Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા:બે MPના યુવકે હેરાનગતિ કરવા બદલ પોલીસના સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી, તપાસ બાદ કાર્યવાહી

    2 days ago

    અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ જો નાગરિકોને વગર કારણે હેરાન કરે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવે છે તેવો કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર મળેલી એક ફરિયાદના આધારે તપાસ કરીને અમદાવાદ પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસના બે જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. મધ્યપ્રદેશથી અમદાવાદ આવેલા કરિયર કોચ પંકજસિંહ પરિહારે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી વર્ણવતા એક પોસ્ટ મૂકી હતી. તેમની ફરિયાદ મુજબ, સીટીએમ નજીક એક્સપ્રેસ-વે પર વાહન ચેકિંગ દરમિયાન 'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસના બે જવાનોએ તેમને અટકાવ્યા હતા. આ પોલીસકર્મીઓએ પંકજસિંહનો મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તેમની ખાનગી ગેલેરી તથા મેસેજ તપાસ્યા હતા. એટલું જ નહીં, તેમને એક કલાક સુધી અટકાવી રાખીને ચા-પાણીના નામે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. કબૂતરબાજીનો ખોટો આરોપ મૂકી ડરાવ્યા પંકજસિંહની સાથે તેમના મિત્ર પણ હતા. પોલીસકર્મીઓએ તેમના મિત્રની ડાયરી તપાસી હતી અને તેમાં લખેલી વિગતોના આધારે તેમની પર 'કબૂતરબાજી' (માનવ તસ્કરી) કરતા હોવાનો શંકાસ્પદ અને પાયાવિહોણો આરોપ મૂકી માનસિક ત્રાસ આપ્યો હતો. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ વિભાગની છબી ખરડાઈ હતી, જેના પગલે શહેર પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ડીસીપીની તપાસમાં સત્ય બહાર આવ્યું પોલીસ કમિશનરના આદેશથી સાયબર ક્રાઈમ ડીસીપી લવિના સિંહાએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, 'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ રામસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ કાળુભાઈએ નાગરિકને બિનજરૂરી રીતે હેરાન કર્યા હતા અને પદનો દુરુપયોગ કર્યો હતો. પોલીસ કમિશનરે સસ્પેન્શનનો હુકમ કર્યો તપાસ રિપોર્ટના આધારે અમદાવાદ પોલીસ કમિશનરે શિસ્તભંગના પગલાં લેતા હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ રાજુભાઈને સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજાના રક્ષક ગણાતા પોલીસકર્મીઓ જો પ્રજાને જ હેરાન કરશે, તો તેમને બક્ષવામાં આવશે નહીં. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પોલીસકર્મી ગેરવર્તન કરે તો તેની ફરિયાદ સત્તાવાર માધ્યમો દ્વારા અવશ્ય કરવી.
    Click here to Read More
    Previous Article
    પતિ અને દિયરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું'તુ:રાજકોટમાં ગોંડલ ચોક નજીક ઇકો અને સ્કોર્પિયો કાર વચ્ચેના અકસ્માતમાં થાનના વૃધ્ધાનું પણ સારવાર દરમિયાન મોત
    Next Article
    મધ્યાહનભોજનના નાયબ મામલતદારને ફરજ મોકૂફ કરાયા:જિલ્લાના કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા આવી વર્તણુક ચલાવી લેવાશે નહિ: જિલ્લા કલેકટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment