Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણતર:જીવન મૂલ્યોના કોર્સનો દિલ્હી ITIના વિદ્યાર્થીઓએ એક વર્ષ અભ્યાસ કર્યો,તણાવ-ગુસ્સામાં ઘટાડો થયો

    2 days ago

    આજના સમયમાં જ્યાં લોકો માનસિક તાણ, ક્રોધ તેમજ નિરાશામાં જીવન પસાર કરી રહ્યાં છે. તેવામાં વ્યક્તિ માનવીય આચરણ, નીતિ,ચરિત્ર અને મૂલ્યોને જાણી એક નવા જ જીવનમાં પ્રવેશ કરે તેવા પ્રયાસ માટે વડોદરામાં 3થી 9 મે દરમિયાન માંજલપુર આત્મિય સ્કૂલ ખાતે જીવનવિદ્યા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જીવન મૂલ્યોને શિખવતા જીવન મૂલ્યોનો કોર્ષ અમદાવાદની એલ.જી, રાજકોટની આત્મિય યુનિવર્સિટી અને વડોદરા-સાવલીની કે.જે.આઈ.ટીમાં ભણાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એઆઈસીટીઈ અને યુજીસી દ્વારા અત્યારે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ અંતર્ગત આ કાર્યક્રમ 300 જેટલી કોલેજો અને યુનિવર્સિટીમાં ભણાવવામાં આવી રહ્યો છે. વિસનગરની સ્કૂલમાં જીવન વિદ્યાને કેન્દ્રમાં રાખી બાળકોને ભણાવવાનું શરૂ થયું છે. જીવનવિદ્યા શિબિર અંગે ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પ્રવિણ ઠક્કરે જણાવ્યું હતું કે, વડોદરામાં પ્રથમ વખત આ શિબિરનું આયોજન થવાનું છે. જેમાં છત્તીસગઢના રાયપુરના સોમભાઈ ત્યાગી નિરંતર સુખી જીવનના નિયમો રજૂ કરવામાં આવશે. પ્રવિણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિગત જીવનની આપણને ખબર નથી. આપણે ઈન્દ્રિયોના કારણે ભટક્યાં કરીએ છીએ. મનનો તેના પર અંકુશ નથી. ત્યારે વ્યક્તિ પોતે કોણ છે તે જાણવાનો આ પ્રયાસ છે. વ્યક્તિ પોતે પોતાની જાતને સમજી જશે તો પરિવાર તૂટશે નહી. જીવન વિદ્યા શિબિરમાં આ તમામ વાતોને આવરી લેવામાં આવી છે. જીવન વિદ્યા શિબિર શું છે? કર્ણાટકના ઋષિ બાબા નાગરાજે જીવનવિદ્યાનું નિર્માણ કર્યું હતું કર્ણાટકના ઋષિ બાબા નાગરાજ દ્વારા વેદ, ઉપનિષદ, ગીતાની વાતો લોકો સુધી સરળ ભાષામાં પહોંચે તે માટે જીવનવિદ્યાનું નિર્માણ કર્યું હતું. તેમને આ જીવન વિદ્યા પર 12 પુસ્તકો લખ્યાં છે. સમગ્ર ભારતમાં જીવન વિદ્યા પર શિબિરો થઈ રહી છે. દિલ્હીના એજ્યુકેશન સિસ્ટમમાં પણ જીવનવિદ્યાનો કોર્સ ઉમેરાયો બાબા નાગરાજે જીવનવિદ્યા અંગે દિલ્હી આઈઆઈટીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ 1 વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ તેમના જીવનમાંથી તણાવ, ક્રોધ ઓછો થઈ ગયો હતો. ત્યાર બાદ દિલ્હીના એજ્યુકેશન સિસ્ટમમાં જીવન વિદ્યા કોર્ષને ઉમેરાયો હતો. સંસ્થાએ સર્વે કરતા રાજ્યના 250 વૃદ્ધાશ્રમો હાઉસફુલ જોવા મળ્યાં પૂર્વ પ્રોફેસર પ્રવિણ ઠક્કરે જણાવ્યું હતું કે, સંસ્થાએ સર્વે કરતાં જાણવા મળ્યું હતું કે રાજ્યમાં 250 વૃદ્ધાશ્રમો છે. જે તમામ વૃદ્ધાશ્રમો હાઉસફૂલ છે, જેને લઈને અમે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં જીવન વિદ્યાની શિબિરો શરૂ કરી છે. અત્યારે સમાજમાં શિક્ષણ વધવાની સાથે સાથે નકારાત્મકતા પણ વધી છે બાળકો અને વાલીઓ સાથે સંવાદ સાધવાનો છે, બાળકો પર પોઝિટિવ અસર પડે તે રીતે કામ કરવાનું છે. આ અસરકારકતા શીખવા માટે 40 જેટલા શિક્ષકો આ શિબિરમાં ભાગ લેવાના છે. આ પહેલા પણ કેજેઆઈટી સાવલીના શિક્ષકોને શિબિરમાં મોકલ્યાં હતાં. જેનું પોઝિટિવ પરિણામ આવતા મોટી સંખ્યામાં શિક્ષકોને આ શિબિરમાં ભાગ લેવા મોકવાના છે. > ધર્મેશ પંડ્યા, ટ્રસ્ટી,કેજેઆઈટી, સાવલી
    Click here to Read More
    Previous Article
    તપાસ:કોર્પોરેટર આશિષ જોશીની સીએમને રજૂઆત, દારૂના કેસમાં ફસાવી દેવાનું રાજકીય કાવતરું હોવાનો આક્ષેપ
    Next Article
    ધરપકડ:16 ઘરફોડ કરનાર સિકલીગર ગેંગનો બલવિરસિંગ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment