Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ જળપ્રલયમાં ગુમ થયેલા સ્વજનોની ઓળખ કરાવશે NFSU:10 સભ્યોની ટીમ રવાના, DNA સેમ્પલ મેચિંગથી મૃતકોની ઓળખ થશે

    18 hours ago

    નેપાળમાં સર્જાયેલી ભયાનક જળપ્રલયની હોનારતમાં મૃત્યુ પામેલા અજાણ્યા લોકોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ગુજરાત સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ની 10 સભ્યોની વિશેષ ટીમ શનિવારે સાંજે નેપાળ જવા રવાના થઈ છે. આ મિશનનું નેતૃત્વ NFSU ના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન DNA ફોરેન્સિક્સના વડા ડો. ભાર્ગવ પટેલ સંભાળી રહ્યા છે. આ નિષ્ણાત ટીમ ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન (DVI) આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અંતર્ગત મૃતદેહો તેમજ તેમના લાચાર પરિવારજનોના DNA સેમ્પલ્સનું ચોકસાઈપૂર્વક મેચિંગ કરીને મૃતકોની સાચી ઓળખ કરવામાં નેપાળ સરકારને સીધી મદદ કરશે, જેથી પૂર અને ભૂસ્ખલનમાં ગુમ થયેલા લોકોના પરિવારોને તેમના સ્વજનો અંગે સચોટ માહિતી મળી શકે. ભારતના વિદેશ અને ગૃહ મંત્રાલયના સંયુક્ત માર્ગદર્શન હેઠળ મિશન કાર્યરત ગાંધીનગર સ્થિત NFSU ની આ વિશેષ ફોરેન્સિક ટીમ ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) તેમજ ગૃહ મંત્રાલય (MHA) ના સંયુક્ત દિશાનિર્દેશ હેઠળ આંતરરાષ્ટ્રીય રાહત મિશન તરીકે નેપાળમાં કામગીરી કરશે. ટીમ ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ કલેક્શન અને હાઇ-ટેક ટેસ્ટિંગ સહિતની જરૂરી તમામ ફોરેન્સિક પ્રક્રિયાઓ યુદ્ધના ધોરણે હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે NFSU ની DNA ફોરેન્સિક ટીમ અગાઉ પણ અનેક મોટી દુર્ઘટનાઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવી ચૂકી છે, જેમાં 12 જૂન, 2025 ના રોજ સર્જાયેલી AI-171 વિમાન દુર્ઘટના બાદ મૃતકોના DNA મેચિંગની જટિલ કામગીરી માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક ઝડપે પૂર્ણ કરવામાં આવી હતી. કુદરતી હોનારતોમાં DNA ટેકનોલોજી આધારિત ઝડપી આઇડેન્ટિફિકેશન વિશાળ સ્તરની કુદરતી આપત્તિઓમાં જ્યારે મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં હોય અને સામાન્ય રીતે ઓળખવા અશક્ય બને ત્યારે આધુનિક DNA ફોરેન્સિક્સ સૌથી સચોટ અને વિશ્વસનીય સાધન સાબિત થાય છે. NFSU ની ટીમ અસરગ્રસ્ત પરિવારો પાસેથી બ્લડ અને સ્વેબ સેમ્પલ્સ મેળવીને મૃતદેહોના ડીએનએ પ્રોફાઇલ સાથે તેનું અત્યાધુનિક લેબોરેટરી સિસ્ટમ મારફતે મેચિંગ કરશે. આ વૈજ્ઞાનિક રિપોર્ટના આધારે સત્તાવાર રીતે મૃતદેહોની ઓળખ કરીને તેમના વારસદારોને સોંપવામાં આવશે. બીજા વિશ્વયુદ્ધના ગુમ અમેરિકન સૈનિકોની શોધમાં પણ NFSU અગ્રેસર ગુજરાતની NFSU ની વૈશ્વિક કક્ષાની ફોરેન્સિક ક્ષમતાઓને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટી સ્વીકૃતિ મળી રહી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (DOD) સાથેના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ NFSU ના નિષ્ણાતો ભારતના વિવિધ વિસ્તારોમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયેલા અમેરિકન સૈનિકોના અવશેષો શોધવાના મિશનમાં કાર્યરત છે. આ પ્રોજેક્ટ દરમિયાન અત્યાર સુધીમાં 3 અમેરિકન સૈનિકોના પાર્થિવ અવશેષો શોધી કાઢીને ઓળખ કરવામાં આવી છે, જેને આંતરરાષ્ટ્રીય ફોરેન્સિક ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે. હવે નેપાળના આ જળપ્રલયમાં પણ NFSU ના નિષ્ણાતો માનવતાવાદી અભિગમ સાથે મહત્વનું યોગદાન આપશે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસનો વિરોધ કે નાટક !:દિલ્હીમાં યુવાનો પર પેલેટ ગન ચલાવવા મામલે કેન્દ્રીય ગૃહમંત્રીનું રાજીનામું માંગવાના વિરોધમાં માંડ 10 કાર્યકર્તા પહોંચ્યા
    Next Article
    GSFC યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો:વિદ્યાર્થીઓને પદવી એનાયત, 17માંથી 12 ગોલ્ડ મેડલ મેળવી દીકરીઓએ બાજી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment