Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ રેંજના નવા DIG તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળ્યો:કહ્યું- પ્રજાની સુરક્ષા સર્વોપરી અને ગુંડાગીરી ડામવા પોલીસનું આકરું વલણ

    1 day ago

    જૂનાગઢ રેંજના નવા પોલીસ મહાનિરીક્ષક તરીકે આઈપીએસ અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પોતાની પ્રાથમિકતાઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વના નિવેદનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અને જૂનાગઢ રેન્જ પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે દિશામાં આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે. ગુનાહિત માનસ ધરાવતા તત્વો સામે પોલીસનું વલણ વધુ કડક બનશે રાજેન્દ્રસિંહ ચુડાસમા આ વિસ્તાર માટે નવા નથી, કારણ કે તેમણે ભૂતકાળમાં વેરાવળમાં ડીવાયએસપી અને ગીર સોમનાથ જિલ્લામાં એસપી તરીકે લાંબો સમય ફરજ બજાવી છે. આ અનુભવને કારણે તેઓ આ પંથકની ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક માળખું અને આર્થિક ગતિવિધિઓથી ખૂબ જ સારી રીતે માહિતગાર છે. આ ભૌગોલિક જ્ઞાનનો ઉપયોગ કરીને તેઓ રેન્જમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ખાસ આયોજન કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશ્નો અને ગુનાહિત માનસ ધરાવતા તત્વો સામે પોલીસનું વલણ હવે વધુ કડક બનશે. ગુનાખોરી છોડી દે અથવા તો જૂનાગઢ રેન્જની હદ છોડી દે સૌથી મહત્વની વાત કરતા તેમણે ગુનેગારોને એક ખુલ્લી અને કડક ચેતવણી આપી છે. તેમણે રોકડું પરખાવતા કહ્યું હતું કે, જે લોકો અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓ કાં તો ગુનાખોરી છોડી દે અથવા તો જૂનાગઢ રેન્જની હદ છોડીને ચાલ્યા જાય. પોલીસ કોઈપણ પ્રકારની ગુંડાગીરી કે દાદાગીરીને સહન કરશે નહીં. ગુનેગારોમાં પોલીસનો ફફડાટ હોય અને સામાન્ય પ્રજામાં પોલીસ મિત્ર હોવાનો અહેસાસ થાય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવશે. આ કામગીરીમાં તેમણે નાગરિકોના સહયોગની પણ અપીલ કરી છે. ​પોલીસ સુધી પહોંચવું હવે નાગરિકો માટે વધુ સરળ બનશે ​પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મૂકતા ડીઆઈજીએ જણાવ્યું હતું કે, પોલીસ સુધી પહોંચવું હવે નાગરિકો માટે વધુ સરળ બનશે. તમામ પોલીસ અધિકારીઓના સંપર્ક નંબર સોશિયલ મીડિયા અને અન્ય જાહેર માધ્યમો પર ઉપલબ્ધ કરાવાયા છે. કોઈ પણ નાગરિક નિર્ભય થઈને ગુનાહિત પ્રવૃત્તિઓની માહિતી પોલીસને આપી શકે છે અથવા મુશ્કેલીના સમયે સીધો સંપર્ક કરી શકે છે. પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવા માટે ટેકનોલોજી અને પર્સનલ કોમ્યુનિકેશનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. સોમનાથ મંદિરની સુરક્ષાને લઈને પણ તેમણે ગંભીરતા દર્શાવી હતી. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગની સુરક્ષા માટે એસઆરપી, હોમગાર્ડ્સ અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પહેલેથી જ ગોઠવાયેલો છે. આ સુરક્ષા વ્યવસ્થાનું આધુનિક સીસીટીવી કેમેરા નેટવર્ક દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓની આસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે અને જરૂર જણાયે સુરક્ષા વ્યવસ્થામાં વધુ સુધારા-વધારા પણ કરવામાં આવશે. નવા ડીઆઈજીનો ઉદ્દેશ્ય જૂનાગઢ રેન્જને સુરક્ષિત અને શાંત બનાવવાનો આ ઉપરાંત રાજેન્દ્રસિંહ ચુડાસમા અશ્વપાલન અને પોલીસ માઉન્ટેડ યુનિટમાં પણ ખાસ રુચિ ધરાવે છે. તેઓ અશ્વ ખરીદી સમિતિના સભ્ય તરીકે કાર્યરત હોવાથી, રાજ્ય સરકારના અભિગમ મુજબ સીધા અશ્વપાલકો પાસેથી જ ઘોડાઓની ખરીદી કરવાની પ્રક્રિયા પર ભાર મૂકી રહ્યા છે. આ પદ્ધતિથી ખાસ કરીને કાઠિયાવાડી અને મારવાડી જાતિના અશ્વોના સંવર્ધનને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે. પોલીસ બેડામાં ઉત્તમ ઓલાદના અશ્વોનો સમાવેશ થવાથી પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં પણ મદદ મળશે. એકંદર રીતે, નવા ડીઆઈજીનો ઉદ્દેશ્ય જૂનાગઢ રેન્જને સુરક્ષિત અને શાંત બનાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં મોટી બદલી:ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના એકસાથે 338 સેનિટરી સબ ઈન્સ્પેક્ટરોની બદલીના આદેશ
    Next Article
    Putin Coughs And Splutters In Leaked Kremlin Video, Sparks Fresh Speculation About His Health

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment