Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા SPએ કમાન્ડોને પોતાની ખુરશી પર બેસાડી સન્માન્યા:નિવૃત્તિ વિદાય સમારંભમાં અધિકારી-કર્મચારી વચ્ચેનો ભેદભાવ તોડ્યો

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે એક અનોખો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે તેમના કમાન્ડો તરીકે ફરજ બજાવતા એ.એસ.આઈ. દિનેશભાઈ ઝરીયાને નિવૃત્તિ પ્રસંગે વિશિષ્ટ સન્માન આપ્યું હતું. વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં દિનેશભાઈ ઝરીયાએ વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. તેમની સેવાઓની કદર કરતા એસ.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે તેમને પોતાની ખુરશી પર બેસાડી સન્માનિત કર્યા હતા. સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે હોદ્દાનો અંતર રહેતો હોય છે, પરંતુ આ પ્રસંગે તે ભેદભાવને તોડીને સાચા નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ રજૂ થયું હતું. આ દ્રશ્ય હાજર રહેલા પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણાદાયક બન્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વર સહિત પોલીસ પરિવાર તરફથી દિનેશભાઈને તેમના નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    MSUમાં મોદી તત્ત્વ-RSS અને સયાજીરાવ ગાયકવાડ વિશે પાઠ ભણાવાશે:સોશિયોલોજી વિભાગમાં નવા અભ્યાસક્રમની બેઠકો 50થી વધારી 286 કરાઈ, PMના નેતૃત્વ અને લોકપ્રિયતાનો અભ્યાસ કરાવાશે
    Next Article
    શ્રમિકો માટે હેલ્થ કેમ્પ, 110 શંકાસ્પદ શ્રમિકોનું એક્સ-રે સ્ક્રીનિંગ:ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની પણ તપાસ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment