Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજીનામા બાદ પ્રધાન સંસદ પહોંચ્યા, NDA સાંસદોએ સ્વાગત કર્યું:વિપક્ષનું ગૃહની બહાર અને અંદર વિરોધ પ્રદર્શન, લોકસભા-રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત

    1 day ago

    આજે સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ વિપક્ષે હોબાળો મચાવ્યો છે. લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવે છે. આ પહેલા પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન NDA સાંસદોએ સંસદ ભવનની બહાર તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમનું સ્વાગત કર્યું. પ્રધાને NEET પેપર લીક વિવાદ વચ્ચે 25 જુલાઈએ શિક્ષણ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ તરફ, દેશભરમાં વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહીના વિરોધમાં વિપક્ષે રાજ્યસભા અને લોકસભામાં હોબાળો કર્યો. આ પછી કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. બીજી તરફ સવારે 10:30 વાગ્યે વિપક્ષે સંસદના મકર દ્વાર પર પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષો સરકાર પાસેથી NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે જવાબ માંગી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને વિદ્યાર્થી આંદોલન સમાપ્ત થયાના 2 દિવસ પછી આજે સંસદમાં પેપર લીકની રોકથામ સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આ બિલનું નામ 'જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026' છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ લોકસભામાં બિલ રજૂ કરશે. આ બિલ દ્વારા 2024માં બનેલા કાયદામાં ફેરફાર કરવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ કડક સજા અને ભારે દંડની જોગવાઈ હશે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી શકશે. આ અદાલતોમાં રોજ સુનાવણી થશે. પેપર લીક મામલે વિપક્ષની પ્રતિક્રિયા, માંગ- પીએમ સંસદમાં નિવેદન આપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 25 જુલાઈએ કહ્યું હતું કે અમે પેપર લીક સંબંધિત બિલને લઈને બેઠક કરીશું. બિલ પર શું વલણ હશે, તે પરસ્પર ચર્ચા કરીને નક્કી કરીશું. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું- આ કોઈ પક્ષ વિશેષનો નહીં પરંતુ દેશના કરોડો યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો છે. પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે સરકારની સીધી જવાબદારી બને છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- જ્યારે સંસદ ચાલી રહી હોય ત્યારે વડાપ્રધાને સંસદના પટલ પર નિવેદન આપવું પડે છે, મોડી રાત્રે એક વીડિયો બનાવીને, સંસદની બહાર એકતરફી મનની વાત નથી કરવાની હોતી. સંસદ સત્ર સાથે જોડાયેલા પળેપળના અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    સિયેટલ ફૂડ ફેસ્ટિવલમાં ફાયરિંગ:2નાં મોત, બાળક સહિત 5 ઘાયલ; પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો
    Next Article
    14 કલાકથી પૂરમાં ફસાયેલા યુવકને બચાવવા PI વીજળીના થાંભલે ચઢ્યા:પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જીવ સટોસટનો જંગ જામ્યો, વાપીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment