Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:GST વધુ ડિજિટલ બનશે, ટાઇમ ટ્રેકિંગથી કરચોરી પર લગામ

    13 hours ago

    કર પાલન સુધારવા અને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત બનાવવા કેન્દ્ર સરકાર 1 એપ્રિલ, 2026થી સુધારેલા ઇન્વોઇસિંગ નિયમો અમલમાં લાવવા તૈયાર છે. આ નવા નિયમો ખાસ કરીને બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારોમાં સંકળાયેલા વેપારીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તાજેતરના અપડેટ્સ મુજબ, સરકાર ઇન્વોઇસ જનરેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાને વધુ કડક બનાવશે. હવે વ્યવસાયોને GST પોર્ટલ પર ઇન્વોઇસ અપલોડ કરવા માટે નિર્ધારિત સમયમર્યાદાનું કડક પાલન કરવું પડશે. આ પગલાનો મુખ્ય હેતુ રીઅલ-ટાઇમ ટ્રેકિંગ સુનિશ્ચિત કરવો અને કરચોરીને અસરકારક રીતે અટકાવવાનો છે. સુધારેલા નિયમોમાં ઇ-ઇન્વોઇસિંગનો વ્યાપ વધારવાનો પણ સમાવેશ થાય છે. વધુ શ્રેણીના કરદાતાઓ માટે ઇ-ઇન્વોઇસ ફરજિયાત બનવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલાથી વ્યવહારોમાં પારદર્શિતા વધશે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) દાવા વધુ સરળ બનશે. ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે થતા વિસંગતતાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. કર નિષ્ણાતોએ આ સુધારાને સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે તે કર પાલનમાં વધુ શિસ્ત લાવશે. જોકે, નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) માટે આ પરિવર્તન શરૂઆતમાં પડકારજનક બની શકે છે. ખાસ કરીને ટેક્નોલોજી અપગ્રેડ અને સમયમર્યાદાનું પાલન કરવા માટે તેમને વધુ સજ્જ થવું પડશે. સરકારે વ્યવસાયોને સલાહ આપી છે કે તેઓ પોતાની એકાઉન્ટિંગ સિસ્ટમને સમયસર અપડેટ કરે અને ઇન્વોઇસનું યોગ્ય રીતે સંચાલન કરે. નિયમોના ઉલ્લંઘનથી દંડ ઉપરાંત ITC દાવા પર પ્રતિબંધ લાગવાની શક્યતા છે. સરકારના જણાવ્યા અનુસાર, આ સુધારાઓ દેશના ટેક્સ ઇકોસિસ્ટમને વધુ ડિજિટલ અને પારદર્શક બનાવવા માટેની વ્યૂહરચનાનો ભાગ છે. ભાસ્કર એક્સપર્ટ ટેકનોલોજી, સમયમર્યાદા પડકારજનક રહેશે નવા GST ઇન્વોઇસિંગ નિયમો કર પ્રણાલીને વધુ પારદર્શક બનાવશે, પરંતુ SMEs માટે શરૂઆતમાં ટેક્નોલોજી અને સમયમર્યાદા પડકારરૂપ રહેશે. સમયસર ઇન્વોઇસ અપલોડ અને સિસ્ટમ અપગ્રેડ જરૂરી છે. યોગ્ય તૈયારી રાખવાથી દંડ ટાળી શકાય અને ITC દાવા સરળ બની શકે છે. - ભરતભાઇ શેઠ, વરિષ્ઠ ટેક્સ કન્સલટન્ટ
    Click here to Read More
    Previous Article
    પરિણીતાને અપાયો ત્રાસ:ધોળા દિવસે ઘરમાં ઘુસી પરિણીતા સાથે અડપલા અને મારામારી કરી
    Next Article
    વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:સંસ્કૃતિ, આસ્થા અને એકતાને ઉજાગર કરવા માટે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment