Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એદલા PHCના ફાર્માસિસ્ટ નરેશભાઈની બદલી:વ્યસનમુક્તિ અભિયાન સહિતના કાર્યો બદલ વિદાય સન્માન

    10 hours ago

    પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) એદલા ખાતે ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નરેશભાઈની બદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અડીયા મુકામે થતાં તેમનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ તેમના કાર્યકાળ દરમિયાન કરાયેલા લોકઉપયોગી કાર્યોને યાદ કર્યા હતા. નરેશભાઈએ પણ આ પ્રસંગે તેમના સુંદર સંસ્મરણો વાગોળ્યા હતા અને લોકો તથા સ્ટાફ મિત્રો સાથેના પ્રસંગો વર્ણવ્યા હતા. તેમણે આપેલી સેવાઓમાં અનેક મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. કોરોનાના કપરા સમયમાં તેમણે લોકભાગીદારીથી દવાઓની કીટ તૈયાર કરીને ઘેર ઘેર પહોંચાડી હતી. આ ઉપરાંત, ટીબીના દર્દીઓ માટે દાતાઓ ઊભા કરીને ન્યુટ્રિશન કીટ પણ પૂરી પાડી હતી. ઓછું લોહી ધરાવતી સગર્ભા માતાઓને જરૂર પડે ત્યારે લોહી ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુથી તેમણે પોતાના ૫૧મા જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ યોજીને કરી હતી, જેમાં ૫૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. તેમણે વ્યસનમુક્તિ અભિયાનને પોતાનો ભેખ બનાવ્યો હતો. આ અભિયાન થકી તેમણે અનેક ગ્રામજનોને ગુટકા અને તમાકુથી થતા નુકસાન અંગે માહિતગાર કરીને તેમને વ્યસનમુક્ત કર્યા હતા. આ વિદાય સન્માન કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ઈલાબેન, સરપંચ, શાળાના આચાર્ય, તમામ આરોગ્ય કર્મચારીઓ, ગ્રામજનો, યુવકમંડળના યુવા મિત્રો, શાળા પરિવારના શિક્ષક મિત્રો અને આશાબહેનો સહિત સર્વે હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક જળબંબાકાર:ધાતરવડી-2 ડેમના 20 દરવાજા ખોલાયા, હજુ 5 દિવસ ભારે, દિવ્યેશ સોલંકીને 2027માં ચૂંટણી લડાવવા માંગ
    Next Article
    પૂરી રથયાત્રા માટે વડોદરા-દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ રદ:મુસાફરોની ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવેનો કામચલાઉ નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment