનિયર સિટીઝનની સેવાચાકરી કરે છે. નરેશ પરમારના મોટાભાઈ જ્યંતિભાઈ પરમાર પેથાપુર સહજાનંદ સ્પર્શમાં રહેતા હતા. જંયતિભાઈ વર્ષ 2020માં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિવૃત થયા હતા અને તેમની પત્નીનું નામ કૈલાસબેન તેમજ દીકરાનું નામ રજની અને મનોજ છે. બંને દીકરા માટે ફ્લેટ ખરીદ્યા હતા જ્યંતિભાઈ નિવૃત થયા ત્યારથી વર્ષ 2022 સુધી તેમને ઘરમાં સારી રીતે રાખવામાં આવતા હતા. જ્યારે તે પોલીસ ઈન્સ્પેક્ટર હતા ત્યારે તે સેક્ટર 28માં સરકારી ક્વોટર્સમાં રહેતા હતા. ત્યારબાદ તેમને બંને દીકરાઓ માટે બે ફ્લેટ ખરીદી કર્યા હતા. એક ફ્લેટ કૈલાસબેનના નામે સંયુક્તમાં લીધો હતો જ્યારે બીજો ફ્લેટ રજનીના નામે લીધો હતો.જ્યંતિભાઈના સાળી ઉષા પણ અવારનવાર ઘરે અવરજવર કરતી હતી. દીકરો મારઝૂડ કરતો હતો વર્ષ 2022થી જ્યંતિભાઈને ઘરમાં પત્ની, દીકરો તેમજ સાળી સરખી રીતે રાખતા નહોતા. ત્રણેય લોકો જ્યંતિભાઈને માનસિક રીતે ટોર્ચર કરીને કહેતા હતા કે આ નિવૃત્ત થઈ ગયો છે કોઈ કામધંધો કરતો નથી. જેથી તેને ઘરમાંથી કાઢી મુકો. જયંતિભાઈને ત્રાસ એટલો આપતા હતા કે તેઓ કંટાળી ગયા હતા. દીકરો મનોજ અવારનવાર દારૂ પીને આવતો હતો અને તેમની સાથે મારઝુડ કરતો હતો. પેંશનની રકમ આપી દેવા દબાણ કરતા હતા વર્ષ 2022માં સોનાનું કડુ લેવા મામલે કૈલાસબેને જયંતિભાઈ સાથે તકરાર કરી હતી, જેમા મનોજ અને ઉષાએ પણ તેમનો સાથ આપ્યો હતો. જ્યંતિભાઈના પગ તોડાવી નાખવાની પણ ધમકીઓ પત્ની સહિતના લોકોએ આપી હતી. જ્યંતિભાઈ તેના ભાઈ નરેશને સમગ્ર હકીકત જણાવતા હતા. આ સિવાય કૈલાસબેન સહિતના લોકોએ જયંતિભાઈને પેંશનની રકમ આપી દેવા દબાણ કરતા હતા. જ્યંતિભાઈનું અપમાન કરીને ઘરમાંથી કાઢી મુકતા હતા. જંયતિભાઇએ બોલેરો પીકઅપ ડાલામાં બેસીને ઝેરી પી લીધું જયંતિભાઈ નરેશના ઘરમાં બે મહિના સુધી રહેતા હતા અને દરમિયાનમાં તેમની આપવીતી જણાવતા હતા. જ્યંતિભાઈ અવારનવાર તેની બહેન અને ભાઈઓના ઘરે રોકાતા હતા. જ્યારે કૈલાસબેન સહિતના લોકો તેના પર ત્રાસ ગુજારતા હતા. કૈલાસબેન જયંતિભાઈને જમવાનું પણ આપતા નહી અને ઘરમાંથી કાઢી મુકતા હતા. આ સિવાય મનોજ આરોપ મુકતો હતો કે તેમણે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. કૈલાસબેન જયંતિભાઈના ચારિત્ર્ય પર શંકા કરીને માર મારતા હતા. બે દિવસ પહેલા જયંતિભાઈ નરેશના ઘરમાં હતા ત્યારે તેમને સ્યુસાઈડ નોટ લખીને આપધાત કરી લીધો છે. જ્યંતિભાઈએ ચાંદલોડીયા બોલેરો પીકઅપ ડાલામાં બેસીને ઝેર પી લીધુ હતું. સોલા પોલીસે આ મામલે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે.
    Click here to Read More
    Previous Article
    518 PIની બદલી અને 254 પ્રમોટેડ PIને પોસ્ટિંગ:મહેફિલ કાંડથી વિવાદમાં આવેલા PSI ચંદ્રકલાબાની અમદાવાદ ગ્રામ્યમાં અને 40થી વધુ PIને CID ક્રાઇમમાં મૂક્યા
    Next Article
    કલોલ-છત્રાલ હાઈવે ફરી રક્તરંજિત:બે બાઈક સામસામે અથડાતા એક યુવકનું કરૂણ મોત, એકની હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment