Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઉ શાળામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ ઉજવાયો:IAS જે. રંજીથ કુમારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો

    15 hours ago

    મહેસાણા તાલુકાની મેઉ પગાર કેન્દ્ર શાળામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા આઈ.એ.એસ. અધિકારી અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. રંજીથ કુમારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો. આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ પટેલ અને મામલતદાર ગૌતમકુમાર વાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા અને ધોરણ-૧ ના નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કિટ અને ચોકલેટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. આ તકે ચાવડા મિરલબાએ "બેટી બચાવો, બેટી વધાવો" વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. શાળાના મેદાનમાંથી મળેલી સોનાની કાનની બુટ્ટી પરત કરનાર વિદ્યાર્થી ચાવડા મહાવીરસિંહને તેની પ્રામાણિકતા બદલ સન્માનિત કરાયો. આ ઉપરાંત, શાળાના દાતાશ્રીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ અતિથિઓના હસ્તે બહુમાન કરાયું. અંતમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને બાલવાટિકાના રંગબેરંગી વર્ગખંડનું લોકાર્પણ કરાયું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી ચાવડા શ્રદ્ધાબાએ કર્યું.
    Click here to Read More
    Previous Article
    એસ. વી. કોલેજમાં 'વર્ક એથિક્સ' પર સત્ર યોજાયું:તાલીમાર્થીઓને વ્યવસાયિક મૂલ્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું
    Next Article
    સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાને 3000 કિલો ખલેલાનો અન્નકૂટ:જરદોશી વાઘા અને દિવ્ય શણગાર કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment