Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મારૂતિ માટે ટ્રેન ચાલું થાય તો મુસાફરો માટે કેમ નહીં’:બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળા પહેલા ગાડી શરૂ કરવા માગ, કંપનીની માલગાડી રોકવાની કોંગ્રેસના પૂર્વ MLAની ચીમકી

    2 days ago

    મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે આગામી ચૈત્રી પૂનમનો મેળો યોજાનાર છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેળા પૂર્વે યાત્રાળુઓની સુવિધા માટે પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માગ સાથે કોંગ્રેસ અને સ્થાનિક સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો મેળા પહેલા મુસાફરો માટે ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો મારુતિ સુઝુકી કંપનીની માલગાડી રોકવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ‘ગેજ પરિવર્તનની કામગીરી પૂર્ણ થયા બાદ મારુતિની ગુડ્સ ટ્રેન ચાલે છે’ અમદાવાદ-રણુજ ટ્રેન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે.ગેજ પરિવર્તનની કામગીરી પૂર્ણ થયા બાદ રેલવે ટ્રેક પરથી મારુતિ કંપનીની ગુડ્સ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, પરંતુ પ્રજા માટે એક પણ પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી નથી. રેલવે તંત્ર ઉદ્યોગોને પ્રાધાન્ય આપી રહ્યું છે, પરંતુ સામાન્ય જનતા અને શ્રદ્ધાળુઓની હાલાકી પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. કટોસણ રોડ સુધી આવતી ડેમુ ટ્રેનને રણુજ સુધી લંબાવવા માગ આ મામલે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના આગેવાનોની આગેવાનીમાં મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં માગ કરવામાં આવી છે કે કટોસણ રોડ સુધી આવતી ડેમુ ટ્રેનને તાત્કાલિક ધોરણે રણુજ સુધી લંબાવવામાં આવે.આ આંદોલનમાં તાલુકાના 52 ગામના આગેવાનો અને સ્થાનિક વેપારી એસોસિયેશન પણ જોડાયા છે. સમયસર નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી બહુચરાજીમાં આગામી 2જી તારીખથી શરૂ થતા મેળામાં 10 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે.શ્રદ્ધાળુઓની લાગણી અને સુવિધાને ધ્યાને રાખી મામલતદારે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડી મેળા પહેલા ટ્રેન શરૂ કરાવવા અંગે હકારાત્મક બાંહેધરી આપી છે.જોકે આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો સમયસર નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રામનવમીની તારીખને લઈને પંચાંગ ભેદ:તિથિઓની વધઘટને કારણે બે દિવસ ઉજવાશે રામ જન્મોત્સવ; જાણો સંપૂર્ણ પૂજા-વિધિ
    Next Article
    ગુજરાતમાં ગરમીનો પારો ચઢશે:આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી; તાપમાન 2થી 3 ડિગ્રી વધવાનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment