Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલની સ્વામિનારાયણ યુનિ.માં પરીક્ષા નિયામક ગુંજન શાહ સામે NSUIનો આક્ષેપ:ધિણોજની બી.એડ કોલેજમાં આચાર્ય સહિત બે જગ્યાએ ફરજમાં હોવાનો સુધીર રાવલનો દાવો, રાજ્યપાલને રજૂઆત કરાશે

    22 hours ago

    કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકે ફરજ બજાવતા ડૉ. ગુંજન ઉમેશકુમાર શાહ સામે NSUI દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. બે જગ્યાએ ગુંજન શાહ ફરજ બજાવતો હોવાનો NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકે અને ધિણોજની વિદ્યાસાગર બી.એડ કોલેજમાં આચાર્ય તરીકે એક સાથે ફરજ બજાવતા હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ ગુંજન શાહ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. તેમજ રાજ્યપાલ અને અમિત શાહ સુધી ફરિયાદ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. કલોલની સ્વામિ. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક સામે આક્ષેપ ગુજરાત NSUIના પ્રવક્તા સુધીર રાવલે જણાવ્યું હતું કે, કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકે ફરજ બજાવતા ડૉ. ગુંજન ઉમેશકુમાર શાહ સ્વામિનારાયણ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી ત્યાં જ પરીક્ષા નિયામક તરીકે ફરજ બજાવે છે. તેમજ આ જ ગુંજન ઉમેશકુમાર શાહ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાસાગર બી.એડ કોલેજ જે ધિણોજ ગામ ખાતે છે. ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. પાંચ વર્ષની નિમણૂક આચાર્ય તરીકે ત્યાં ધરાવે છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા 8 જાન્યુઆરી, 2021ના રોજ આચાર્ય તરીકે એન્ડોશ કરેલા છે. ગુંજન શાહ બે જગ્યાએ ફરજ બજાવે છે: સુધીર રાવલ બે જગ્યાએ ગુંજન શાહ ફરજ બજાવતો હોવાનો આક્ષેપ કરી સુધીર રાવલે જણાવ્યું હતું કે, ગુંજન શાહ હવે પરીક્ષા નિયામક તરીકે રેગ્યુલર છે કે પછી ધિણોજની વિદ્યાસાગર બી.એડ કોલેજમાં રેગ્યુલર જાય છે તે સૌથી મોટો સવાલ છે. પરીક્ષા નિયામક એક એવી મહત્વની પોસ્ટ છે કે, જેમાં 10.30થી 6.10 સુધી સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ફરજ પર હાજર રહેવું પડે. બે જગ્યાએ ગુંજન શાહ એક સાથે કઈ રીતે ફરજ બજાવે છે? સ્વામિનારાયણ યુનિવર્સિટી ભૂતકાળમાં પણ વિવાદમાં રહેલી છે. તેના સાયન્સના ડીનનું પણ એક કૌભાંડ જાહેર કરીશું. જે પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના એન્ડોસ પ્રિન્સિપાલ છે તેમ છતાં પરીક્ષા નિયામક જેવા મહત્વની પોસ્ટ આપવામાં આવી છે. 'રાજ્યપાલને રજૂઆત કરીશું કડક કાર્યવાહી માટે' કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સુધીર રાવલે જણાવ્યું હતું કે, આ બાબતનો અમે લોકો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં ન આવે તેવી અમે માંગ કરીએ છીએ. અમિત શાહના વિસ્તારમાં આ યુનિવર્સિટી આવે છે, જેથી તેમને પણ અમે રજૂઆત કરીશું. ગુજરાતમાં દાખલો બેસે તે રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. તેમજ આ બાબતે રાજ્યપાલને રજૂઆત કરીશું અને કડક કાર્યવાહી કરવા માંગ કરીશું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર:રેલવે અંડરપાસમાં કમરસમા પાણી, વાહન વ્યવહાર ઠપ્પ; 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, પારનેરામાં રસ્તા પરથી ઝાડ હટાવાયું
    Next Article
    ગાંધીનગરની કેનાલમાં બાળકો સાથે પરણિતાના આપઘાત મામલો:પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી કંટાળી બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, પ્રેમિકા સહિત 4 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment