Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવેશ પરીક્ષાને લઈ વિદ્યાર્થી નેતા મેદાને:MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ એક્ઝામના નામે 20 લાખની કમાણી; વિદ્યાર્થી નેતા માંગ કે તેનો યોગ્ય ઉપયોગ થાય

    1 day ago

    ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી પ્રથમ વખત દાખલ કરવામાં આવેલી પ્રવેશ પરીક્ષા (Entrance Exam) મોટો વિવાદ જગાવી રહી છે. આ પરીક્ષાના માધ્યમથી ફેકલ્ટીને લાખો રૂપિયાની કમાણી થઈ હોવાનો ખુલાસો થતાં જ વિદ્યાર્થી સંગઠનો મેદાને આવ્યા છે. વિદ્યાર્થી અગ્રણીઓએ આ રકમનો ઉપયોગ માત્ર અને માત્ર વિદ્યાર્થીઓના હિત અને સુવિધાઓ માટે જ કરવાની માંગ સાથે ડીન ઓફિસ સામે સવાલો ઉઠાવ્યા છે. 10 હજારથી વધુ રજિસ્ટ્રેશન કોમર્સ ફેકલ્ટીમાં B.Comમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે અંદાજે 10,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા દરેક વિદ્યાર્થી દીઠ ₹200ની એન્ટ્રન્સ ફી વસૂલવામાં આવી હતી. આ ગણતરી મુજબ કોમર્સ ફેકલ્ટીને અંદાજે ₹20 લાખ જેટલી માતબર રકમની આવક થઈ છે. વિદ્યાર્થી અગ્રણી નિકેત સોલંકીએ આ અંગે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, જે કામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ન કરી શક્યા, તે કામ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રગ્નેશ શાહે કરી બતાવ્યું છે અને ફેકલ્ટી માટે મોટી કમાણી ઊભી કરી છે. "રૂપિયા વિદ્યાર્થીઓ પાછળ વપરાશે કે અન્ય કામોમાં?" વિદ્યાર્થી સંગઠને આટલી મોટી રકમ એકઠી થવા સામે વિરોધ નોંધાવતા પૂછ્યું છે કે, આ ₹20 લાખનો ઉપયોગ વિદ્યાર્થીઓની સવલતો અને તેમના ભવિષ્યના લાભ માટે થશે કે પછી તેને અન્ય બિનજરૂરી કામોમાં વાપરી નાખવામાં આવશે? સંગઠને સ્પષ્ટ માંગ કરી છે કે આ રકમનો એક-એક રૂપિયો કેમ્પસના વિકાસ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ પાછળ જ ખર્ચાવો જોઈએ. પરીક્ષા ન આપનાર તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રવેશ સામે સસ્પેન્સ પ્રવેશ પરીક્ષાની વર્તમાન નીતિ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીના નિયમ મુજબ, B.Com ના મેરિટ માટે 25% ગુણ એન્ટ્રન્સ એક્ઝામના અને ૭૫% ગુણ ધોરણ-12ના પરિણામના આધારે ગણવાના નક્કી થયા છે. જોકે, જે તેજસ્વી વિદ્યાર્થીઓએ કોઈ કારણસર એન્ટ્રન્સ એક્ઝામ નથી આપી પરંતુ, ધોરણ-12માં 80% કે 90% જેવા ઊંચા માર્ક્સ મેળવ્યા છે, તેમના એડમિશન પર તલવાર લટકી રહી છે. વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીએ અગાઉ એવું ક્યાંય સ્પષ્ટ કર્યું નહોતું કે એન્ટ્રન્સ પરીક્ષા ન આપનારને પ્રવેશ જ નહીં મળે. તેથી 75% ના ક્રાઇટેરિયા મુજબ વધુ ટકા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે વહીવટી તંત્રએ તેમને પ્રવેશ આપવો જ જોઈએ. RTI અને નવી ડીન ઓફિસના ખર્ચ મુદ્દે ચેતવણી વિદ્યાર્થી નેતા નિકેત સોલંકીએ મીડિયા સમક્ષ ડીન પ્રોફિસર પ્રગ્નેશ શાહને ચેતવણી આપતા જણાવ્યું છે કે, તેઓ માત્ર આ ₹20 લાખનો જ નહીં, પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં બની રહેલી નવી વૈભવી ડીન ઓફિસ પાછળ થઈ રહેલા ખર્ચનો પણ સત્તાવાર હિસાબ માંગશે. જો આ પૈસાનો યોગ્ય ઉપયોગ નહીં થાય, તો આગામી દિવસોમાં આરટીઆઈ (RTI) અંતર્ગત તમામ વિગતો મેળવીને યુનિવર્સિટી સત્તાધીશોના મોટા ખુલાસા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તુરખા ગામ એક મહિનાથી પાણીથી વંચિત:વિફરેલી મહિલાઓએ ખાલી બેડા સાથે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી વિરોધ કર્યો; પોલીસ બંદોબસ્ત
    Next Article
    હજીરામાં અદાણી પોર્ટના કોન્ટ્રાક્ટ બેઝ ક્રેન ઓપરેટરોની હડતાળ:ઈન ફ્યુચર તકલીફ પડશેની ધમકી આપી હોવાનો પોલીસ પર આક્ષેપ, સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment