Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં RSS દ્વારા 'યુવા સંમેલન' યોજાયું:સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રભક્તિ અને યુવા સશક્તિકરણ પર ભાર

    8 hours ago

    સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 'યુવા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે શહેરની નવી એસ.પી. વિદ્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ ભારતમાતા અને કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. આ સંમેલનમાં યુવાનોને રાષ્ટ્રભક્તિ અને 'આજનો યુવાન આવતીકાલનું ભવિષ્ય' જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાધન શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તેમજ મોબાઈલના વ્યસનથી દૂર રહે તે હેતુથી પ્રાચીન રમતોનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે યુવા મોટીવેશનલ સ્પીકર અર્જુનભાઈ ઠાકર, મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના બાલ કાર્ય પ્રમુખ હિતેશભાઈ મહેતા અને સાહિત્યકાર, લેખક, કવિ તથા હાસ્ય કલાકાર અંબારામભાઈ દુમાડિયા ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના 250થી વધુ યુવાનોએ પણ આ સંમેલનમાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળ સહિત રાજ્યોમાં ભાજપનો વિજય:જામનગરમાં સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં વિજયોત્સવ
    Next Article
    LIVE Updates: Mamata Banerjee Trails From Bhabanipur, PM Applauds Bengal Win

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment