Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂતિયા ડિમોલિશનમાં મોદી સરકારના મંત્રીની એન્ટ્રી:આઠવલેએ કહ્યું-ગરીબોનો વોટ માન્ય હોય, તો ઝૂંપડું અમાન્ય કેમ?; સાયકલવાલાનો CMને પત્ર-નકુમની જનરલ ડાયરની ભૂમિકા, સસ્પેન્ડ કરો

    1 day ago

    સુરતના વેડ દરવાજા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે આવેલી આશરે 60 વર્ષ જૂની નાસીરનગર વસાહતમાં તાજેતરમાં કરવામાં આવેલા ડિમોલેશનનો વિવાદ હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. આ ગંભીર મુદ્દાને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આજે 17 જૂને અત્યંત ગંભીરતાથી લીધો છે અને તેને સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે તાકીદે વાત કરવાની ખાતરી આપી છે અને કહ્યું કે, ગરીબોનો વોટ માન્ય હોય, તો ઝૂંપડું અમાન્ય કેમ?. બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અસલમ સાયકલવાલાએ આ સમગ્ર ઘટનાને બિલ્ડર અને અધિકારીઓનું 'સુનિયોજીત ષડયંત્ર' અને 'ભૂતિયા ડિમોલેશન' ગણાવીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને એક સનસનાટીપૂર્ણ પત્ર લખ્યો છે. સાયકલવાલાએ પત્રમાં જણાવ્યું કે, સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જનરલ ડાયરની ભૂમિકા ભજવી છે, તેને સસ્પેન્ડ કરો. ગંભીર આક્ષેપો કરીને ઉચ્ચ સ્તરીય 'સીટ' (SIT) ની રચના કરીને તપાસ કરવાની ઉગ્ર માગ કરી છે. 'જો ગરીબોનો વોટ માન્ય હોય, તો તેમનું ઝૂંપડું અમાન્ય કેમ?' સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ ડિમોલેશન પ્રક્રિયાને સખત શબ્દોમાં અયોગ્ય ગણાવી હતી. તેને બંધારણનો હવાલો આપતા જણાવ્યું હતું કે, રોટી, કપડા અને મકાન આપવાનો અધિકાર અને ફરજ સરકારની છે. કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ જ પોતાની મહેનતથી શહેરો વસાવ્યા છે, અને ગગનચુંબી બિલ્ડીંગોના નિર્માણમાં આ શ્રમિકોનું સૌથી મોટું યોગદાન છે. આઠવલેએ તીખો સવાલ કરતા કહ્યું કે, જો વર્ષ 2024ની ચૂંટણીઓમાં અને અન્ય સામાન્ય ચૂંટણીઓમાં આ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ નાગરિકોનો વોટ માન્ય ગણવામાં આવતો હોય, તો આજે કાયદાની આડમાં તેમનું ઝૂંપડું કે મકાન કઈ રીતે અમાન્ય થઈ શકે? ગરીબ પ્રજા જ્યાં જગ્યા મળે ત્યાં આશરો લે છે, પરંતુ તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ઘરવિહોણા કરવા તે માનવતા વિરુદ્ધ છે. મહારાષ્ટ્રની SRA સ્કીમ જેવો સુરતમાં પણ પ્લાન બનાવવા મનપાને સલાહ રામદાસ આઠવલેએ સુરત મહાનગરપાલિકાને મુંબઈની સ્લમ રિહાઇબિલિટેશન ઓથોરિટી (SRA) સ્કીમનો અમલ કરવાની નસીહત આપી છે. મહારાષ્ટ્રમાં વર્ષ 2011 પહેલાની તમામ ઝૂંપડપટ્ટીઓને માન્ય કરવાનો કાયદો છે, અને જો તેને તોડવી હોય તો બિલ્ડર અથવા સરકારે વૈકલ્પિક આવાસ આપવો જ પડે છે. મુંબઈમાં બિલ્ડરો 300 સ્ક્વેર ફીટ કાર્પેટ (400 સ્ક્વેર ફીટ બિલ્ટ-અપ) એરિયાનું પાકું મકાન ગરીબોને મફતમાં આપે છે અને બાકીની જમીન પર પોતાનો પ્રોજેક્ટ વેચે છે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનો CMને પત્ર કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કાયદો અને વ્યવસ્થાના ચિથરેચિથરા ઉડ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પત્રમાં જણાવ્યા અનુસાર, ગત તા. 30 મે, 2026ના રોજ સવારે 9:00 વાગ્યે સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ પોતાની ટીમ અને સુરત મનપાના સ્ટાફ સાથે નાસીરનગર વસાહતમાં ધસી ગયા હતા. ત્યાં વસતા ગરીબ મુસ્લિમ શ્રમિક પરિવારોને તાત્કાલિક ઘર ખાલી કરવા માટે ધમકાવવામાં આવ્યા હતા. આ પણ વાંચો: અચ્છા...એટલે SOG-મનપાએ અંગત રસ લીધો, વીડિયોએ સિક્રેટ ખોલ્યા 'ડીસીપી નકુમે 'જનરલ ડાયર' બનીને મફિયાગીરી કરી' અસલમ સાયકલવાલાએ આક્ષેપ કર્યો છે કે, ડીસીપી નકુમે સ્થળ પર જાણે બ્રિટિશ કાળના "જનરલ ડાયર" જેવી ભૂમિકા ભજવી હતી અને સામાન્ય લોકો સામે જેલના સળિયા પાછળ ધકેલવાની ધમકીઓ આપી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. કોઈપણ વ્યક્તિ મોબાઇલમાં વિડીયો શૂટ ન કરી શકે તે માટે કડક નાકાબંધી કરી સ્થાનિકોના સીસીટીવી કેમેરા પણ તોડાવી નાખવામાં આવ્યા હતા. 30 મિલ્કતો પર બુલડોઝર ફરી વળ્યા, 84 પરિવારો ઘરવિહોણા પત્રમાં જણાવ્યા અનુસાર, આ સુનિયોજીત ડિમોલેશનના કારણે નાસીરનગર વસાહતના આશરે 84 પરિવારો કલાકોમાં રસ્તા પર આવી ગયા હતાં. અત્યાચારની સીમા તો ત્યાં આવી કે ગત તા. 1 જૂન 2026ના રોજ બપોરે 1:30 કલાકે ફરીથી ડીસીપી નકુમના આદેશથી એસઓજી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફે વસાહતની વધુ 30 મિલ્કતોનો 30% થી 50% જેટલો ભાગ તોડી પાડ્યો હતો. આ ગેરકાયદેસર અને અમાનવીય કૃત્યને કારણે આજે 19 દિવસ વીતી જવા છતાં આશરે 110થી વધુ પરિવારો ખુલ્લા આભ નીચે અને જમીન પર રાતો વિતાવવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોએ અગાઉ ગત વર્ષે તા. 15 ઓક્ટોબર, 2025ના રોજ જ કમિશનર અને પોલીસ પ્રશાસનને લેખિતમાં જણાવ્યું હતું કે, જો આ જગ્યા વિકાસમાં નડતી હોય, તો અમને અગાઉના લોકોની જેમ વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે, છતાં આ રજૂઆતને કેમ નજરઅંદાજ કરવામાં આવી તે મોટો પ્રશ્ન છે. ભાસ્કર ઈન્વેસ્ટિગેશનઃ ઉપરથી સૂચના આવી ને મનપાના કર્મચારીએ જ ટોરેન્ટને નાસીરનગરમાં પાવર કટ કરવા ફોન કર્યો 'બિલ્ડર સંજય લાખાણી અને ડીસીપી વચ્ચે કરોડોના આર્થિક રોકાણની આશંકા' પત્રમાં સૌથી સનસનાટીપૂર્ણ ખુલાસો એ કરવામાં આવ્યો છે કે, આ આખું ડિમોલેશન વસાહતની બાજુમાં જ એક મોટો રહેણાંક પ્રોજેક્ટ બનાવી રહેલા બિલ્ડર સંજય લાખાણીના ઈશારે અને તેના મેળાપીપણામાં કરવામાં આવ્યું છે. અસલમ સાયકલવાલાએ દાવો કર્યો છે કે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને બિલ્ડર સંજય લાખાણી અંગત મિત્રો છે, તેઓ રોજબરોજ એકબીજાના સંપર્કમાં રહે છે અને બિલ્ડરના આ પ્રોજેક્ટમાં ડીસીપી નકુમ દ્વારા કરોડો રૂપિયાનું કાળું નાણું અથવા આર્થિક રોકાણ કરવામાં આવ્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે. સુરત મહાનગરપાલિકાએ માત્ર 'Release / Road Demarcation' (રોડ માપણી) માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, તો પછી ત્યાં કાયદાના રક્ષક ગણાતા DCPએ આખી વસાહત તોડવાની ગેરકાયદે પ્રવૃત્તિ કેમ થવા દીધી અને તેને અટકાવી કેમ નહીં? આ સમાચાર પણ વાંચોઃ નાસીરનગર ડિમોલીશન મુદ્દે ભાજપ નેતાની પોસ્ટથી રાજકીય ગરમાવો મતદાન મથકમાં બિલ્ડર અને અધિકારીની જુગલબંધીનો પત્રમાં ખુલાસો સાયકલવાલાએ પુરાવા સાથે વધુ એક સવાલ ઉઠાવ્યો છે કે ગત તા. 26 એપ્રિલ, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે, નાસીરનગર જમીનના મૂળ માલિક પારસી વૃદ્ધ મહિલા ગુલબેન ફરામના વકીલ ધીરુભાઈ ચલિયાવાલાને બિલ્ડર સંજય લાખાણી મતદાન મથક પર લાવ્યા હતા. આ સમયે મતદાન મથક ધરાવતા બિલ્ડિંગની અંદર માત્ર ઓન-ડ્યુટી સ્ટાફ અને મતદારો સિવાય કોઈને પ્રવેશવાની મંજૂરી હોતી નથી, છતાં ડીસીપી નકુમની હાજરીમાં બિલ્ડર સંજય લાખાણી કયા અધિકારથી મતદાન મથકમાં પ્રવેશ્યા અને વકીલ સાથે આત્મીયતાથી વાતો કરતા રહ્યા? આ ઘટના જ સાબિત કરે છે કે સરકારી તંત્ર અને ખાખી વર્દીનો દુરુપયોગ કરીને બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે આખો ખેલ રચાયો હતો. આ પણ વાંચો: DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા ભાજપ નેતા ઝાકિર શાહ અને પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, CCTVમાં ઘટસ્ફોટ રાજદીપસિંહ નકુમનું તાત્કાલિક સસ્પેન્શન અને 'સીટ' (SIT) તપાસની માગ છેલ્લા 17 થી 18 દિવસથી નાસીરનગરના ગરીબો પર થયેલા આ અત્યાચારના કારણે પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયામાં ગુજરાત સરકાર, સુરત પોલીસ અને સુમનપા તંત્રની છબી ખરડાઈ રહી છે. અસલમ સાયકલવાલાએ પત્રના અંતે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તા. 30 મે 2026ના ડિમોલેશન સમયના સીસીટીવી ફૂટેજ, વાયરલ વીડિયો અને છેલ્લા 3 વર્ષના ડીસીપી તેમજ બિલ્ડરના કોલ ડિટેલ્સ (CDR) મંગાવીને તપાસ કરવામાં આવે. આ સાથે જ જનતાનો વિશ્વાસ જીતવા માટે એસઓજી DCP રાજદીપસિંહ નકુમને તાત્કાલિક અસરથી તેમની ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ નિષ્પક્ષ કમિટી (SIT) ની રચના કરી તમામ કસૂરવારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. આ પત્રની નકલો ગૃહ વિભાગના સચિવ, ડીજીપી ગુજરાત અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના નિયામકને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે. આ પણ વાંચો.. બિલ્ડર બાદ ભાજપના નેતા સામે મનપા નતમસ્તક, 2-કલાકના ડીંડકના CCTV
    Click here to Read More
    Previous Article
    રૂરલ પોલીસની અનોખી પહેલ:આપઘાતનો પ્રયાસ કરનારાઓ માટે સાયકોલોજિકલ કાઉન્સેલિંગ સેન્ટર, 3 માસમાં સ્યુસાઇડનો પ્રયાસ કરનારા 217 લોકોનું કાઉન્સેલિંગ કર્યું
    Next Article
    અરવલ્લીમાં શિક્ષકોના ટેટ નાબૂદી માટે ધરણાં પ્રદર્શન:જિલ્લા પંચાયત સામે શિક્ષકો દ્વારા વિરોધ; અનુભવી શિક્ષકોને ટેટ મુક્તિ આપવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment