Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમરેલી પ્રવાસ:જળસંચય અને શિક્ષણ ક્ષેત્રે વિકાસના કામોની વણઝાર, દેવકા વિદ્યાપીઠમાં 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ

    1 week ago

    આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. શિક્ષણથી લઈને જળસંચય સુધીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા અમરેલીના સર્વાંગી વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. દેવકા વિદ્યાપીઠમાં શિક્ષણ અને સુવિધાનો સંગમ રાજુલાના દેવકા ખાતે ભાગવત કથાકાર રમેશ ઓઝા (ભાઈશ્રી) સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યા. ગર્લ્સ હોસ્ટેલ: 1100 બેડની સુવિધા ધરાવતી આધુનિક નૂતન કન્યા છાત્રાલય. ભોજનાલય: 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ભોજનાલય. આ પ્રસંગે કથાકાર રમેશ ઓઝા, મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ઉત્તમ રહેઠાણ અને ભોજન સાથે શિક્ષણની વધુ સારી તકો પ્રાપ્ત થશે. સણોસરા ખાતે જળસંચય અભિયાનનો પ્રારંભ અમરેલી જિલ્લામાં જળ સંચયની કામગીરીને વેગ આપવા મુખ્યમંત્રી સણોસરા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય અને અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામીણ મહિલાઓએ ફૂલોથી મુખ્યમંત્રીને વધાવ્યા હતા અને મુખ્યમંત્રીએ પણ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ગીરગંગા ફાઉન્ડેશન અને GETCO નો સહયોગ: ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને GETCO ના ઉપક્રમે અમરેલી જિલ્લામાં ભગીરથ જળસંચય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિસ્તાર: અમરેલી તાલુકાના 65 ગામો ના તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય 20 ગામો માં પણ આ કામગીરી હાથ ધરાશે. ટેકનિકલ સહાય: કુલ 85 હિટાચી મશીનો દ્વારા આ કામગીરી થવાની છે, જેમાંથી આજે 35 જેટલા મશીનો અલગ-અલગ ગામોને સોંપવામાં આવ્યા હતા. કાર્યક્ષમતા: દરેક ગામમાં અંદાજે 600 કલાક સુધી મશીનો દ્વારા જળસંચયની કામગીરી ચાલશે. આ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના આજના પ્રવાસમાં જિલ્લાના અન્ય પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે: અમરેલી શહેર: જેસિંગપરાના શિવાજી ચોક ખાતે અમરેલી નગરપાલિકા દ્વારા નિર્મિત છત્રપતિ શિવાજી મહારાજની પંચધાતુની પ્રતિમાનું લોકાર્પણ. મતીરાળા (નદી ડીપનિંગ): લાઠી તાલુકાની પીપરિયા નદીને આશરે 9.6 કિમી સુધી ઊંડી કરવાના કાર્યનું ખાતમુહૂર્ત. ધોળકિયા ફાઉન્ડેશન સાથે 80:20 ની લોકભાગીદારી હેઠળ આ પ્રોજેક્ટ માટે અંદાજે 15.66 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. રાજકીય માહોલ અને ચૂંટણીના એંધાણ રાજ્યમાં આગામી ટૂંકા સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં દિવસભર કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ કાર્યક્રમોમાં સાંસદ ભરત સુતરિયા, જિલ્લાના 5 વિધાનસભાના ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યો દ્વારા અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને એક નવી દિશા મળશે.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં 25 કરોડના ખર્ચે તૈયાર થયો ભવ્ય 'વોટર લેઝર શો':શર્મિષ્ઠા તળાવે જામશે રોશનીનો જલસો, ટુ-ડી અને થ્રી-ડી ટેકનોલોજીથી દેખાશે ઐતિહાસિક વારસો
    Next Article
    'આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે':પૂર્વ મેયરથી નયનાબેન પેઢડિયાથી લઈને જયમીન ઠાકર સહિતના આગેવાનોની દાવેદારી, ભાજપમાંથી મનપાની ચૂંટણી લડવા ભીડ જામી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment