Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.માં નશાના કારોબાર સામે NSUI મેદાને:દારૂની ખાલી બોટલ મામલે કડક તપાસની માંગ, બંધ બિલ્ડિંગો અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યાનો આક્ષેપ

    2 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાહેર શૌચાલય અને નવા બની રહેલા ઓડિટોરિયમ પાસેથી દારૂની 15 ખાલી બોટલો મળી આવતા હવે NSUI મેદાને આવ્યુ છે. યુનિવર્સિટી કેમ્પસમાં નશાનો કારોબાર બંધ કરાવવા કડક તપાસની માંગણી કરવામાં આવી છે જ્યારે યુનિવર્સિટીમાં જર્જરીત થયેલી અને બંધ બિલ્ડીંગો અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો આ મામલે આગામી સમયમાં કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો યુનિવર્સિટી કેમ્પસ શુધ્ધિકરણ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી હતી. NSUI ના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ધ્રુમિલ રાઠોડે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્રના વિદ્યાધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા અને શિસ્તના ધજાગરા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ અને માદક પદાર્થોના વધતા જતા દૂષણ તેમજ વિદ્યાર્થીઓની પાયાની સુવિધાઓનો અભાવ છે. આ મામલે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી હાજર ન હોવાથી રજીસ્ટ્રાર મનીષ ધામેચાને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ અને અન્ય માદક પદાર્થોનો ગેરકાયદેસર પ્રવેશ ચિંતાજનક રીતે વધ્યો છે. યુવાધન નશાની જાળમાં ફસાઈ રહ્યું છે. જે રોકવા કડક સુરક્ષા તપાસ જરૂરી છે. કેમ્પસના મુખ્ય શૌચાલયોમાં ન તો સ્વચ્છતા છે ન તો ત્યાં કોઈ સુરક્ષાકર્મીની તૈનાતી છે. આ સ્થળો અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યા છે. યુનિવર્સિટીની જૂની અને બંધ પડેલી બિલ્ડિંગોનો દારૂ પીવા કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ માટે ગેરઉપયોગ થઈ રહ્યો છે. જેના પર તંત્રનું કોઈ ધ્યાન નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જૂની લાઈબ્રેરીમાં વાંચવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. જેથી નવી બનેલી 'ડોમ લાઈબ્રેરી' વહેલી તકે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જો યુનિવર્સિટી વહીવટી તંત્ર આગામી દિવસોમાં આ ગંભીર પ્રશ્નો પર નક્કર કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થીઓના હિતમાં અને કેમ્પસની પવિત્રતા જાળવવા માટે ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    બાળકો લઘુશંકા કરવા ગયા ને મહિલાની સળગેલી લાશ જોઈ:નોબલનગર ચાર રસ્તા પર ફૂટપાથ પરથી મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    મણિનગર ખાતે આવેલા ક્રિશ્ચન કબ્રસ્તાન ઉપર દાવો નકારતી કોર્ટ:કબર ખોદનારના વારસદારોએ કર્યો હતો દાવો, અમદાવાદ સિવિલ કોર્ટ બાદ હાઇકોર્ટનો પણ કાયમી મનાઈ હુકમ આપવા ઇનકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment