Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 3000 યુવાનોની બાઇક રેલી સાથે ચેટીચંડ ઉજવાઈ:ભગવાન ઝૂલેલાલના ભવ્ય રથ, વિન્ટેજ કાર, ડીજે સાથેની શોભાયાત્રા રાજમાર્ગો પર ફરી, રેસકોર્સમાં કાર્યક્રમ સ્થળે વરસાદને લીધે મંડપ ધરાશાયી

    1 week ago

    રાજકોટમાં આજે 20 માર્ચે સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચંડની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ગાયકવાડી રોડ પરના ટહેલિયારામ મંદિર ખાતેથી ભગવાન ઝૂલેલાલના અવતરણ દિવસને ધ્યાને લઈ ભવ્ય રથનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન 3000 યુવાનોની બાઇક રેલી નિકળી હતી તો વિન્ટેજ કારનું આકર્ષણ જોવા મળ્યુ હતુ. જોકે આ દરમિયાન રેસકોર્સ મેદાનમાં જ્યાં સિંધી સમાજના 15000 લોકો મહાપ્રસાદ લેવાના છે ત્યાં 19 માર્ચે બપોરે પડેલા વરસાદને લીધે મંડપ ધરાશાયી થઈ ગયો હતો અને લાઈટિંગ ટાવરની સાથે લાઇટ તૂટી જતા નુકશાની થઈ હતી. રાસલીલા ક્લબના ચેરમેન કુમાર વાસદેવાણીએ જણાવ્યુ હતુ કે, આજે સિંધી સમાજનું નવું વર્ષ છે. ઝૂલેલાલ ભગવાનનો અવતરણ દિવસ છે. છેલ્લા 15 વર્ષથી અમે ચેટીચંડના દિવસે અનોખા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ યુવાનોની બાઇક રેલી યોજવામાં આવી છે. જેમાં 3000 યુવાનો જોડાયા છે. ઝૂલેલાલ ભગવાનની મૂર્તિ સાથેની સ્થાપના કરી 2 રથ મૂકવામાં આવ્યા છે. આ સાથે ડબલ ડીજેની ગાડી છે. 2 વિન્ટેજ કાર અને 30 જીપ રાખવામાં આવી છે. જ્યારે મુકેશ તનવાણીએ જણાવ્યુ હતુ કે, આજે ઝુલેલાલ ભગવાનના અવતરણ દિવસે જેન્સ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામી તહલિયારામ મંદિરેથી આ રેલી નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી રેસકોર્સ ખાતે સમાપન થશે જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાન બિપિન મોટવાણીએ જણાવ્યુ હતુ કે, આજે ચેટીચંડ એટલે કે સિંધી સમાજનું નવું વર્ષ. જેમાં એકતાનો સંદેશો આપવામાં આવશે. જેને અનુલક્ષીને મહા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના તમામ લોકો જોડાશે. ચેટીચંડના એક દિવસ પૂર્વે એટલે કે 19મી માર્ચે સાંજે માતાની ચોકીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પવન સાથે વરસાદ એટલો બધો હતો કે અમારો મંડપ ધરાશાયી થઈ ગયો હતો. આ ઉપરાંત 4 લાઇટિંગ ટાવર તૂટી ગયા. આ સાથે જ બધી લાઈટો પણ તૂટી ગઈ અને ઘણી બધી નુકસાની થઈ. આમ છતાં પણ સિંધી સોશિયલ ગ્રુપના 150 જેટલા કાર્યકર્તાઓની મહેનતના કારણે અહીં આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વીજ સબ સ્ટેશન પર વૃક્ષ પડ્યું:મધરાત સુધી કવાયત બાદ વીજ પુરવઠો પૂર્વવત કરાયો
    Next Article
    લાદેન આ ગુજરાતી સિંગરનો હતો 'જબરા ફૅન':અલકા યાજ્ઞિકના પતિનો દારૂનો બિઝનેસ, અનુરાધા પૌડવાલ સાથેની દુશ્મનીને કારણે ગુલશન કુમારની હત્યા થઈ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment