Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદા ગેસ સિલિન્ડર મુદ્દે વિવાદનું ઘર બન્યુ:વાંસદામાં ગેસ સિલિન્ડર મેળવવા જરૂરી ‎OTP નહીં મળતા ગ્રાહકોની કતાર લાગી‎

    1 week ago

    વાંસદામાં ગેસ સિલિન્ડર ની અછતને લઈને રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં પર આક્ષેપ પ્રતિઆક્ષેપનો ખેલ ચાલુ થયો છે. ઇરાન-અમેરિકા વચ્ચેના તણાવને બહાને વાંસદામાં ગેસની અછતનો ખોટો હોબાળો ઉભો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના નવસારી મહામંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હકીકતમાં દેશભરમાં અને વાંસદામાં ગેસ સપ્લાય સંપૂર્ણ રીતે યથાવત છે,તેમ છતાં કેટલાક રાજકીય તત્વો લોકોમાં ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા મથામણ કરી રહ્યા છે. જ્યારે હકીકત સામે ખોટા દાવાઓ ગેસ પૂરતો છે પણ હાલ અફવા વધારે હોવાનું કહી રહ્યાં છે. વાંસદામાં ગેસની અછતને લઈને રાજકારણ ગરમાયું છે, સોશિયલ મીડિયાઓ પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો ખેલ ચાલુ થયો છે . વાંસદાની ગુંજન ગેસ એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે તાલુકાના 95 ગામોમાં ગેસ સપ્લાય અવિરત ચાલુ છે. માસિક જરૂરિયાત 16,000 સિલિન્ડર સામે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રોજ 600થી વધારીને 900 સિલિન્ડર સપ્લાય કરવામાં આવી રહ્યા છે. જેને લઈને સ્પષ્ટ છે કે ‘અછત’નો શોર માત્ર અફવા અને રાજકીય પ્રોપેગંડા છે. જ્યારે જનતાને એક મેસેજ આપવામાં આવ્યો છે કે ખોટી અફવાથી સાવચેત રહો, OTP આધારિત નવી સિસ્ટમનો સહકાર આપો, સસ્તા રાજકારણનો ભોગ ન બનો. નવસારી જિલ્લામાં હાલ કોઇપણ જગ્યાએ ગેસ સિલિન્ડરની અછત નથી. તેની દરેકે નોંધ લેવી જરૂરી છે. વાંસદામાં ગેસ સિલિન્ડરની અછત નથી ખોટી અફવાઓ ફેલાવી લોકોની મુશ્કેલી વધારવી એ જવાબદાર નેતૃત્વ નહીં, પરંતુ સસ્તું રાજકારણ છે. જ્યારે સરકાર સતર્ક – સપ્લાય અવિરત કરી રહી છે. જ્યારે કેન્દ્ર સરકારની અસરકારક વિદેશ નીતિના કારણે ખાડી દેશોથી ગેસ અને ઓઇલનો જથ્થો સતત આવી રહ્યો છે. દેશભરમાં સપ્લાય ચેન મજબૂત છે. જેને લઈને વાંસદામાં પણ કોઈ અછત નહીં. જનતાનો વિશ્વાસ તોડવાનો પ્રયાસ હાલ કોંગ્રેસ દ્વારા લોકોને ભયભીત કરીને રાજકીય ફાયદો ઉઠાવવાનો શરમજનક પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાની બાબત સામે આવી છે. જ્યારે હાલ રાંધણ ગેસની અછત ન હોવા છતાં લોકોમાં ગભરાટ ફેલાવવો એ સીધે-સીધો જનતાનો વિશ્વાસ તોડવાનો પ્રયાસ છે. પરંતુ લોકોએ કોઇની વાતમાં ન આવી તંત્ર પર વિશ્વાસ રાખવો ગેસ સિલિન્ડર લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યાં છે. માત્ર ઓટીપીનો પ્રશ્ન ઉભો થતા તેનું નિરાકરણના પ્રયાસ હાથ ધરાયા છે.જેની જનતા નોંધ લે તે જરૂરી છે. > ડો. લોચન શાસત્રી, ભાજપ મહામંત્રી.
    Click here to Read More
    Previous Article
    ટપાલ વિભાગ દ્વારા યોજાઈ પત્રલેખન સ્પર્ધા:“ઢાઈ અખર” સ્પર્ધામાં એ. બી. સ્કૂલના છાત્રની પ્રતિભાને રાષ્ટ્રીય મંચે મળી ઓળખ
    Next Article
    જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ:વિવિધ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment