Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RSS સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે:પ્રદેશ પ્રચારક પદ સમાપ્ત થશે, યુપી ચૂંટણીમાં પહેલો ટેસ્ટ; જાણો કેવું હશે નવું સ્ટ્રક્ચર

    8 hours ago

    40 લાખ સભ્યો અને 83 હજારથી વધુ શાખાઓ ધરાવતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે પોતાના માળખામાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છે. ફેરફારનો પ્રસ્તાવ હરિયાણામાં પાણીપતના સમાલખા ગામમાં 13, 14 અને 15 માર્ચના રોજ યોજાનારી બેઠકમાં રજૂ કરવામાં આવશે. આની જરૂર કેમ પડી, તેનો જવાબ બેઠકના આયોજકોમાંના એક RSSના પદાધિકારી આપે છે. તેઓ કહે છે, 'દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંગઠનને પહેલા કરતા વધુ ટાર્ગેટ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવવા માટે આ ફેરફારો જરૂરી છે. આ એક રીતે ડિસેન્ટ્રલાઈઝેશન (વિકેન્દ્રીકરણ) છે. સંઘની શક્તિને છેક નીચેના સ્તર સુધી પહોંચાડવાની અને દેશના દરેક વ્યક્તિ સુધી સંઘની પહોંચ બનાવવાની પ્રક્રિયા છે.' RSSમાં અમારા સોર્સ મુજબ, બેઠકમાં તમામ સૂચનો સાથે એક પ્રસ્તાવ બનશે, જેને સપ્ટેમ્બર 2026ની બેઠકમાં પસાર કરવામાં આવશે. ત્યારબાદ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2027 સુધીમાં બધે જ લાગુ કરવામાં આવશે. આ આખી કવાયતની પ્રથમ કસોટી 2027માં યુપીની વિધાનસભા ચૂંટણીમાં થશે. અહીં સંઘ જમીન પર માઇક્રો મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અને સ્ટ્રક્ચર સાથે ઉતરશે. 100 વર્ષમાં બીજી વખત આટલો મોટો ફેરફાર શું આટલો મોટો ફેરફાર પહેલીવાર થઈ રહ્યો છે? સોર્સે જવાબ આપ્યો, 'ફેરફાર તો સંઘમાં થતા રહ્યા છે, પરંતુ આટલો મોટો ફેરફાર બીજી વખત છે. પહેલીવાર 1949માં થયો હતો, જ્યારે સંઘે પોતાનું લેખિત બંધારણ બનાવીને સરકારને સોંપ્યું હતું. તે સમયે જ સંઘે રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને પણ સ્વીકાર્યો હતો.' 'તે સમયે માળખા અને કામ કરવાની પદ્ધતિઓમાં પણ ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મોટો ફેરફાર ડ્રેસમાં કરવામાં આવ્યો હતો, પરંતુ માળખામાં ખાસ કંઈ બદલાયું નહોતું. છેલ્લા 4 વર્ષથી આ ફેરફાર માટે ચર્ચા ચાલી રહી હતી, જે હવે નક્કર સ્વરૂપમાં આવી ગઈ છે.' સંઘની કરોડરજ્જુ પ્રાંત પ્રચારક વ્યવસ્થા ખતમ થશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર અત્યાર સુધી રાજ્ય કોઈ એકમ નહોતું. મોટા રાજ્યો અત્યાર સુધી પ્રાંતોમાં વહેંચાયેલા હતા. આ પ્રાંત પ્રચારકો જમીની અને ટોચના કાર્યકર્તાઓ વચ્ચે કડી તરીકે કામ કરતા હતા. હવે નવા માળખામાં પ્રાંત પ્રચારકોની જગ્યાએ રાજ્ય પ્રચારક હશે. આને આ રીતે સમજી શકાય છે, જેમ કે- ઉત્તર પ્રદેશમાં અત્યારે 6 પ્રાંત છે. 1. બ્રજ- મુખ્યત્વે મથુરા, આગ્રા, અલીગઢ વિસ્તાર. 2. અવધ- લખનૌ, અયોધ્યા, બારાબંકી. 3. મેરઠ- પશ્ચિમ UPનો ભાગ (મેરઠ, સહારનપુર). ૪. કાનપુર- કાનપુર, ફતેહપુર. 5. કાશી- વારાણસી, આઝમગઢ, મિર્ઝાપુર. 6. ગોરક્ષ- ગોરખપુર, દેવરિયા, કુશીનગર. દરેક પ્રાંતનો પ્રચારક હોય છે, પરંતુ હવે તેમની જગ્યાએ રાજ્ય પ્રચારક હશે. એટલે કે 6 પ્રાંત પ્રચારકની જગ્યાએ હવે માત્ર એક જ રાજ્ય પ્રચારક હશે. તેની ઉપર ક્ષેત્ર પ્રચારક યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં બે ક્ષેત્ર છે- પૂર્વી ઉત્તર પ્રદેશ (કાનપુર, કાશી, ગોરક્ષ, અવધ પ્રાંત) અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ (મેરઠ, બ્રજ). પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઉત્તરાખંડ પણ સામેલ છે. સંઘના સૂત્ર મુજબ, પ્રાંત પ્રચારક ઘટાડીને જમીની સ્તરના પ્રચારકો વધારવામાં આવશે. જોકે પ્રાંત પ્રચારકોના પદ પર તૈનાત સભ્યો માટે નવી જવાબદારી હજુ નક્કી કરવામાં આવી નથી. પદ નાબૂદ થયા પછી ખાલી થયેલા સભ્યોને સંઘના અન્ય કામોમાં લગાવવામાં આવશે. ક્ષેત્રોની સંખ્યા ઘટશે અને ક્ષેત્ર પ્રચારક ઓછા થશે અત્યારે આખા દેશમાં ૧૧ ક્ષેત્ર એટલે કે ૧૧ ક્ષેત્ર પ્રચારક છે. નવી વ્યવસ્થામાં ક્ષેત્રોની સંખ્યા ઘટાડીને ૯ કરવાનો પ્રસ્તાવ છે. પરિણામે ક્ષેત્ર પ્રચારકોની સંખ્યા પણ ઘટશે. અત્યારે હાલની સ્થિતિમાં આ ક્ષેત્રો છે- 1. ઉત્તર ક્ષેત્ર- દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ વગેરે. 2. પશ્ચિમ ક્ષેત્ર- મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા. 3. દક્ષિણ ક્ષેત્ર- તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા. 4. પૂર્વ ક્ષેત્ર- બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ. 5. મધ્ય ક્ષેત્ર- મધ્ય પ્રદેશ, છત્તીસગઢ. 6. ઉત્તર-પૂર્વ ક્ષેત્ર- આસામ, મણિપુર, નાગાલેન્ડ વગેરે પૂર્વોત્તર રાજ્યો. 7. ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર કે ઉત્તરાખંડ સહિત પશ્ચિમી યુપી. 8. પૂર્વી ઉત્તર પ્રદેશ ક્ષેત્ર- કાનપુર, કાશી, ગોરક્ષ, અવધ વગેરે. 9. પશ્ચિમી ઉત્તર પ્રદેશ ક્ષેત્ર- મેરઠ, બ્રજ, ઉત્તરાખંડ. 10. રાજસ્થાન ક્ષેત્ર. 11. પશ્ચિમી કે દક્ષિણી પેટા-ક્ષેત્ર. સંભાગોની સંખ્યા અને તેમના પદાધિકારીઓ વધશે ઉચ્ચ પદાધિકારીઓની સંખ્યા ઘટશે, પરંતુ સંભાગ અથવા ડિવિઝન સ્તર પર નવા પદાધિકારી, પ્રાંત પ્રચારક (સંભાગ પ્રચારક) નિયુક્ત થશે. એવું નથી કે સંભાગ અત્યાર સુધી ક્યાંય નહોતા. ઘણી જગ્યાએ હતા, પરંતુ આ વ્યવસ્થા આખા દેશમાં નહોતી. આ પ્રચારક જેવું મહત્વનું પદ નહોતું. હવે નવી વ્યવસ્થામાં કોઈ રાજ્યની બે વહીવટી કમિશનરી કે મંડળોને ભેગા કરીને સંભાગ કે ડિવિઝન બનશે. ઉત્તર પ્રદેશમાં 18 વહીવટી મંડળ છે. તેમને હવે 9 સંભાગોમાં વહેંચવાનો પ્રસ્તાવ છે. હવે અહીં 9 સંભાગ પ્રચારક હશે. તેવી જ રીતે મધ્ય પ્રદેશમાં 10 મંડળ છે, તો ત્યાં 5 સંભાગ પ્રચારક હશે. રાજસ્થાનમાં 7 મંડળ છે. તેથી ત્યાં 3થી 4 સંભાગ પ્રચારક હશે. બિહારમાં 9 મંડળ છે, તો અહીં 4થી 5 સંભાગ પ્રચારક હશે. જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામડાં સુધી પાવરનું ડિસ્ટ્રિબ્યુશન સોર્સે જણાવ્યું, 'અત્યારે જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામ સ્તરે સંઘ કાર્યકર્તાઓ તો છે, પરંતુ તેમણે પ્રાંત સ્તરના પદાધિકારીઓના ભરોસે રહેવું પડતું હતું. હવે આ કાર્યકર્તાઓ સંભાગ પ્રચારકોના સંપર્કમાં રહેશે. સાથે જ સંઘ પણ આ કાર્યકર્તાઓને વધુ શક્તિઓ આપશે.' અમે પૂછ્યું કે શું આ સ્તરે પણ પ્રચારક હશે? જવાબ મળ્યો, 'હા, કાર્યકર્તાઓને વધુ પાવર મળશે, પરંતુ પદ શું હશે, તે બેઠકમાં નક્કી થશે. તેઓ પોતાના વિસ્તારની જનતાના મુદ્દાઓનું વિશ્લેષણ કરીને પોતે ટાર્ગેટ બનાવશે. મદદ માટે સંભાગ પ્રચારક હાજર હશે.' પહેલા પણ નીચલા સ્તર સુધી સંઘ કાર્યકર્તાઓ હાજર હતા, તો હવે શું બદલાશે? સોર્સે જણાવ્યું, 'હા, હાજર હતા, પરંતુ તેમણે દરેક મુદ્દા અને પ્રપોઝલ માટે પ્રાંત પ્રચારક પાસે જ જવું પડતું હતું. પ્રાંત પ્રચારક અને જમીની કાર્યકર્તાઓ વચ્ચે ભૌગોલિક અને પદનું અંતર ઘણું વધારે હતું, પરંતુ હવે એવું નહીં થાય.' 'જિલ્લાના કાર્યકર્તા, સંભાગ પ્રચારકથી ન તો પદ અને ન જ ભૌગોલિક સ્તર પર બહુ દૂર હશે. તેથી કામ વધુ ઝડપથી અને ચર્ચા વધુ પારદર્શક થશે.' જિલ્લા સ્તરે પણ પ્રચારક બનાવવાનો પ્રસ્તાવ સોર્સ મુજબ, અત્યારે જિલ્લા સ્તરે કાર્યકર્તાને કયું પદ આપવામાં આવશે, બેઠકમાં તેના પર પણ ચર્ચા થશે. આશા છે કે જિલ્લા સ્તર સુધી અમારા પ્રચારક હશે અથવા સહાયક પ્રચારક જેવું કોઈ પદ પણ બનાવી શકાય છે. RSSના માઇક્રો મેનેજમેન્ટ વાળા સ્ટ્રક્ચરનો યુપી વિધાનસભા ચૂંટણીમાં ટેસ્ટ શું સંઘ હવે નવી વ્યવસ્થા સાથે સૌથી પહેલા પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ઉતરશે? સોર્સે જવાબ આપ્યો, 'અત્યારે તો પ્રસ્તાવ બનશે, પછી વ્યવસ્થા લાગુ થશે. જોકે 2027ની જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં લાગુ થઈ જ જશે.' એટલે કે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સંઘ પોતાની આ માઇક્રો મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રથમ ટેસ્ટ કરશે? સોર્સ હસતા હસતા 'હા'માં જવાબ આપે છે. ટાર્ગેટ, રિઝલ્ટ પર ફોકસ, પ્રચારકોનું રિપોર્ટ કાર્ડ બનશે બેઠકમાં ભાગ લેવા આવી રહેલા સંઘના એક પદાધિકારીએ જણાવ્યું, 'આ આખી મહેનતનો અર્થ માત્ર એટલો જ છે કે સંઘ રિઝલ્ટ અને ટાર્ગેટ ઓરિએન્ટેડ બને. પ્રચારકોના ભાગમાં એટલી વસ્તી અને વિસ્તાર હશે, જેમાં તેઓ સરળતાથી ફોકસ કરી શકે.' 'પહેલા પ્રાંત પ્રચારકો માટે જમીની સ્તર પર થઈ રહેલા દરેક કામ પર નજર રાખવી મુશ્કેલ હતી. હવે સંઘનું નવું માળખું એવું બનાવવામાં આવી રહ્યું છે કે જમીની સ્તર પર વધુ પ્રચારક હોય. આ જમીન સાથે સીધા જોડાયેલા હશે અને તેમની પાસે મુદ્દાઓની સ્પષ્ટ જમીની સમજ હશે.' તેઓ આગળ કહે છે, 'નવા માળખામાં સંભાગ પ્રચારકોનું કાર્યકર્તાઓ સાથે વધુ જોડાણ હશે. તેઓ જનતા સાથે સીધો સંવાદ કરવાની સ્થિતિમાં હશે. હવે પ્રચારકોએ પોતાનું રિપોર્ટ કાર્ડ બનાવવું પડશે. તેનું રિવ્યુ વર્ષમાં એક કે બે વાર નહીં, પરંતુ તેનાથી વધુ વખત થશે, જેથી તેમના કામોની સમીક્ષા થઈ શકે.' 'જો કોઈ પ્રચારક પોતાના વિસ્તારમાં સંઘના એજન્ડામાં સફળ નથી થઈ રહ્યો, તો તેની મદદ માટે કેટલાક અન્ય લોકો મોકલવામાં આવશે. જો લાગશે કે આ પછી પણ તે સફળ નથી થઈ રહ્યો તો પછી તેની જગ્યાએ કોઈ બીજાની નિમણૂક કરવામાં આવશે.'
    Click here to Read More
    Previous Article
    'દર 10માંથી એક વ્યકિત કિડની રોગનો શિકાર બની શકે':તબીબે કહ્યું- આ લોકો પર સૌથી વધુ ખતરો, બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખશો?
    Next Article
    Iran-Israel War LIVE Updates: US To Release 172 Million Barrels From Strategic Oil Reserve To Lower Prices

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment