Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની કેનાલમાં બાળકો સાથે પરણિતાના આપઘાત મામલો:પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી કંટાળી બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, પ્રેમિકા સહિત 4 સામે ગુનો

    23 hours ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઇ ગામે રહેતી પરણિતાને તેના પતિના અનૈતિક સંબંધો અને સાસરિયાંના માનસિક-શારીરિક ત્રાસના કારણે બે નિર્દોષ બાળકો સાથે ગત 11 જૂને કેનાલમાં ઝંપલાવવાની ફરજ પડી હતી. આ કરુણ દુર્ઘટનામાં માસૂમ પુત્ર અને માતાનું મોત નીપજ્યું છે. આ મામલે ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકે પતિ, દાદા સસરા, દાદી સાસુ અને પતિની પ્રેમિકા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. પતિને આડા સંબંધો હોવાની જાણ પત્નીને થઈ હતી મહેસાણા જિલ્લાના રામપુરા (મુલસણ)ના વતની પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની દીકરીના લગ્ન વર્ષ 2017માં પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઇ ખાતે રહેતા શખ્સ સાથે થયા હતા. પરિણીતાને સંતાનમાં છ વર્ષનો પુત્ર અને આઠ માસનો પુત્ર હતા. લગ્નના શરૂઆતના બે વર્ષ સંસાર સારો ચાલ્યા બાદ 2020થી ગૃહક્લેશ શરૂ થયો હતો. પતિની પ્રેમિકા ઝઘડો કરી માનસિક ત્રાસ આપતી કેમ કે પતિને અન્ય કોઈ મહિલા સાથે આડા સંબંધો હોવાની જાણ પત્નીને થઈ ગઈ હતી. જ્યારે પણ પત્ની આ બાબતે પતિને રોકટોક કરતી ત્યારે પતિ તેની સાથે મારઝૂડ કરી ત્રાસ આપતો હતો. એટલું જ નહીં ઘરમાં રહેતા દાદા સસરા અને દાદી સાસુ પણ પૌત્રનું ઉપરાણું લઈ પરિણીતાને મેણાટોણા મારી ત્રાસ આપતા હતા. જ્યારે પતિની પ્રેમિકા પણ અવારનવાર ઘરે આવી પત્ની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતી હતી. બંને બાળકો સાથે નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું જૂન 2026ની શરૂઆતમાં આ ત્રાસથી કંટાળી પત્ની બાળકો સાથે પિયર જતી રહી હતી. પરંતુ પરિવારે સમજાવીને તેને પરત સાસરે મોકલી હતી. તેવામાં ગત 11 જૂનના રોજ સાંજે આશરે સાડા સાત વાગ્યે પત્નીએ કલોલ તાલુકાના શેરીસા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પોતાના બંને બાળકો સાથે ઝંપલાવ્યું હતું. પરણિતીના અંગોનું દાન કરાયું, પિતા સહિત પરિવારનો નિર્ણય કેનાલ આસપાસના સ્થાનિકોએ પરિણીતા અને તેના નાના પુત્રને બચાવી 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે મોટા પુત્રની લાશ બીજા દિવસે 12 જૂને પીયજ રામનગર કેનાલમાંથી મળી આવી હતી. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી પરિણીતાનું પણ 18 જૂનના રોજ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સિવિલમાં પરણિતાના અપમૃત્યુ પછી પિયર પક્ષે 19 જૂને તેના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. જે માટે ગ્રીન કોરિડોર રચીને અંગો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પિતાએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ આખરે પોલીસે પતિ, દાદા સસરા, દાદી સાસુ અને પતિની પ્રેમિકા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કલોલની સ્વામિનારાયણ યુનિ.માં પરીક્ષા નિયામક ગુંજન શાહ સામે NSUIનો આક્ષેપ:ધિણોજની બી.એડ કોલેજમાં આચાર્ય સહિત બે જગ્યાએ ફરજમાં હોવાનો સુધીર રાવલનો દાવો, રાજ્યપાલને રજૂઆત કરાશે
    Next Article
    રાજ્યના નવ નિયુક્ત DGP જી.એસ.મલિક વડોદરાની મુલાકાતે:શહેરમાં કાયદો-વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી, સુરક્ષા, ટ્રાફિક અને ગુનાખોરી નિયંત્રણ રાખવા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment