Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળશે, કેન્દ્રનો નિર્ણય:દરેક જિલ્લામાં 2 પંપ પર સુવિધા હશે, ઓઈલ કંપનીઓ 5 હજાર લિટર સ્ટોક રાખી શકશે

    10 hours ago

    કેન્દ્ર સરકારે રવિવારે નિર્ણય લીધો છે કે હવે રેશનિંગની દુકાનોની સાથે-સાથે પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળી શકશે. હવે સરકારી ઓઈલ કંપનીઓ નિર્ધારિત પેટ્રોલ પંપો પરથી પણ કેરોસીન રાખી અને વિતરણ કરી શકશે. દરેક જિલ્લામાં રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન વધુમાં વધુ 2 પેટ્રોલ પંપ પસંદ કરશે, જ્યાં આ સુવિધા આપવામાં આવશે. આ પેટ્રોલ પંપો પર વધુમાં વધુ 5 હજાર લિટર સુધી કેરોસીન રાખી શકાશે. સરકારે સપ્લાય સરળ બનાવવા માટે 60 દિવસ માટે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ના નિયમોમાં છૂટછાટ આપી છે, જેથી જરૂરિયાતમંદ પરિવારો સુધી ઓઈલ સમયસર પહોંચી શકે. સરકારનો આ નિર્ણય અમેરિકા-ઇઝરાયેલના ઇરાન સંઘર્ષને કારણે લેવામાં આવ્યો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ગેસ, પેટ્રોલ-ડીઝલની અછત છે. કેન્દ્ર સરકાર સતત વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહી છે. કેરોસિન મેળવવા માટેની 5 શરતો નિયમોમાં શું છૂટછાટ આપવામાં આવી? સરકાર બોલી- ક્રૂડ ઓઇલનો પર્યાપ્ત સ્ટોક સરકારના મતે, તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કામ કરી રહી છે અને ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશભરના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. ઘરેલું વપરાશને ધ્યાનમાં રાખીને રિફાઇનરીઓમાંથી એલપીજીનું ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે. કેટલાક રાજ્યોમાં અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર ભીડ અને વધુ વેચાણ જોવા મળ્યું. સરકારે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રકારની અછત નથી અને લોકોને ગભરાઈને ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે. LPG અને ગેસ સપ્લાયની સ્થિતિ કેરોસીન અને વૈકલ્પિક ઇંધણ પર ભાર સરકારે રાજ્યોને વધારાના 48000 કિલો લિટર કેરોસીન ફાળવ્યું છે. એલપીજીની માંગ ઘટાડવા માટે કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારે સિટી ગેસ કંપનીઓને હોટેલ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સંસ્થાઓમાં PNG કનેક્શન વધારવા નિર્દેશ આપ્યા છે. ઔદ્યોગિક અને કોમર્શિયલ ગેસ ગ્રાહકોને હાલમાં સરેરાશ વપરાશના 80% ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. 28 માર્ચ: પીએમ મોદીએ કહ્યું- યુદ્ધના કારણે દુનિયામાં પેટ્રોલ-ડીઝલની કટોકટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતનાં 132મા એપિસોડમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની કટોકટી સર્જાઈ છે, પરંતુ ભારત આ પડકારનો સામનો કરી રહ્યું છે. સરકાર લોકોને અપીલ કરે છે કે કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પર વિશ્વાસ કરો. કેટલાક લોકો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આનાથી તેઓ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. 27 માર્ચ: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટી, ભાવ વધશે નહીં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ પરની ડ્યુટી ₹13 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર ₹10 થી શૂન્ય કરવામાં આવી છે. એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. યુએસ-ઇઝરાયેલ સાથે ઇરાનના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલરથી વધીને 110 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. આનાથી ઓઈલ કંપનીઓને પ્રતિ લિટર 30 રૂપિયા સુધીનું નુકસાન થઈ રહ્યું હતું. નુકસાન ભરપાઈ કરવા માટે ઓઈલ કંપનીઓ ભાવ વધારી શકી હોત.
    Click here to Read More
    Previous Article
    IPL 2026, MI vs KKR highlights: Mumbai beat Kolkata by six wickets in Wankhede
    Next Article
    Gir Somnath Food Department | ઉના બાયપાસ પરથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો | Gujarati Samachar

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment