Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IG રાજેન્દ્ર અંસારીએ સંભાળ્યો ચાર્જ:ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત, સાળંગપુર હનુમાનજી અને રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કર્યા

    13 hours ago

    ભાવનગર રેન્જના ચોથા IG તરીકે રાજેન્દ્ર અંસારીએ ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા પહેલા સાળગપુર હનુમાનજી મંદિર અને રાજપરા ખોડિયાર મંદિર પૂજા અર્ચના કર્યા બાદ રેન્જ ઓફિસ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી નવા IGનું સ્વાગત કર્યું. ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવનગર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે રાજેન્દ્ર અંસારીએ ચાર્જ સંભાળ્યો છે. ગુરુવારે ભાવનગર સ્થિત IGP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના SP, DYSP, ASP સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે પુષ્પગુચ્છ આપી નવા IG રાજેન્દ્ર અસારીનું સ્વાગત કર્યું હતું. પોલીસ વિભાગના અધિકારીઓએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર અંસારી અગાઉ ભાવનગર જિલ્લામાં SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. લગભગ 17 વર્ષ બાદ તેઓ ફરી ભાવનગરમાં ઉચ્ચ પદ પર પરત ફર્યા છે અને હવે ભાવનગર રેન્જના IG તરીકે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા રાજેન્દ્ર અંસારીએ સાળંગપુર ખાતે હનુમાનજી મંદિર અને રાજપરા ખાતે ખોડિયાર માતાજી મંદિર દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ ભાવનગર IGP કચેરી ખાતે પહોંચ્યા અને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે આ અંગે નવનિયુક્ત રેન્જ IG રાજેન્દ્ર અંસારીએ જણવાયું હતું કે, પોલીસની સૌથી મહત્વની જે જવાબદારી છે, એ એના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે રીતની છે. ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ અને ખૂબ સારી બને એ રીતે સંયુક્ત રીતે પ્રયાસ કરી અને કામગીરી કરવામાં આવશે. બીજુ વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઈમના ગુનાઓ ખૂબ બને છે. જનતામાં અવેરનેસ ફેલાય એ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને જે નાના-મોટા સાયબર ક્રાઈમના ગુનાઓ બને છે, એ ગુનાઓ અટકાવવા માટે ત્રણેય જિલ્લાના પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે. તે સાથે જે નશાકારક પ્રવૃત્તિઓ છે એને નાબૂદ કરવા માટે અને અંકુશમાં રાખવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ અને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે. સાથે-સાથે પોલીસ વેલ્ફેરની જે બાબતો છે જે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સંકળાયેલી છે એ વેલ્ફેરની તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે. પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશે બાકી પોલીસ વિભાગની અંદર જે વહીવટી કામગીરી છે, એમાં પેન્ડેન્સીનું પ્રમાણ કેટલું છે એનો એનાલિસિસ કરી અને ખૂબ ઝડપથી એનો નિકાલ થાય અને કામગીરી એકદમ સરળ બને એ રીતે પ્રયાસ કરવામાં આવશે. ત્રણેય જિલ્લાના અરજદારો સિનિયર લેવલના અધિકારીઓને ખૂબ સરળતાથી મળી શકે, એમના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને એમની સમસ્યાઓનું નિરાકરણ ખૂબ ઝડપથી આવે એ રીતેની એક રૂપરેખા તૈયાર કરી અને ત્રણેય જિલ્લાના SPને સૂચનાઓ અપાશે, જેથી અરજીઓનું જે ભારણ છે એ ઓછું થાય, અરજીઓનો ત્વરિત નિકાલ થાય અને કોઈ ઘટના બને એ પહેલા એ ઘટનાને નિવારી શકાય. સાથે-સાથે પ્રજાની તમામ પ્રકારની સલામતી એમની સુખાકારી અને શાંતિ બની રહે એ પ્રમાણે પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશે. કોઈ પણ લેન્ડિંગ પોઈન્ટ અહિયાં ના બને એ પ્રકારે પૂરતું અને વિશેષ ધ્યાન આપવામાં આવશે અત્યારે વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લેતા દરિયાઈ સુરક્ષાને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એને સતત મોનીટરીંગ કરવામાં આવે છે. અહીંયા જે પ્રકારે વ્યવસ્થા છે બોટ પેટ્રોલિંગની તેમજ કોસ્ટગાર્ડ સાથે પણ સંકલન કરીને લોકલ જિલ્લા પોલીસ એમની સાથે કામ કરે છે. દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે.જે માછીમારો દૂર દરિયામાં માછીમારી કરવા માટે જાય છે એ પોલીસ સાથે સતત સંપર્કમાં રહે, નાની-મોટી કોઈ માહિતી હોય એ જાણકારી પોલીસને આપે. એ સાથે જે દરિયાકિનારા વિસ્તારના જે ગામો છે એ ગામોની અંદર વિઝિટ કરવામાં આવશે, મુલાકાત લેવામાં આવશે, ત્યાંના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે અને મેક્સિમમ દરિયા કિનારા ઉપર જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ ઉપર સતત ધ્યાન આપી અને એવી કોઈ પણ ઘટના ના બને અથવા એવો આપણો કોઈ પણ લેન્ડિંગ પોઈન્ટ અહિયાં ના બને એ પ્રકારે પૂરતું અને વિશેષ ધ્યાન આપવામાં આવશે, તકેદારી રાખવામાં આવશે. ​સામાન્ય જનતાને રંજાડે એવી પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં બાકી જે ભૂતકાળની અંદર જે ગુનાઓ દાખલ થયેલા છે, GST, ભૂ માફિયાઓ, એવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં બહુ જ કડકાઈથી કામ લેવામાં આવશે. 'ગુજસીટોક' નો મેક્સિમમ અમે, અમારી પાસે પૂરતા એવિડન્સ હશે તો તેનો ઉપયોગ કરીશું અને આ પ્રકારની પ્રવૃત્તિ કે આ પ્રકારની કોઈપણ સામાન્ય જનતાને રંજાડે એવી પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના ફિરોજપુરની 'શિલ્પ સેન્ટ્રીકા' સાઇટ પર દુર્ઘટના:નિર્માણાધિન સાઇટના પાંચમા માળે બેરીકેટીંગના અભાવે મેનેજરનું નીચે પટકાતા મોત, સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ફરિયાદ
    Next Article
    બોરતળાવ પાસેથી લાશ મળી:બોરતળાવના કાંઠે આવેલ પાણી ભરેલા ખાડામાંથી EX આર્મીમેનની લાશ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment