Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામજનોમાં ગભરાટ:જોટાણાના લક્ષ્મીપુરા (ખારા)માં ONGC વેલમાં ગેસ લીકેજ

    3 days ago

    જોટાણા તાલુકાના લક્ષ્મીપુરા (ખારા) ગામની રહેણાંક સીમ નજીક બુધવારે દિવસ દરમિયાન ઓએનજીસીના વેલમાંથી તેજ અવાજ સાથે સતત ગેસ લીકેજ થતાં ગામમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. લીકેજ દરમિયાન નીકળતી દુર્ગંધ ગામ સુધી ફેલાતા ગ્રામજનો ચિંતિત બન્યા હતા. ગામ નજીક ઓએનજીસીના પાંચ વેલ આવેલા છે. બુધવારે એક વેલમાંથી અચાનક ભારે અવાજ સાથે ગેસ લીકેજ શરૂ થતાં આસપાસના વિસ્તારમાં લોકોમાં દહેશત ફેલાઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક ઓએનજીસીને જાણ કરતા તંત્ર દ્વારા વેલ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે સાંજ સુધી સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. સ્થાનિક કિર્તીભાઈ ચૌધરીએ જણાવ્યું કે વેલમાંથી સતત ગેસનો અવાજ અને દુર્ગંધ આવતી હોવાથી ધડાકા જેવી પરિસ્થિતિ સર્જાવાની આશંકા ઉભી થઈ હતી. વેલ બંધ થયા બાદ હાલ સ્થિતિ સામાન્ય છે. ગ્રામજનોએ આ ઘટનાને લઈને પાઇપલાઇન અને વેલની ગુણવત્તા ચકાસણી કરવાની પણ માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, જો પાઇપલાઇનમાં કોઈ ખામી અથવા નબળી ગુણવત્તા હશે તો આવી ઘટનાઓ ફરી સર્જાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સમયસર નિદાનથી ગંભીર વારસાગત રક્તરોગની ઓળખ થઈ:એનિમિયાની સારવાર માટે આવેલા મહેસાણા પંથકના ચાર વર્ષના બાળકને સિકલસેલની બીમારી બહાર આવી
    Next Article
    મહેસાણા:એક મહિનામાં વસ્તી ગણતરી પહેલાં ઘરોની 100% ગણતરી પૂરી કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment