Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ યોજાયું:કલેક્ટર, SPની હાજરીમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિદર્શન કરાયું

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં આગામી 15મી ઓગસ્ટના રોજ યોજાનારી જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે ખેડબ્રહ્માની શેઠ કે. ટી. હાઈસ્કૂલ ખાતે રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. રિહર્સલ દરમિયાન પરેડ, પોલીસ પ્લાટૂન દ્વારા સલામી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટર સહિત ઉપસ્થિત અધિકારીઓએ સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટરે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની તૈયારીઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. તેમણે કાર્યક્રમનું સુચારુ આયોજન, સમયબદ્ધ કામગીરી અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ સાબરકાંઠા જિલ્લાના નાગરિકો, વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોને ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી છે. બીજી તરફ, હિંમતનગરના મહેતાપુરામાં આવેલી ત્રિવેણી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વોર્ડ નંબર 1ના હિંમતનગર નગરપાલિકાના સદસ્ય ગાયત્રીબેન વાળંદ અને વિદ્યાલયના શિક્ષક પૂર્ણિમાબેન ભટ્ટ સહિતના સ્ટાફે તિરંગા રેલીને ફ્લેગ ઓફ કરાવી હતી. ત્યારબાદ આ રેલી વિસ્તારના માર્ગો પર ફરી હતી, જેના કારણે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પ્રોહિબિશન બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી:જિલ્લા મેજિસ્ટ્રેટના વોરંટ બાદ ભાવનગર જેલ હવાલે
    Next Article
    'વિદ્યાર્થીઓના મુદ્દે તમારી સાથે ડિબેટ કરવા તૈયાર':ઝારખંડના યુવાનોની ચિંતા કરતા જીતુ વાઘાણીને યુવરાજસિંહ જાડેજાનો પડકાર, કહ્યું-'ગુજરાતમાં ભરતી પ્રક્રિયાના પ્રશ્નોના જવાબ સરકારે આપવા જોઈએ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment