Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની રિસામણે જતા એકલવાયા જીવનથી કંટાળી યુવકનો આપઘાત:ખોડીયારપરામાં સગર્ભાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, આજી GIDCમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

    1 day ago

    રાજકોટ શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ બન્‍યો છે. શહેરના 80 ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં ખોડીયારપરામાં રહેતી રૂચીકુમારી અટલ કુમાર (ઉ.વ.21) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. રૂચીકુમારીએ સવારે ઘરે પંખામાં ચુંદડી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને કરી હતી. આપઘાત કરનાર રૂચીકુમારી મુળ બિહારની વતની હતી અને તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. તેને સંતાનમાં એક દિકરો છે તેમજ હાલમાં તેણી સગર્ભા હતી. જયારે પતિ અટલ કુમાર કારખાનામાં મજુરી કરતો હોવાનું સામે આવ્યું છે. 6 મહિના પહેલા જ પતિ સાથે બિહારથી અહિ રહેવા આવી હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટ શહેરના આજી GIDC રોડ પર આવેલા ‘જય કિશન પ્લાસ્ટિક’ નામના કારખાનામાં રહેતી મૂળ અમદાવાદની કાજલ મિતેશભાઈ પંડ્યા (ઉં.વ.26) ગઈકાલે રાત્રિના 1 વાગ્યા આસપાસ કારખાનાની ઓરડીના બાથરૂમમાં હતી ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પતિ મિતેશે દરવાજો તોડી જોતા કાજલ લટકતી જોવા મળી હતી અને તાત્કાલિક નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. પોલીસ તપાસમાં કાજલે 3 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને સંતાનમા 1.5 વર્ષનો એક દીકરો છે. પરિવાર મૂળ અમદાવાદનો વતની છે પરંતુ છેલ્લા 7 મહિનાથી રાજકોટમાં રહે છે. આપઘાતના પ્રયાસનું કારણ જાણવા ન મળતા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પત્ની રિસામણે જતા એકલવાયા જીવનથી કંટાળી યુવકનો આપઘાત રાજકોટના મોટામવા સ્મશાન પાછળ રહેતા રજનીભાઈ નાનજીભાઈ સનુરા (ઉ.વ.37) ગઈકાલે સાંજે પોતાના ઘરે એકલા હતા ત્યારે લોખંડના એન્ગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમનો નાનો ભાઈ મજૂરીકામ કરીને ઘરે પરત ફર્યો ત્યારે ભાઈને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો અને બૂમાબૂમ કરતા પડોશના લોકો અને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઈએમટીએ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. આ પછી તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં રજનીભાઈ છૂટક મજૂરી કરતા હોવાનું અને બે ભાઈઓમાં મોટા હતા. તેમને સંતાનમાં 10 વર્ષનો એક દીકરો છે. પત્ની રિસામણે જતા પગલું ભર્યાનું અનુમાન છે. 4 ડીસીપી સહિત 2500 જવાનો લોખંડી બંદોબસ્ત જાળવશે મોહરમ પર્વ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તાજીયાના ઝુલુસના રૂટ પર સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેમાં 2100થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન કેમેરા મદદથી પણ નજર રાખવામાં આવશે. શહેરના દૂધસાગર રોડ, જંગલેશ્વર, રામનાથપરા, સદર, બજરંગવાડી સહિતના વિસ્તારોમાં આજે રાત્રીના તાજીયા પડમાં આવશે અને નિર્ધારિત રૂટ પર ફરશે. મોહર્રમના આ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક તથા ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં 4 ડીસીપી, 9 એસીપી, 22 પીઆઇ, 85 પીએસઆઇ, પોલીસ જવાનો, જીઆરડી અને હોમગાર્ડ સહિત 2500 જવાનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. આ માટે કુલ પાંચ ડ્રોનનો ઉપયોગ કરાશે એટલું જ નહીં પોલીસ વિડીયોગ્રાફી પણ કરશે. અમૂલ સર્કલ પાસે ઓટો રીક્ષામાંથી વોન્ટેડ બુટલેગર ઈરફાન કાદરીનો દારૂનો જથ્થો ઝડપાયો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ટિમ પેટ્રોલીંગમાં હતો ત્યારે એક લીલા કલરની કાળા કલરની વુડ વાળી ઓટો રીક્ષા નં.જીજે.03.સીવી.7112 અમુલ સર્કલથી થોરાળા પોલીસ સ્ટેશન તરફ આવે છે આ રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે ટીમ ભાવનગર રોડ અમુલ સર્કલથી થોરાળા પોલીસ સ્ટેશનની વચ્ચે શક્તિ ટી સ્ટોલની સામેના રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન અમુલ સર્કલ તરફથી ઓટો રીક્ષાને અટકાવી રીક્ષા ચાલકનું નામ પુછતા પોતે પોતાનુ નામ ચિરાગ દશરથ દુધરેજીયા, (ઉ.વ.25) હોવાનું જણાવ્યું હતું. ઓટો રિક્ષાની તપાસ કરતા રીક્ષાની પાછળની સીટમા બે પ્લાસ્ટીકના બાચકા હતા જે ખોલી જોતા તેમાંથી દારૂની કુલ 192 બોટલ મળી આવતાં કુલ રૂ.1.28 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. રીક્ષા ચાલક ચિરાગ દુધરેજીયાની પુછતાછ કરતાં આ વિદેશી દારૂ ઇરફાન અલીમીયા કાદરી એ ભરી આપેલાનું જણાવ્યું હતું. હાલ પોલીસે લિસ્ટેડ બુટલેગર ઇરફાન અલીમીયા કાદરીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, લિસ્ટેડ બુટલેગર ઇરફાન અલીમીયા કાદરીએ નવસારીથી મંગાવેલ રૂ.20 લાખનો દારૂ પડધરી પાસે કટીંગ થતો હતો ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડી પાડ્યો હતો. જે બનાવમાં પણ તે હાલ વોન્ટેડ છે.
    Click here to Read More
    Previous Article
    108 એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળ નોર્મલ ડિલિવરી:લુણાવાડાથી ગોધરા રીફર કરાતી વખતે રસ્તામાં જ શહેરા નજીક બાળકનો જન્મ
    Next Article
    સ્નેપચેટથી શરુ થયેલા અફેરનો કરુણ અંજામ:પરસ્ત્રીના મોહમાં પતિ શારીરિક સંબંધથી દૂર રહેતો, સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાનો ઊંઘની દવા પી આપઘાતનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment