Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM ભૂપેન્દ્ર પટેલે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપી:આણંદના ચિખોદરામાં પ્રાર્થનાસભામાં પરિવારજનોને સાંત્વના પાઠવી

    9 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદના ચિખોદરા ખાતે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકસંતૃપ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર 1975થી જાહેરજીવનમાં સક્રિય હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ચિખોદરા ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ 1995માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં કૃષિ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. ગોવિંદભાઈ પરમાર વર્ષ 2017 અને 2022માં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા. સ્થાનિક સમાજ જીવનમાં તેમની મજબૂત પકડ હતી. તેમના અવસાનથી આ ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. આ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્યો જયંતભાઈ બોસ્કી, નિરંજનભાઈ પટેલ, જસુભા, કાંતિભાઈ સોઢા પરમાર, દિલીપભાઈ પટેલ, કેસરીસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ભૂતપૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી અને ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચિખોદરા ગામના સરપંચ નીલમબેન અશોકભાઈ પરમાર, સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના મોટા પુત્ર અશોકભાઈ ગોવિંદભાઈ પરમાર અને નાના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, તેમના પત્ની મણીબેન ગોવિંદભાઈ પરમાર, દીકરીઓ ચંપાબેન ગોવિંદભાઈ પરમાર, નીતાબેન અલ્પેશકુમાર ચાવડા અને મીનાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ, તેમજ ગોવિંદભાઈ પરમારના ભાઈ મેલાભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કવાંટના માણકા રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ:સ્થાનિકોએ હાથથી ડામર ઉખાડ્યો; ફરી રોડ બનાવવાની માંગ કરી
    Next Article
    મોડાસા શામળાજી રોડ પર CNG પંપ પાછળ ભીષણ આગ:ફાયર ફાઈટરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment