Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AC કેબિન છોડો અને ફિલ્ડમાં ઉતરો:મિલિંદ તોરવણે:સુરત મનપાનો ચાર્જ સંભાળતા જ વહીવટદાર એક્શન મોડમાં, અધિકારીઓમાં ફફડાટ

    11 hours ago

    સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થતા જ વહીવટદાર શાસનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વહીવટદાર મિલિંદ તોરવણેએ ચાર્જ સંભાળતાની સાથે જ આક્રમક તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, હવે ટેબલ વર્ક કે AC કેબિનમાં બેસવાનુ છોડો અને તમામ અધિકારીઓએ ફિલ્ડ પર જઈને લોકોની સમસ્યાઓ ઉકેલવી પડશે. અધિકારીઓએ ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવું પડશે મિલિંદ તોરવણેએ ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તેમણે ઝોનલ વડાઓ અને વિભાગીય વડાઓ સાથે લાંબી 'મેરેથોન બેઠક' યોજીને શહેરની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠક માત્ર ઔપચારિક નહોતી, પરંતુ તેમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વહીવટદારે અધિકારીઓને તાકીદ કરી છે કે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓએ પોતે ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવું પડશે. ખાલીખમ ઓફિસો અને ગરમીમાં ફિલ્ડવર્ક વહીવટદારના આ કડક આદેશની અસર બીજા જ દિવસથી જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકાના મુખ્ય મથક એવા 'શ્રી તાપી ભવન' ખાતે મોટાભાગના અધિકારીઓની ઓફિસો સવારથી જ ખાલીખમ જોવા મળી હતી. 'ફિલ્ડ વિઝિટ વગરની કોઈ કામગીરી સ્વીકારાશે નહીં' જે અધિકારીઓ અત્યાર સુધી એર-કન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને માત્ર રિપોર્ટો જોતા હતા, તેઓ હવે કાળઝાળ ગરમીમાં પણ ફિલ્ડ પર જઈને કામગીરીની સમીક્ષા કરતા નજરે પડ્યા હતાં. વહીવટદારે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્ડ વિઝિટ વગરની કોઈ પણ કામગીરીને સ્વીકારવામાં આવશે નહીં. ત્રણ મોરચે કામગીરી કરવા અધિકારીઓને સૂચના વહીવટદારે આગામી દિવસો માટે મુખ્ય ત્રણ મોરચે કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી છે. આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને શહેરને ચકાચક રાખવા સૂચના અપાઈ છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સફાઈ પ્રત્યે વિશેષ તકેદારી રાખવા અને ત્યાંની સફાઈ વ્યવસ્થામાં સુધારો કરવા પર ભાર મૂક્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનોની સફાઈ, ખાડાઓનું પુરાણ અને અન્ય સુરક્ષાત્મક પગલાંઓ અત્યારથી જ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ અપાયો છે. રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી નાગરિકોની પાયાની જરૂરિયાતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    209 કરોડના ખર્ચે સરગાસણમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ:નવી એમ્બ્યુલન્સ, બગીચાઓના મેઈન્ટેનન્સ સહિતને લીલીઝંડી, મનપાની સ્થાયી સમિતિએ 37થી વધુ એજન્ડા મંજૂર કર્યા
    Next Article
    વઘઈના જામલાપાડામાં કાજુ પ્રોસેસિંગથી સ્થાનિકોને મળી રોજગારી:અંબિકા બાગાયત મંડળી દ્વારા મહિલાઓને ઘર આંગણે રોજગારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment