Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અગર બચાવો, અગરિયા બચાવો' અભિયાન અંતર્ગત સભા યોજાઈ:પૂર્વ MLA નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ અગરિયાઓની જમીન સોદા સામે ઉગ્ર આંદોલનની રણનીતિ ઘડાઈ

    1 day ago

    પાટડી તાલુકાના ખારાઘોડા ગામે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ 'અગર બચાવો, અગરિયા બચાવો' અભિયાન અંતર્ગત અગરિયા એકતા સભા યોજાઈ હતી. આ સભામાં કચ્છના નાના રણમાં અગરિયાઓની જમીન સોદા સામે ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. આગામી 23મી જૂને પાટડી પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શન યોજાશે. આ વિવાદ હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને 5,000 એકર જમીન ભાડાપટ્ટે આપવાને કારણે ઊભો થયો છે. આ ખાનગી કંપનીએ રણમાં 6-6 ફૂટ ઊંચી માટીની પાળ બાંધીને રસ્તાઓ અવરોધિત કર્યા છે. ઉપરાંત, પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા જમીન ખાલી કરવા અને મીઠું પકવવાનું બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ જમીન સોદામાં રૂ. 500 કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે સભામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર રણનો સોદો કરીને મીઠું પકવતા અગરિયાઓના પેટ પર લાત મારવામાં આવી રહી છે. સોલંકીએ આક્ષેપ કર્યો કે, 5,000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે પાંચ વર્ષ માટે અગરિયાઓને લૂંટવા માટે પીળો પરવાનો આપવામાં આવ્યો છે. અગરિયાઓએ હુંકાર કર્યો હતો કે, જ્યાં સુધી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ નહીં થાય ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રહેશે. 23મી જૂનના રોજ પાટડી પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શન કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે. એના વિરોધમા આ અગરીયા એકતા સભાનું આયોજન કરી આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. અને જ્યાં સુધી આ કંપનીનો કોન્ટ્રાકટ રદ ના થાય ત્યાં સુધી અને 5,000 એકર જમીન ખુલ્લી ના થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે, સરદાર સાહેબના રસ્તે અને બાબા સાહેબના માર્ગે આંદોલનને આગળ ધપાવીશું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ રોયલ દ્વારા પદાધિકારીઓનું સન્માન:સ્વચ્છ સુરેન્દ્રનગર અભિયાનમાં સહયોગ માટે કરાઈ પહેલ
    Next Article
    લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-૩ હોદ્દેદારોની શપથવિધિ:જૂનાગઢમાં સરસ્વતી સન્માન સાથે પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment