Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષાના પ્રેશરમાં પંખે લટકી ગળાફાંસો ખાધો:​​જૂનાગઢની કોલેજની વિદ્યાર્થિનીએ કેશોદના ઘરે આપઘાત કર્યો, PIએ કહ્યું- દરેક પરીક્ષા જીવનની છેલ્લી પરીક્ષા નથી હોતી

    1 week ago

    ​જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના જ મકાનના ઉપરના રૂમમાં પંખા સાથે કપડાનું દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની જૂનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નજીકમાં જ પરીક્ષા હોવાથી તેના ટેન્શન અને દબાણને કારણે સગીરાએ આ આત્મઘાતી પગલું ભર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પરીક્ષાના કારણે ટેન્શનમાં હતી મૃતક વિદ્યાર્થિનીના પિતા કેશોદમાં હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે અને મૃતક નાની દીકરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આકસ્મિક મોતની વિગતો મુજબ, મૃતક ભણવામાં હોશિયાર હતી, પરંતુ પરીક્ષાના ભારને કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી. જ્યારે પરિવારના સભ્યો ઘરે હતા ત્યારે જ તેણે ઉપરના માળે જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી: PI ​આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. જાદવે જણાવ્યું હતું કે પરીક્ષા તો જીવનમાં આવતી-જતી રહેશે, પણ જિંદગી ફરી નહીં મળે. આ કેસમાં જાણવા મળ્યું છે કે બાળકી પરીક્ષાનું પ્રેશર સહન નહોતી કરી શકી. મારી તમામ વાલીઓને અપીલ છે કે તમારા સંતાનોની ક્ષમતા સમજો. તેમની ઉપર અતિશય અપેક્ષાઓનો ભાર ન મૂકો. બાળકોને તેમની મનગમતી સ્ટ્રીમ પસંદ કરવા દો જેથી તેઓ દબાણમાં ન આવે. વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી, હિંમત હારીને આવું પગલું ક્યારેય ન ભરો. પરિવારમાં આક્રંદ ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક હસતા-રમતા પરિવારની લાડકવાયી દીકરીએ આ રીતે વિદાય લેતા પરિવાર પર આભ ફાટ્યું છે. --------------- આ પણ વાંચો… ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો:'હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મરુ છું' લખી યુવાનનો રાજકોટમાં આપઘાત 20 માર્ચ, 2026એ રાજકોટના ભાવનગર રોડ પર આવેલા થોરાળામાં રહેતો 17 વર્ષીય સગીર સાંજે 4 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી ગયો હતો. પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સગીર વિદ્યાર્થીને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બે બહેનોનો એકનો એક ભાઈ સગીર વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ તેની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે ટેન્શનમાં રહેતો હતો કારણ કે તેનું ઇતિહાસનું પેપર નબળું ગયું હતું. આ ટેન્શનમાં તેણે ફિનાઈલ પી લીધું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન:આરોપીઓના 5 મકાન સાથે પાલિકના પ્લોટમાં 21 દબાણ તોડી પડાયા; હવે પ્રભુદાસ તળાવ હવામસ્જિદ વિસ્તારમાં કામગીરી
    Next Article
    વડોદરામાં તળાવમાં નહાવા ગયેલા 4 યુવાન ડૂબ્યા:બે યુવાનનો બચાવ અને બે ગુમ, કીચડમાં ફસાઈ ગયા હોવાની આશંકા; શોધખોળ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment