Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ-દહિસર હાઈવેની દુર્દશા મામલે હાઈકોર્ટ આકરા પાણીએ:જિલ્લા કલેક્ટરોને પક્ષકાર બનાવવા આદેશ, NHAI દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરાઈ

    11 hours ago

    ભરૂચ-દહિસર હાઈવેની દુર્દશા અને ટોલ ટેક્સના મુદ્દે થયેલી જાહેર હિતની અરજી (PIL) પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં NHAIએ જણાવ્યું હતું કે, તેઓએ ભરૂચ ભરૂચ-દહિસર હાઈવે ઉપર પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરી છે. જેમાં ધ્યાને આવ્યું છે કે, હાઈ-વે પરના ઢાબાઓના કાર્યથી પાણીનો કેચપીટ દ્વારા નિકાલ થતો નથી. જેથી પાણી રોડ ઉપર ભરાતા રોડ તૂટે છે. વળી ઢાબાઓને લઈને હાઈ-વે પર કટ મૂકાતા અકસ્માતો થાય છે. હાઈ-વેની બંને તરફ ટ્રક પાર્ક કરાતા ટ્રાફિકજામ થાય છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે NHAI સ્થાનિક ઓથોરિટી સાથે સંકલનમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવે. આ અરજીમાં સંલગ્ન જિલ્લા કલેક્ટરોને પક્ષકાર બનાવવામાં આવશે. જેથી તેઓને પણ કોર્ટના નિર્દેશ મળે. આ મુદ્દે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે. હાઈ-વે પર આવેલા ઢાબાઓને કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે હાઇકોર્ટે અગાઉ નોંધ્યું હતું કે ભરૂચ-સુરત અને સુરત-દહિસર હાઇવેની પરિસ્થિતિ અત્યંત જર્જર અને બિસ્માર છે. ચાર મહિનાથી તો અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્ટ્રીટ લાઇટ્સ ચાલતી નથી. રોડની પરિસ્થિતિ એટલી બદતર છે કે વાહનચાલકોના જીવને જોખમ ઊભું થયું છે. રોડ પર મોટામોટા ખાડા છે. આવા બિસ્માર રોડ માટે ઓથોરિટી ટોલ લઈ શકે નહીં. રોડની ખરાબ હાલતના લીધે ભારે ટ્રાફિકની સમસ્યા અહીં હંમેશાં રહે છે. જેના લીધે ઉપયોગ કર્તાઓને ભારે નુકસાન વેઠવું પડે છે. 'સામાન્ય નાગરિકોની હાલાકી અસહ્ય છે' - હાઈકોર્ટની ટકોર ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2025ની સુનવણીમાં હાઇકોર્ટે હાઇવેની દુર્દશાની ગંભીર નોંધ લીધી હતી. હાઇકોર્ટે હાઇવેના ખસ્તા હાલ મુદ્દે NHAIની ટીકા કરી હતી અને ટકોર કરી હતી કે આ હાઇવે પરની દુર્દશા તેઓએ પોતાની નજરે જોઇ છે. હાઇવેનો અંકલેશ્વર વાળો પટ્ટો ખાડા-ખરબચડાથી ભરેલો છે. જેના કારણે વાહનો આગળ વધી શકતા નથી અને ભયંકર ટ્રાફિક જામ થાય છે. અહીંનો એક બ્રીજ ક્રોસ કરવામાં લોકોના કલ્લાકો વેડફાઇ જાય છે. આ પરિસ્થિતિ દયનીય છે. જો જજ તરીકે આ વિકરાળ સમસ્યાનો ભોગ બન્યા હોઇએ તો સામાન્ય નાગરિકોને તો કેટલું વેઠવું પડતું હશે ! ટોલ વસૂલાત સામે સવાલ અગાઉની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે હાઈવે પર સ્ટ્રીટ લાઈટ્સ ચાલતી ન હોય અને રોડ પર મોટા ખાડા હોય, એવા બિસ્માર રસ્તાઓ માટે ઓથોરિટી ટોલ વસૂલી શકે નહીં. NHAIએ જ્યારે GIDCના ટ્રકોના પાર્કિંગને ટ્રાફિકનું કારણ ગણાવ્યું ત્યારે કોર્ટે તેને ફગાવી દેતા કહ્યું હતું કે, "તમે હાઈ-વેના ઓપરેશન્સ માટે ટોલ વસૂલો છો, તો વહીવટ કરવાની જવાબદારી પણ તમારી જ છે. જો તમે પગલાં ન લઈ શકતા હોવ, તો કોર્ટ આદેશ કરશે." હવે કલેક્ટરોની જવાબદારી નક્કી થશે આજના નિર્દેશ મુજબ, હાઈકોર્ટે NHAIને સ્થાનિક ઓથોરિટી સાથે સંકલન સાધી આ સમસ્યાઓનો ઉકેલ લાવવા જણાવ્યું છે. આ કેસમાં હવે સંબંધિત જિલ્લા કલેક્ટરોને પક્ષકાર બનાવવામાં આવશે, જેથી તેઓ પણ કોર્ટના સીધા નિર્દેશ હેઠળ કામગીરી કરી શકે. હાઈ-વે પરના દબાણો હટાવવા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા હવે મહત્વની રહેશે. આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં યોજાશે, જેમાં હાઈ-વે પર થયેલી કામગીરી અને કલેક્ટરોના રિપોર્ટ પર કોર્ટ નજર રાખશે.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું:કાળિયા ઠાકોરના મનોરથ મોંઘા પડશે, ભાવનગરમાંથી ઝડપાઈ બાંગ્લાદેશી મહિલાઓ, કામધંધો કરવાની ટકોર કરતા નાનીનું ગળું કાપ્યું
    Next Article
    તેલીબિયાં પાક બિયારણ સહાય માટે i-Khedut પોર્ટલ ખુલ્યું:ખેડૂતો 17 મે સુધી મગફળી, સોયાબીન, દિવેલા, તલ માટે અરજી કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment