Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કચરાના ટ્રેક્ટરે વાહનોને અડફેટે લીધા:પાલિકાએ અજાણ્યાને ટ્રેક્ટર આપતા MG રોડ પર અફરાતફરી

    9 hours ago

    વલસાડ શહેરના વ્યસ્ત એમ.જી. રોડ પર આજે સવારે નગરપાલિકાના કચરાના ટ્રેક્ટર દ્વારા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા દુકાનો બહાર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ, પાલિકા દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિને ટ્રેક્ટર ચલાવવા અપાતા આ ઘટના બની હતી. સવારના સમયે જ્યારે બજારમાં લોકોની અવરજવર શરૂ થઈ હતી, ત્યારે પાલિકાનું કચરો ઉઠાવવાનું ટ્રેક્ટર એમ.જી. રોડ પર ટાવર પાસેથી પસાર થઈ રહ્યું હતું. અચાનક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઈક્સ તેમજ અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે. ઘટના સ્થળે હાજર લોકોમાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેક્ટરનો અસલી ડ્રાઈવર હાજર નહોતો અને ટાવર પાસેથી કોઈ અજાણ્યા શખ્સને ટ્રેક્ટર ચલાવવા માટે આપી દેવાયું હતું. બિનઅનુભવી વ્યક્તિના હાથમાં સરકારી વાહન સોંપવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તેમનું કહેવું છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, "ભરેલા બજારમાં આવી રીતે બિનઅનુભવી માણસને ટ્રેક્ટર સોંપવું એ પાલિકાની ઘોર બેદરકારી છે. જો કોઈ રસ્તે ચાલતું વ્યક્તિ અડફેટે આવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાત." આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે વલસાડ નગરપાલિકા આ ઘટનામાં જવાબદાર કર્મચારી કે ડ્રાઈવર સામે કેવા પગલાં ભરે છે. શું અજાણ્યા વ્યક્તિને વાહન સોંપનાર સામે તપાસ થશે કે પછી આ મામલો થાળે પાડી દેવાશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક:ઘર નજીક રમતા 4 વર્ષના માસૂમ બાળક પર ગંભીર હુમલો; મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા કે ગાલનો ભાગ ફાટી ગયો
    Next Article
    'હત્યારાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ નહીં ઉઠાવીએ':પાટણની ધારપુર સિવિલમાં લોકોના ટોળા ઉમટ્યાં;બીજા દિવસે પણ હત્યારાઓ પોલીસ પહોંચથી દૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment