Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.ના કુલસચિવને NSUIએ આપી 'ઝાલમૂડી-મેલોડી':કોરોના કાળમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવાની માગ સ્વીકાઈ, પરીક્ષાનો પરિપત્ર જાહેર

    4 दिन पहले

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા આજે એક અનોખી પદ્ધતિથી વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નો અગે રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2019માં એટલે કે કોરોના કાળ દરમિયાન પ્રવેશ મેળવનારા જે વિદ્યાર્થીઓ અત્યારે એક કે બે વિષયમાં નાપાસ થવાને કારણે ડિગ્રી મેળવવાથી વંચિત રહી ગયા છે, તેમને પાસ થવા માટે છેલ્લી તક આપવાની માંગ સાથે કાર્યકરોએ કુલપતિની ગેરહાજરીમાં કુલસચિવને રૂબરૂ મળીને 'ઝાલમૂડી અને મેલોડી' ચોકલેટ આપી વિરોધ નોંધાવ્યો હતો. આ રજૂઆત બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભૂતકાળની જેમ 2019ના વિદ્યાર્થીઓને પણ ન્યાય આપો: નરેન્દ્ર સોલંકી વિરોધ પ્રદર્શન અંગે વિગતો આપતા NSUIના આગેવાન નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, યુનિવર્સિટીના વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમે અગાઉ ત્રણ વખત રજૂઆત કરી ચૂક્યા છીએ કે કોરોના મહામારીને કારણે 2019માં એડમિશન લેનારા અનેક વિદ્યાર્થીઓ માત્ર 1 કે 2 વિષયમાં નાપાસ હોવાથી ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી શક્યા નથી. હવે નિયમ મુજબ 5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવાથી તેઓ પરીક્ષા ફોર્મ ભરી શકતા નથી. યુનિવર્સિટીએ અગાઉ વર્ષ 2011થી 2018 સુધીની બેચના વિદ્યાર્થીઓને આવી છેલ્લી તક આપી હતી, તો 2019 ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ? સમયસર પરિણામો પણ જાહેર થતા નથી, એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિધાનને ટાંકીને અમે સત્તાધીશોને જગાડવા માટે 'ઝાલમૂડી અને મેલોડી' ખવડાવવા આવ્યા છીએ. કુલપતિ હાજર ન હોવાથી કાર્યકરોએ કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાને આ સામગ્રી સુપ્રત કરી હતી. NSUIની મુખ્ય બે માંગણીઓ 1. 2019ના વિદ્યાર્થીઓને 'સ્પેશિયલ ટ્રાયલ' આપવું કોરોના કાળના જે વિદ્યાર્થીઓ મેક્સિમમ એટેમ્પ્ટ (મહત્તમ પ્રયાસો) માં પણ પરીક્ષા પાસ નથી કરી શક્યા, તેમને ભવિષ્ય બગડતું અટકાવવા માટે ફરી એકવાર સ્પેશિયલ કેસ તરીકે પરીક્ષા આપવાનો મોકો આપવો. 2. પરિણામોમાં ચાલતી ઘોર બેદરકારી અને વિલંબ બંધ કરવો યુનિવર્સિટીના નિયમ મુજબ પરીક્ષાના 45 દિવસમાં પરિણામ જાહેર કરવાનું આશ્વાસન અપાય છે, પરંતુ વર્તમાનમાં ઘણા કોર્ષની પરીક્ષાઓને 3 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રિઝલ્ટ જાહેર કરાયા નથી. આ અસાધારણ વિલંબથી તેજસ્વી વિદ્યાર્થીઓનું આગળનું શૈક્ષણિક વર્ષ અને નોકરીની તકો જોખમમાં મુકાઈ રહી છે. કુલપતિએ ગઈકાલે જ નિર્ણય લઈ લીધો છે, પરિપત્ર જાહેર થશે: કુલસચિવ NSUIના વિરોધ પ્રદર્શન બાદ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2019ના વિદ્યાર્થીઓ કે જેઓ કોરોના કાળ દરમિયાન મેક્સિમમ એટેમ્પ્ટમાં પણ પરીક્ષા આપી શક્યા નથી, તેમના હિતમાં કુલપતિ દ્વારા 26 મેને મંગળવારે જ હકારાત્મક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. આ અંગે ટૂંક સમયમાં જ સત્તાવાર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાશે. જ્યાં સુધી બાકી પરિણામોનો સવાલ છે, અમારી પહેલી પ્રાયોરિટી સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપવાની છે. મોટાભાગની ફેકલ્ટીના પરિણામો મુકાઈ ગયા છે, માત્ર એક કે બે ફેકલ્ટીના પરિણામ બાકી છે જે આગામી 1 અઠવાડિયાની અંદર જાહેર કરી દેવામાં આવશે. રજૂઆતના અંતે યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગેનો પરિપત્ર જારી કરીને વિદ્યાર્થીને મોટી રાહત આપી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર કુંભારવાડાનો શખ્સ ઝડપાયો:મહિલાને બે વખત ગર્ભ રાખી ઢીકાપાટુનો મારમારી ગર્ભપાત કરાવ્યુ, આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો
    Next Article
    નિવૃત્ત DySPનું જાહેરમાં બંદૂક કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ, VIDEO:નહેરૂનગરમાં જમીન વિવાદ મામલે આશોક ચૌહાણે ગાળાગાળી કરી ફાયરિંગ કર્યું, પોલીસની ઘટનાસ્થળે તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment