Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલ રાવની દારૂ-જુગારના અડ્ડાવાળાઓ સાથે સાંઠગાંઠ:MP વસાવા- 'આમને પ્રમુખ પદેથી દૂર કરો'; MLA દર્શના દેશમુખ- 'મને નીચી બતાવવાનું નીલ રાવનું ષડયંત્ર'

    3 days ago

    નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ પક્ષમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. યુવા સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે જાહેરમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. તાજેતરમાં, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નર્મદા જિલ્લામાં ધમધમતા દારૂ અને જુગારના અડ્ડાવાળાઓ સાથે સાંઠગાંઠ છે અને તેના પુરાવા હોવાનો દાવો કર્યો છે . તેમણે માંગ કરી કે આવા અડ્ડાઓ બંધ થવા જોઈએ. સાથે જ નીલ રાવને પ્રમુખ પદેથી દૂર કરવા માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, નાંદોદના MLA દર્શના દેશમુખના અપમાન બાદ વિરોધ વકર્યો છે. સામાજિક દૂષણો અને કાર્યકરોની સુરક્ષા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી આકરાપાણીએ છે, તેમણે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે રોષ ઠાલવીને કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નર્મદા જિલ્લામાં દારૂ-જુગારના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યા છે. જ્યારે પક્ષના જ નિષ્ઠાવાન કાર્યકરો આ સામાજિક દૂષણો સામે અભિયાન ચલાવે છે, ત્યારે તેમને સાથ આપવાને બદલે જિલ્લા પ્રમુખ અને તેમના માણસો દ્વારા ડરાવવામાં આવે છે. આ કેવા પ્રકારનું પક્ષીય નેતૃત્વ છે? ગુનાહિત પ્રવૃત્તિઓને આશ્રય આપતા પ્રમુખને પક્ષમાંથી તાત્કાલિક બરખાસ્ત કરવા જોઈએ. પક્ષની શિસ્ત અને નૈતિકતા સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું હતું કે, જે પક્ષ હંમેશા શિસ્ત, મૂલ્યો અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે, તે નર્મદા જિલ્લામાં દારૂ-જુગારના અડ્ડા ચલાવનારા તત્વોને પ્રોત્સાહન આપતા નેતૃત્વને કેમ ચલાવી લે છે? પક્ષના પાયાના કાર્યકરો લોકહિત માટે લડી રહ્યા છે અને જિલ્લા પ્રમુખ બુટલેગરોની પડખે ઊભા છે. જો હાઈકમાન્ડ તાત્કાલિક પગલાં નહીં ભરે, તો જિલ્લા પંચાયત બાદ આગામી સમયમાં પક્ષે હજુ ઘણું ગુમાવવું પડશે. આદિવાસી સમાજની નારાજગી વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, નીલ રાવ અને તેમની ટોળકીના ભ્રષ્ટાચાર તથા નકારાત્મક વલણને કારણે ભાજપે નર્મદા જિલ્લા પંચાયત ગુમાવવી પડી છે. સ્થાનિક આદિવાસી સમાજ આ પ્રકારના દૂષણો અને ડરાવવા-ધમકાવવાની રાજનીતિથી સખત નારાજ છે. જો પક્ષ સંગઠન આદિવાસી અસ્મિતા અને પ્રજાના અવાજને સાંભળીને તાત્કાલિક પ્રમુખને પદ પરથી નહીં હટાવે, તો પક્ષ પ્રત્યેનો જનઆક્રોશ વધુ ઉગ્ર બનશે. ભાજપના કાર્યક્રમમાં જ MLA દર્શનાબેનનું અપમાન, વોકઆઉટ કરી ધરણાં પર બેઠા રાજપીપળાના આંબેડકર હોલ ખાતે 15 જૂને વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘પ્રબુદ્ધ નાગરિક સન્માન’ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું અપમાન થતાં અને પ્રોટોકોલ ન જળવાતાં તેઓ કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. આટલું જ નહીં, તેઓ ઉગ્ર નારાજગી સાથે ગાંધી ચોક, વડીયા ખાતે ધરણાં પર બેસી ગયા છે, જ્યાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ તેમના સમર્થનમાં ધરણાંમાં જોડાયા છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો) કાર્યક્રમમાં ધારાસભ્યનું યોગ્ય સ્વાગત કરવામાં ન આવ્યું મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપતસિંહ વસાવા સહિતના અગ્રણીઓ હાજર હતા. કાર્યક્રમમાં સ્થાનિક મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું ન હતું અને પ્રોટોકોલ જાળવવામાં આવ્યો ન હતો. સતત થઈ રહેલી ઉપેક્ષાથી નારાજ થઈને ધારાસભ્ય અધવચ્ચે જ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. 'મારું અપમાન કરવા માટે મને અહીંયા બોલાવો છો' કાર્યક્રમમાંથી જતાં જતાં તેઓએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, મારું અપમાન કરવા માટે મને અહીંયા બોલાવો છો. હું ચૂંટણી જીતીને આવી છું, ઉપરથી પેરાગ્લાઈડિગ કરીને નથી આવી. પ્રમુખના કહેવાથી જ મારું અપમાન થયું છે. શું ભારતીય જનતા પાર્ટીની આ જ શિસ્તબદ્ધતા છે. આ લોકોને આદીવાસી સમાજની કાંઈ જ પડી નથી. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી ધરણાં પર બેઠેલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતાં ભાજપ સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મારું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું પીઠબળ હોવાને કારણે જિલ્લા પ્રમુખ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. લોકસભા કે અન્ય ચૂંટણીઓમાં સંગઠને પોતાની મનફાવતી વ્યક્તિઓને ટિકિટો વહેંચી દીધી અને મનમાની કરી, જેના કારણે જ આપણે ચૂંટણી હાર્યા છીએ. દિવ્યભાસ્કરે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કર્યો કાર્યક્રમ દરમિયાન તમારી સાથે શું ઘટના બની હતી? ડૉ. દર્શના દેશમુખ: આ એક સરકારી કાર્યક્રમ હતો. કાર્યક્રમ દરમિયાન ત્યાંના ઉદઘોષકે (એન્કર) જણાવ્યું કે, ધારાસભ્યનું સ્વાગત અને તેમનું ભાષણ પ્રોટોકોલમાં નથી. આ સાંભળીને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ વિરોધ કર્યો કે, સ્થાનિક ધારાસભ્યના વિસ્તારમાં જ કાર્યક્રમ હોય તો તેમની માન-મર્યાદા જળવાવી જોઈએ. સિનિયર આગેવાનોની હાજરીમાં જિલ્લા સંગઠન દ્વારા આવું અપમાન કરાતું હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી. જિલ્લા પ્રમુખ નીલ રાવ તમને કેમ પરેશાન કરી રહ્યા છે? ડૉ. દર્શના દેશમુખ: વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે મને ટિકિટ મળી, ત્યારે પણ તેમણે મને હરાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા, જેની મારી પાસે સાબિતી છે. તેઓ પોતાના પત્ની માટે ટિકિટ મેળવવા માંગતા હતા. હવે વર્ષ 2027ની ચૂંટણી નજીક આવી રહી હોવાથી તેઓ મને નીચી બતાવવા અને મારું નામ ખરાબ કરવા સતત પ્રયત્નો કરે છે. મારી સામે તપાસો કરાવવામાં આવે છે, પોલીસ વિભાગની ધાક-ધમકી અપાય છે અને મારા પરિવારને પણ હેરાન કરવામાં આવી રહ્યો છે. વિવાદ પાછળનો મુખ્ય મુદ્દો શું છે? ડૉ. દર્શના દેશમુખ: નર્મદા જિલ્લો જ નહીં, પણ આખા ગુજરાતમાં 'પેસા એક્ટ'ના કારણે સરપંચ સહિતની મોટાભાગની બેઠકો આદિવાસી સમાજ માટે અનામત હોય છે. બિન-આદિવાસીઓ આદિવાસી સમાજની દીકરીઓ સાથે લગ્ન કરે છે અને કાયદા મુજબ આ દીકરીઓનો આદિવાસી તરીકેનો હક જતો નથી, જેથી તેઓ અનામત બેઠક પર ચૂંટણી લડે છે. જોકે, જીત્યા પછી તમામ વહીવટ તેમના બિન-આદિવાસી પતિઓ જ ચલાવતા હોય છે. નીલ રાવના કિસ્સામાં પણ આવું જ છે, તેઓ પોતાના પત્નીને ટિકિટ અપાવવા માંગે છે. શું તમે આ મામલે પક્ષના પ્રદેશ સંગઠનમાં રજૂઆત કરી છે? ડૉ. દર્શના દેશમુખ: આ બાબતે મેં 2 થી 3 વખત પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરી છે. તેમણે આ મુદ્દે બેઠક યોજીને વાતચીત કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની SSG હોસ્પિટલમાં નમાઝનો વીડિયો વાઈરલ:OPD પાસે ત્રણ લોકો નમાઝ અદા કરતા જોવા મળ્યા, સુપ્રિટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા
    Next Article
    વિકાસથી લઈ ચોમાસા સુધીના મુદ્દાઓ પર આજે કેબિનેટ મંથન:નવી ઔદ્યોગિક નીતિ પર ખાસ ફોકસ, વાયબ્રન્ટ કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment