Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUમાં મોદી તત્ત્વ-RSS અને સયાજીરાવ ગાયકવાડ વિશે પાઠ ભણાવાશે:સોશિયોલોજી વિભાગમાં નવા અભ્યાસક્રમની બેઠકો 50થી વધારી 286 કરાઈ, PMના નેતૃત્વ અને લોકપ્રિયતાનો અભ્યાસ કરાવાશે

    12 hours ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) વડોદરાએ શૈક્ષણિક વર્ષ 2026-27થી સમાજશાસ્ત્ર વિભાગમાં ઐતિહાસિક ફેરફાર કર્યા છે. બી.એ. ચોથા વર્ષ અને એમ.એ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ’ (દેશભક્તિનું સમાજશાસ્ત્ર) નામનો નવો મેજર કોર્સ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમાજ સુધારણાના કાર્યોનો અભ્યાસ કરાવવામાં આવશે. સમાજશાસ્ત્ર વિભાગના હેડ પ્રો. વીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ કોર્સમાં સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ (દેશભક્તિનું સમાજશાસ્ત્ર) નામના પેપર હેઠળ વડાપ્રધાન મોદીના નેતૃત્વના પાસાઓનો અભ્યાસ કરવામાં આવશે. આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પીએમની કાર્યશૈલીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે શું ભણાવશે પીએમ મોદીના નેતૃત્વ અને સત્તા અંગે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. સાથે તેઓની લોકપ્રિયતા અને તેઓ કઈ રીતે જનતા સાથે રહે છે. સમાજ તેમને કઈ રીતે પ્રતિસાદ આપે છે તેનું સમાજશાસ્ત્રી વિશ્લેષણ કરવામાં આવશે. જે રીતે આજે આપણે સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકર વિશે ભણીએ છીએ, તેવી જ રીતે વર્તમાન પેઢી માટે પીએમ મોદીના નેતૃત્વને અત્યારથી જ સમજવું અનિવાર્ય છે જેથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ શકે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિસરાયેલા કાર્યો નવા કોર્સમાં મહારાજા સયાજીરાવના એવા સામાજિક સુધારાઓને સ્થાન અપાયું છે જે સામાન્ય જનતા સુધી પૂરતા પહોંચ્યા નથી. મહારાજાએ કન્યા શિક્ષણ ફરજિયાત બનાવ્યું હતું અને દીકરીને શાળાએ ન મોકલનાર વાલીઓ પર 'પોઝિટિવ ટેક્સ' નાખી સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખ્યો હતો. વડોદરામાં રેલવે જંકશન લાવવા બ્રિટિશરોને નાણાં આપી રૂટ બદલાવ્યો હતો, જેથી જનતા નવી ટેકનોલોજી શીખી શકે. કાશી હિંદુ યુનિવર્સિટીમાં લાઈબ્રેરી માટે મોટું દાન અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું પ્રદાન. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને બેઠકોમાં વધારો આ અભ્યાસક્રમ પ્રત્યે વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. ગત વર્ષે માત્ર 50 બેઠકો સામે 850 જેટલી અરજીઓ મળતા, આ વર્ષે બેઠકોની સંખ્યા વધારીને 286 કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં એશિયા અને આફ્રિકાના 5 થી 6 દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, જેઓ હવે મહારાજા અને વર્તમાન ભારતના નેતૃત્વ વિશે ઊંડાણપૂર્વક જાણી શકશે. આ નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભારતીય ઇતિહાસના સુધારકો અને આધુનિક ભારતના નેતૃત્વ વચ્ચેના સમાજશાસ્ત્રીય સંબંધોને સમજવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત સમયે મદદ કરનારને તાત્કાલિક મુક્ત કરાશે:વિદ્યાર્થીઓને ફર્સ્ટ-એઇડ ને CPRની ટ્રેનિંગ અપાશે, રોડ એક્સિડન્ટમાં મૃત્યુદર ઘટાડવા નવી ગાઇડલાઇન
    Next Article
    સાબરકાંઠા SPએ કમાન્ડોને પોતાની ખુરશી પર બેસાડી સન્માન્યા:નિવૃત્તિ વિદાય સમારંભમાં અધિકારી-કર્મચારી વચ્ચેનો ભેદભાવ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment